SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૧૬ ૧૬૭ વસ્ત્રાદિ વત્ સાંધવા શક્ય નથી. - x - × - એ સ્વરૂપથી, હેતુથી, વિષયથી વ્યાખ્યા કરવી. તેમાં સ્વરૂપથી અને હેતુથી તો ગ્રન્થ વડે વ્યાખ્યા કરાઈ. આના વડે તો આયુષ્યકરણના અસંસ્કૃતત્વ દર્શાવવાને માટે વિષયથી છે. હવે ઉપસંહાર કહે છે આયુ કર્મ અસંસ્કૃત વડે અહીં અધિકાર છે. તેનો વ્યવહિત સંબંધ છે. તેનો અર્થ આ છે - જેથી અસંસ્કૃત આયુઃ કર્મ છે, તેથી પ્રમાદનો અભાવ જ છે, એ પ્રમાણે ચારિત્ર વિષયમાં (અપ્રમાદ) કરવો જોઈએ. એ પ્રમાણે ‘સંસ્કૃત' શબ્દની વ્યાખ્યા કરી. તેનાથી વિપરીત તે ‘અસંસ્કૃત' હવે સૂત્રને અનુસરે છે. તેમાં અસંસ્કૃત જીવિત છે, વૃદ્ધાવસ્થાથી યુક્તને કોઈ શરણ નથી. ‘પ્રમાદી ન થાઓ’ એમ કહેવાં છતાં પણ પુરુષાર્થપણાથી સર્વે ઐહિક - આમુષ્મિક ફળના નિબંધન પણાથી. તેના ઉપાર્જન પ્રતિ અપ્રમાદ ધારણ કરવો. એ પ્રમાણે કેટલાંકનો આશય છે તેના મત ખંડન માટે કહે છે - . ૦ સૂત્ર - ૧૧૭ - જે મનુષ્ય અજ્ઞાનતાને કારણે પાપ પ્રવૃત્તિઓથી ધનનું ઉપાર્જન કરે છે, તેઓ વાસનાની જાળમાં પડેલા અને વૈરાનુબદ્ધ થઈ મરીને નરકમાં જાય છે. • વિવેચન ૧૭ જે કોઈ પાપોપાદાન હેતુ અનુષ્ઠાનો વડે દ્રવ્ય મનુષ્યો - તેમાં જ પ્રાયઃ તેના અર્થોપાયમાં પ્રવર્તવાથી આમ કહ્યું અર્થાત્ તેવું દ્રવ્ય સ્વીકારે છે. કોણ? ઉક્ત રૂપ કુમતિવાળા. અશોભન મત તે અમત - નાસ્તિકાદિ દર્શન અથવા અમૃત - આત્મામાં પરમાનંદ ઉત્પાદકપણાથી અને તેમાંથી અલ્પના અગ્રહણ વડે બાકીનું છોડીને જાય તેવા ધનરસિકોને જુઓ. તેઓ જાતે જ અશુભાનુભાવથી પ્રવૃત્ત કે પ્રવર્તિત થઈ પાપ કર્મ વડે ઉપાર્જિત ધનથી જ મૃત્યુના મુખમાં જાય છે. - - x - ૪ - તેમને જુઓ કર્મ - વૈરથી સતત અનુગત થઈને રત્નપ્રભાદિ નરકમાં તદ્ભવના ભાવિતાથી સમીપે જાય છે. અથવા સ્ત્રી આદિ પાશમાં પ્રવૃત્ત અથવા તેમના વડે પ્રવર્તિત એવા તે મનુષ્યો નરકમાં જાય છે. તેઓ દ્રવ્યનું ઉપાર્જન કરીને સ્ત્રી આદિમાં રમણ કરે છે, તેની અભિરતિથી નરકગતિમાં ભાગી થાય છે તેવો ભાવ છે. 2 Jain Education International આ સૂત્ર વડે ધન આ લોકમાં મૃત્યુના હેતુ પણે અને પર લોકમાં નરક પ્રાપ્ત કરાવનાર હોવાથી તત્ત્વથી પુરુષાર્થ જ નથી. તેના ત્યાગથી ધર્મ પ્રતિ પ્રમાદ ન કરવો તેમ જાણવું. નરક પ્રાપ્તિ લક્ષણ અપાય પ્રત્યક્ષ રૂપે જણાતો નથી, તેથી મૃત્યુ લક્ષણ અપાય દર્શાવવાનું દૃષ્ટાંત કહે છે. તેમાં આ વૃદ્ધ સંપ્રદાય છે. એક નગરમાં એક ચોર રાત્રિમાં વૈભવ સંપન્ન ઘરોમાં ખાતર પાડીને ઘણાં ધનને લઈને પોતાના ઘરના એક ખૂણામાં સ્વયં જ કૂવો ખોદીને, તેમાં તે દ્રવ્યને નાંખે છે. ઇચ્છિત શુલ્ક આપીને કન્યા સાથે વિવાહ કરીને પ્રસૂતા થતાં મારીને રાત્રિના તે જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy