SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ત્યારપછી તેના રજોહરણને લોહીથી લિમને પુરુષનો હાથ છે, તેમ સમજીને ગીધે ગ્રહણ કર્યું. પછી પુરંદરયશા આગળ પાડ્યું. તેણી પણ તે દિવસે ખેદ કરે છે કેસાધુઓ દેખાતા નથી. જોહરણને પુરંદરયશાએ જોયું. કંબલ-(રજોહરણ)ને ઓળખ્યું. તે તેણીએ જ ખંધકકષિને આપેલ. તેણીએ જોયું કે તેણીના ભાઈમુનિને મારી નંખાયા છે. તેણીએ રાજાની ખિસા કરતા કહ્યું- હે રાજા! પાપ થયું, આ વિનષ્ટ થયા. તેણીએ વિચાર્યું કે હું દીક્ષા લઈ લઉં. દેવ તેને મુનિસુવ્રત સ્વામી પાસે લઈ ગયા. તે બંધક દેવે પણ નગરને બાળી નાંખ્યું. લોકો ચાલ્યા ગયા. આ જ પણ તે દંડકારણ્ય કહેવાય છે. અરણ્યને વન કહેવાય છે, તેથી દ્વારગાથામાં “વન” કહેલ છે. અહીં તે સાધુઓ વડે જે રીતે વધપરીષહ સમ્યફ તયા સહન કરાયો. તે પ્રમાણે સાધુએ સહન કરવો. અંધકની જેમ અસહન ન થવું. બીજા વડે અભિવત થયેલા સાધુને તથાવિધ ઔષધાદિ અને ગ્રાસાદિ સદા ઉપયોગી થાય, તે સાધુએ યાચવા જોઈએ, તેથી યાચના પરીષહ - • સુત્ર - ૭, ૮ નરો સાણગાર ભિલાની ચર્ચા સદા દુષ્કર છે કે તેમણે વા, પાત્રાદિ બધું યાચનાથી મળે છે. તેની પાસે કંઈ યાચિત ન હોય, ગૌરીને માટે ઘરમાં પ્રતિષ્ટ સાધને માટે ગહસ્ય સામે હાથ પ્રસારવો સરળ નથી, તેથી ગૃહવાસ જ શ્રેષ્ઠ છે, મુનિ એવું ન ચિંતવે. વિવેચન 0, ૮ દુઃખેથી કરાય તે દુષ્કર - દુરનુષ્ઠાન, ખલુ વિશેષણ, નિરુપકારી એ વિરોષનું ધોતક છે. નિત્ય - સર્વકાળ, ચાવજીવ. તેમને શું દુષ્કર છે? આહાર, ઉપકરણાદિ ચાચવાથી મળે છે. દાંત ખોતરણી પણ અયાચિત ન હોય તેથી બધી વસ્તુની યાચના કરવી, વિશેષથી દુષ્કર છે. ગાયની જેમ ચરવું, તે ગોચર, જેમ આ પરિચિત કે અપરિચિત વિશેષને છોડીને જ પ્રવર્તે છે, તેમ સાધુ પણ ભિક્ષાર્થે, તેમાં પ્રધાન આ એષણાયુક્ત ગ્રહણ કરે છે, પણ ગાયની જેમ ગમે તે નહીં, તેમાં પ્રવિષ્ટને ગોચરાગ્ર પ્રવિષ્ટને હાથ સુખેથી પ્રસારવો (શા માટે ?) આહારાદિ ગ્રહણને માટે તે સુપ્રચારક, કઈ રીતે નિરૂપકારીવડે બીજાને પ્રતિદિન ખુશ કરવા શક્ય છે? એ કારણે ગાéધ્ય અતિ પ્રશસ્ય છે. તેમાં કંઈ માંગવું ન પડે. અને પોતાના હાથે કમાઈને દીન આદિના સંવિભાગ કરીને ખવાય છે. આ પ્રમાણે ભિક્ષ ન વિચારે. કેમકે ગૃહવાસ બહુ સાવધ છે, નિરવધ વૃત્તિને માટે તેનો પરિત્યાગ કરવો. તે માટે સ્વયં ન રાંધતા ગૃહસ્થ પાસે યાચના કરવી. હવે રામદ્વાર, તેમાં “દુક્કરે ખલુ ભો! fઉચ્ચ” એ સૂત્રને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે - • નિક્તિ - ૧૧૪/૧ + વિવેચન - યાચના પરીષહમાં અહીં બલદેવનું ઉદાહરણ આ પ્રમાણે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy