SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ૨/૫૯,૬૦ જિતશત્રુ રાજાનો પુત્ર સુમનોભદ્ર યુવરાજ હતો. ધર્મઘોષસૂરિ પાસે ધર્મ સાંભળીને કામભોગથી કંટાળીને દીક્ષા લીધી. એકાકી વિહાર સ્વીકાર્યો. પછી અધોભૂમિમાં વિચરતા શરકાળમાં અટવીતરફ આવ્યો. રાત્રિના મણકો વડે ખવાતા, તે તેને પ્રમાતો નથી, પણ સમ્યફ સહન કરે છે, તેનાથી તે રાત્રે જ કાળધર્મ પામ્યો. આ પ્રમાણે પરીષહ સહેવો. ઉક્ત પરીષહોથી પીડાતો ને વસ્ત્ર, કંબલ આદિના અન્વેષણમાં તત્પર ન બને, તેથી અચેલ પરીષહ કહે છે - • સૂત્ર - ૬૧, દર વસ્ત્રોના જતિ જીર્ણ થવાથી, હવે હું આગેવક થઈ જઈશ. અથવા ના વસ્ત્રો મળતા હું ફરી સહક થઈ જઈશ. એવું મુનિ ન વિચારે.. મુનિ ક્યારેક સાચવેક થાય છે, ક્યારેક સસલેક પણ થઈ જાય છે. બંનેને સયમ હિતકારી જાણીને જ્ઞાની તેમાં ખેદ ન કરે. • વિવેચન - ૬૧, ૬૨ પરિજી - બધી તરફ હાનિને પામેલ વસ્ત્રો વડે, હું વસ્ત્ર રહિત થઈ જઈશ, અલ્ય દિન ભાવિત્વથી ભિક્ષ એમ ન વિચારે અથવા વસ્ત્રયુક્ત થઈશ, કેમકે મારા જીર્ણ વસ્ત્રો જોઈને કોઈ શ્રાદ્ધ સુંદરતર વસ્ત્રો આપશે, તેમ ભિક્ષુ ન વિચારે. મારી પાસે પૂર્વે ગ્રહણ કરેલ વસ્ત્ર નથી. તેવો દાતા પણ નથી, એવી દૈન્યતા ન કરે કે અન્ય લાભની સંભાવના નથી પ્રમુદિત માનસવાળા ન થાય. આ રીતે જીણદિ વસ્ત્રતાથી અચેલ વડે સ્થાવિરકલિકને આશ્રીને અયેલ પરીષહ કહ્યો હવે તે જ સામાન્યથી કહે છે - કોઈ કાળે જિનકલ્પ પ્રતિપતિમાં સ્થવિર કપમાં પણ અથવા દુર્લભ વસ્ત્રાદિમાં સર્વથા વસ્ત્રના અભાવથી, વસ્ત્ર વિના વર્ષાદિ નિમિત્તે પ્રાવરણ રહિત કે જીણદિ વસ્ત્રપણાથી અવત્રવાળો થાય છે. તેમાં જાતે જ, બીજાના અભિયોગથી નહીં, સ્થવિર કલ્પિકત્વમાં ક્યારેક વસ્ત્રયુક્ત હોય. આ પ્રમાણે અવસ્થાના ઔચિત્યથી સચેતત્વ કે અચેલત્વમાં, યતિધર્મ તેમને ઉપકારક જાણીને તેમાં અચેલકત્વના ધર્મહિતત્વ, અલ્પ પ્રત્યપ્રેક્ષા આદિ વડે જાણવું. સચેતત્વ પણ ધમપકારિત્વને અગ્નિ આદિ આરંભના નિવારકપણાથી સંયમફળ રૂપે છે. -- પણ અચેલ થઈને શું આ શીત આદિથી પીડિત એવા મને કંઈ શરણ નથી, તેમ દિનતાનો આશ્રય ન કરે. xxxxxxx- (અહીં વસ્ત્રને આશ્રીને કેટલોક વાદ છે. જેના કેટલાંક અંશો જ અમે નોંધીએ છીએ -) વસ્ત્રને માત્ર પરિગ્રહ ન ગણવો, કેમકે જો પરિગ્રહ મૂછને કહેલ છે, તો શરીરની પણ મૂછ હોય જ છે. જેમ શરીર એ મુક્તિનું અંગ છે, તેમ તથાવિધ શક્તિ રહિતને શીતકાળ આદિમાં સ્વાધ્યાયાદિમાં વસ્ત્ર ઉપકારક છે, તેથી તે પણ મુક્તિના અંગરૂપ જ છે. અભ્યપગમને મૂછનો હેતુ કહેલ છે, નિગૃહીત આત્માને જરાપણ મૂછ હોતી નથી. મૂછના અભાવે તે અપરિગ્રહ જ છે. તેથી સંયમ રક્ષણના ઉપાય રૂપે સ્વીકારતા વસ્ત્રમાં પરિગ્રહ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy