SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/૪૦૮-૧ ૧૧૭ નામના સ્થાનમાં ગયા. ત્યાંથી પણ અરણ્યમાં ભમીને વંસગ્રહણ, તેનાથી ઉપલક્ષિત પ્રાસાદ તે વંશી પ્રાસાદ. ત્યારપછી પણ સમકટક. સમકટકથી અટવી, તેને ભ્રમણ કરતા બ્રહાદતને અતિશય તૃષાથી કંઠે, હોઠ, તાળવું સુકાવા લાગ્યા. ત્યારે તેણે વરધનુને કહ્યું - હે ભાઈ !મને તૃષાની ઘણી પીડા થાય છે, તે માટે ક્યાંકથી પાણી લઈ આવ. એટલામાં એણે નીકટવર્તી એક વડનું ઝાડ જોયું. તેની શીતળ છાયામાં સૂઈ ગયો. વરધનુએ તેની સાથે સંકેત કર્યો કે- જો મને કોઈ દીઘપ્રહિત પુરુષ પ્રાપ્ત થશે. તો હું અન્યોક્તિથી અભિધાન કરીશ. પછી તારે અહીંથી પલાયન થઈ જવું. વરધનું પછી પાણી શોધવા નીકળ્યો. તેણે એકત્ર પક્ષિની ખંડ મંડિત સરોવર જોયું. પક્ષિની પત્ર પુટકમાં પાણી એકઠું કર્યું. બ્રહ્મદત્તની સન્મુખ જવા પ્રવૃત્ત થયો. તે વડની નજીક પહોંચ્યો ત્યાં કોઈ રીતે તેમના ભાગી જવાના વૃત્તાંતને જાણીને દીર્ઘપૃષ્ઠ મોકલેલા પુરુષો વડે અતિરોષથી વરધનુને પકડીને બાંધી દેવાયો. તેઓએ આક્રોશ કરતા દુષ્ટવચનો કહ્યા. બીજા કહે છે વરધનુને પીટવા લાગ્યા. પૂર્વે કરાયેલા સંકેત અનુસાર વરધનુ સંકેત વચનો બોલે છે. તે વચનોને બ્રહ્મદત્તકુમાર સાંભળતા ભયથી ત્રસ્ત થઈ ગયો. ત્યારપછી તે ઉન્માર્ગથી ભાગી ગયો. ત્યારપછી ભમતા-ભમતા તે વટપૂરક આવ્યો ત્યાંથી બ્રહ્મસ્થલક અને વટસ્થલક તેના વિશ્રામના વિષયો બન્યા. કૌશાંબી, વારાણસી, રાજગૃહ, મથુરા, અહિચ્છત્રા પણ રહ્યો. ત્યાંથી પણ જતાં અરણ્યમાં પ્રવેશતા તાપસોએ જોયા. તેઓ ઓળખી ગયા કેઆ આપણાં નિજક બ્રહ્મરાજાનો પુત્ર છે. ત્યાં ચોમાસી કરી ત્યાં તાપસકુમાર સાથે રમતા એક દિવસે તેણે વનહતિજોયો. ત્યારે તેને કુતૂહલ ઉત્પન્ન થયું. વિવિધ ગજશિક્ષા વડે રમણ કરવાનો આરંભ કર્યો. તેની પીઠ ઉપર બ્રહ્મદત્ત બેઠો. હાથી કુમારને લઈ જવા પ્રવૃત્ત થયો. કેટલેક દૂર જઈને અનેક વૃક્ષો જોયા. કુમાર તે રીતે વિટપના એક ભાગમાં પહોંચ્યો. હાથી વડે લઈ જવાયા પછી તે વિમૂઢ દિશામાં ભમવા લાગ્યો. એ રીતે ભમતા ભમતા અરણ્યથી નીકળીને વટપુરે ગયો. વટપુરથી શ્રાવતિ ગયો. જતાં જતાં તેને માર્ગમાં એક ગામ પ્રાપ્ત થયું. ત્યાં નજીકમાં વિશ્રામ કરવાને બેઠો. કોઈ શ્રેષ્ઠીએ તેને ત્યાં જોયો. તેને પોતાના ઘેર લઈ ગયો. અભ્યાગત કર્તવ્ય કર્યું. નૈમિત્તિકના કહેવાથી શ્રેષ્ઠીએ બ્રહદત્તને પોતાની પુત્ર પરણાવી. ભુજગનિક સંદેશ વિવિધ વસ્ત્રો, ઇંદ્રનીલાદિ પ્રધાન મણિઓ, કટક કેયૂર કંડલાદિ આમરણો વડે સકારાયો. બ્રહ્મદત્ત તેનામાં લુબ્ધિ થઈ ત્યાં કેટલોક કાળ રહ્યો. પછી શ્રેષ્ઠીની કન્યાને એક પુત્રનો જન્મ થયો. - આ તરફ દીર્ઘપૃષ્ઠના મોકલેલા પુરુષોએ તેની શોધ કરતા કરતા તેનું વૃત્તાંત જાયું, તેના ભયથી બ્રહાદત્ત ત્યાંથી નાસી ગયો. સુપ્રતિષ્ઠપુરની સન્મુખ ચાલવાનું શરૂ કર્યું. ત્યાં તેને કેટલાંક વિટ કાર્યટિકો મળ્યા. સામે આવતા કોઈ તેવા પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy