SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ગુણકારી થશે. તેમ માનીને તેને દૂર કરવા સ્નાનાદિ ન કરે.-xx- નિર્જરપેક્ષી તેને સહન કરે. - કોઈ એમ કહે છે કે- ઉદ્વર્તન પણ ન કરે, તો સ્નાન કરવાની તો વાત જ ક્યાં રહી? અથવા યતીના ધર્મના આચારોને જાણે. “જ્ઞાનનું ફળ વિરતિ” છે તેમ જાણીને તેવી કાયાને ધારણ કરે. હવે “માલધારી” એ દ્વારને અનુસરતો “યં નો પરિદેવએ” એ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે - • નિર્યુક્તિ - ૧૧૦ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે - ચંપા નગરીમાં સુનંદ નામે એક વણિક શ્રાવક હતો. સાધુ જે-જે માંગે છે તેને અવજ્ઞાથી આપતો. ઔષધ, ભૈષજ આદિ સક્ત આદિ, સર્વભાંડાદિ આપે. કોઈ દિવસે ગ્રીષ્મમાં સાધુઓ જલ વડે પરિદિગ્ધ શરીરવાળા તેની દુકાને આવ્યા. તેમના પરસેવા આદિની ગંધઉછળી રહી હતી. તેણે સુગંધી દ્રવ્ય વડે ભાવિત કરતાં વિચારે છે- સાધુનું બધું જ સુંદર છે, જો આ મેલ - જલ્લનું ઉદ્વર્તન કરશે તો ઘણું જ સારું થશે. એ પ્રમાણે તે વણિ તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામ્યો. તે કૌશાંબી નગરીમાં શ્રેષ્ઠીના કુળમાં પગરૂપે જન્મ્યો. તે ધર્મને સાંભળીને કામભોગથી ખેદિત થઈને પ્રવજિત થયો. તેને પૂર્વના ભવનું તે કર્મ ઉદયમાં આવ્યું. તે દુર્ગન્ધવાળો થયો. પછી તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અપભ્રાજના પામે છે. પછી સાધુઓએ તેને કહ્યું કે - તું આવી ઉદ્દાતણા પામ, તારે ઉપાશ્રયમાં જ રહેવું. તે રાત્રે દેવીને આશ્રીને કાયોત્સર્ગ કર્યો. પછી દેવીએ તેની કાયા સુગંધી કરી દીધી. તે કોષ્ઠપુર કે બીજા વિશિષ્ટ દ્રવ્યોની જેવી ગંધ હોય તેવી ગંધવાળો થયો. ફરી ઉગ્રુહણા થઈ. ફરી પણ દેવીની આરાધના કરી, સ્વાભાવિક ગંધવાળ થયો. તેણે જલ્લ પરીષહ ન સહન કર્યો. આ પ્રમાણે સાધુઓએ કરવું નહીં. - જલ્લ ઉપલિત અને શુચીને સક્રૂિજ્ય કરતાં અને પુરક્રિય કરતા બીજા વડે સત્કાર કે પુરસ્કાર વડે સ્પૃહા કરે. તેથી તે પરીષહ કહે છે - • સબ - ૮, ૮૮ રાજ આદિ વડે કરાતા અભિવાદન, સહકાર અને નિમંત્રણને જે અન્ય ભિા સ્વીકારે છે, તેની મુનિએ સ્પૃહા ન કરવી. અનુત્કર્ષ, આજે ઇચ્છાવાળા, અજ્ઞાત કુળોથી ભિક્ષા લેનારા અલોપ ભિક્ષ સોમાં ગૃત ન થાય. પ્રજ્ઞાવાન બીજાને સન્માન મળતું જોઈ અનતાપ ન કરે. ૦ વિવેચન : ૮, ૮૮ આભવાદન - શિરોનમન અને ચરણ સ્પશાદિ પૂર્વક અભિવાદન કરે. સંભ્રમ સહિત આસનને છોડે, રાજાદિ વડે - “મારા ઘેર ભિક્ષા ગ્રહણ કરો” ઇત્યાદિ રૂપ નિમંત્રણ કરે. જે સ્વયુથિક કે પરતીર્થિકો આવા અભિવાદનોને આગમમાં નિષેધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy