SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩, ૮૪ ૧૦૩ અહીં સંસ્કારદ્વારને અનુસરતા “તઉલા હવઈ વેચાણ” એ સૂત્ર સૂચિત ઉદાહરણને કહે છે - • નિર્યક્ત - ૧૧૬ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે - શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને ભદ્ર નામે પુત્ર હતો. તે કામભોગથી ખેદ પામીને તથારૂપ સ્થવિરોની પાસે પ્રવજિત થયો. કેટલેક કાળે એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને રહ્યો. તે વિચરણ કરતા હતા ત્યારે વિરુદ્ધ રાજ્યમાં જાસુસ સમજીને તેમને પકડી લીધા. તેમને મારીને ક્ષાર વડે સિંચિત કર્યા. દર્ભ વડે વીંટીને મુક્ત કરાયા. તે દર્ભ વડે લોહી વડે સંમિલિત થઈને થતાં દુઃખને સમ્યફ સહન કરે છે. એ પ્રમાણે બાકીના સાધુએ તૃણ પરીષહને સહન કરવો જોઈએ. 4ણ ક્યારેક મલિન પણ હોય છે. તેના સંપર્કથી પરસેવાથી વિશેષ જલ્લ સંભવે છે, તેથી અનંતર જલ્લ પરીષહ કહે છે - • સુત્ર - ૮૫, ૮૬ ચીખમાં મેલથી, રજથી અથવા પરિતાપથી શરીરના લિપ્ત થઈ જેવાથી મેધાવી મુનિ સાતાને માટે વિલાપ ન કરે. નિર્જરી મુનિ અનુત્તર આર્યધર્મને પામીને શરીર વિનાશની અંતિમ ક્ષણ સુધી શરીર ઉપર જલ - પર્સના જન્ય મેવને રહેવા દે. (તેને સમભાવે સહે.) • વિવેચન • ૮૫, ૮૬ ક્લિન્ન અથવા કલિષ્ટ બાધિત શરીર જેનું છે તેવો તે મેધાવી - વ્યાધિવાળો હોય કે અરોગી હોય, જો સ્નાનની પ્રાર્થના કરે, તો તે આચારને ઉલ્લંઘેલ અને સંયમને ત્યજેલો થાય છે. એ ઉક્તિને અનુસરીને અસ્નાનરૂપ મર્યાદાને ઉલ્લંધે નહીં. કોના વડે ક્લિન્નગાબ કે ક્લિષ્ટગાબ થાય ? તે કહે છે - પરસેવાથી ભીના મલરૂપથી, તેનાથી જ કઠિનતા પામેલ કે ધૂળ વડે, ગ્રીષ્મ કે શરદમાં પણ, તેનાથી પરિતાપ પામીને. અર્થાતુ પરિતાપથી પરસેવો, પરસેવાથી મલજલ્લવાળો થાય. તેથી ક્લિmગાત્રતા થાય. તેના કારણે સુખનો આશ્રય કરવા એમ ન કહે કે મને ક્યારે કે કઈ રીતે આ મલવાળા શરીરને સુખાનુભવ થાય ? તો તે શું કરે? જલ્લ જનિત દુઃખન સહન કરે. કેવો થઈને? કર્મોના આત્યંતિક ક્ષયરૂપ નિર્જરાને વિચારતો. એ પ્રમાણે તે શું કરે ? હેય ધર્મો વડે દૂર રહે તે આર્ય. શ્રુત અને ચાસ્ત્રિ રૂપ ધર્મ કે જે બીજા કરતાં પ્રધાન હોવાથી અનુત્તર છે, તેને આચરે - એવો પ્રસન્ન - ભાવભિક્ષ થાય. હવે સામર્થ્ય કહેવા છતાં અર્થઆદરને જણાવવા નિગમના વ્યાજથી ફરી કહે છે. શરીરના વિનાશની મર્યાદા કરીને, કઠીનતાને પામેલ મલ અને ઉપલક્ષણથી પંક અને ધૂળવાળી કાયાને ધારણ કરે. કોઈના અગ્નિથી પરિશોષિત પરિદગ્ધ થઈ ઉપહત શરીરને અથવાજ વડે અવગુંડિત મલ યુક્ત શરીરને વિચારે. અકામ-નિર્જરાથી તેમાં કોઈ ગુણ નથી. મને સમ્યફ સહન કરતા મહાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy