________________
૩૬૦ ૪/૨૯, નિ૰ - ૧૩૯૧
આચ્છાદિતમાં જો કે એક પણ તારાને ન જુએ, તો પણ પ્રભાતિક કાળને ગ્રહણ કરે. વર્ષાકાળમાં વળી ચારે પણ કાળ વાદળ આચ્છાદિતમાં તારા આદૅશ્ય જ હોય તો પણ કાળ ગ્રહણ કરે.
૮૯
“છન્ને નિવિષ્ટ”ની આ વ્યાખ્યા છે –
• નિયુક્તિ-૧૩૯૨-વિવેચન :
જો કે વસતિની બહાર કાળગ્રાહીને સ્થાન ન હોય, ત્યારે છન્ન-ઢંકાયેલા સ્થાને ઉધ્ધસ્થિત થઈને કાળ ગ્રહે,
જો ઉધ્ધસ્થિતનું પણ અંતઃસ્થાન ન હોય ત્યારે છન્નમાં જ રહિને કાળગ્રહણ લે છે.
બહાર રહીને પણ એક પ્રતિયરે છે, વર્ષાબિંદુ પડતા હોય તો નિયમા અંતઃસ્થિત થઈ કાળ ગ્રહણ કરે. ત્યાં પણ ઉર્ધ્વસ્થિત કે બેસીને લે. વિશેષ એ કે પ્રતિચસ્ક પણ અંદર રહીને જ પ્રતિયરે છે.
આ પ્રાભાતિકમાં ગચ્છના ઉપગ્રહાર્થે અપવાદ વિધિ કહી. બાકીના કાળ, સ્થાન ન હોય તો ગ્રહણ ન કરવા. અથવા આચરણાથી જાણવા.
કયા કાળમાં કઈ દિશાભિમુખ વડે રહેવું? તે કહે છે - • નિયુક્તિ-૧૩૯૩-વિવેચન :
પ્રાદોષિકમાં અને અર્ધરાત્રિકકાળમાં નિયમથી ઉત્તરની સન્મુખ રહે. વૈરાત્રિક કાળમાં દિશાની ભજના, ઈચ્છા હોય તે પ્રમાણે ઉત્તરાભિમુખ અથવા પૂર્વાભિમુખ રહે. પ્રાભાતિમાં નિયમા પૂર્વાભિમુખ રહે.
હવે કાળગ્રહણનું પરિમાણ કહે છે – • નિર્યુક્તિ-૧૩૯૪-વિવેચન :
ઉત્સર્ગમાં ઉત્કૃષ્ટથી ચારે કાળ ગ્રહણ કરે અને ઉત્સર્ગમાં જ જઘન્યથી ત્રિક થાય છે.
દ્વિતીય પદમાં અપવાદ છે. તેથી કાળ દ્વિક થાય છે. અમાયાવીને કારણે અગૃહમાણ હોવાથી આમ કહ્યું અથવા ઉત્કૃષ્ટથી ચાર થાય છે. જઘન્યથી હાનિ પદમાં ત્રિક થાય છે. કેમકે એકમાં અગૃહિત છે.
બીજા હાનિપદમાં કૃતમાં દ્વિક થાય છે. એ પ્રમાણે અમાયાવીને ત્રણ અગ્રહણ કરતાં એક જ થાય છે અથવા માયા વિમુક્તને કારણે એક પણ કાળને ન ગ્રહણ કરે તો પણ દોષ નથી એટલે કે તેને તેમાં પ્રાયશ્ચિત્ત આવતું નથી. આ ગાથાર્થ કહ્યો. કાલચતુષ્ક કઈ રીતે ? તે કહે છે –
• નિર્યુક્તિ-૧૩૯૫-વિવેચન :
પ્રાદોષિક કાળ ગ્રહણ કરીને બધાં સૂત્ર-પોરિસિ કરીને પૂર્ણ પોરિસિમાં સૂત્રપાઠીઓ સુવે છે. અર્થ ચિંતકો અને ઉત્કાલિક પાઠકો જાગે છે. [ક્યાં સુધી ? અર્ધરાત્ર સુધી.
અર્ધરાત્રિ પૂરી થયા પછી કાળ ગ્રહણ કરીને જાગતા હોય તે સુવે. ત્યારે ગુરુ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ઉઠીને ચરમરાત્રિ સુધી ગણે છે. છેલ્લી રાત્રિએ [ચરમ પ્રહરે] બધાં ઉઠીને વૈરાત્રિક કાળ ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. ત્યારે - તે કાળે તેમના ગુરુઓ સુવે છે.
પ્રાભાતિક કાળ પ્રાપ્ત થતાં જે પ્રાભાતિક કાળ ગ્રહણ કરશે તે કાળ પ્રતિક્રમીને પ્રાભાતિક કાળ ગ્રહણ કરે છે. બાકી કાળ વેળામાં પ્રાભાતિક કાળને પ્રતિક્રમે છે. પછી આવશ્યક કરે છે.
૯૦
આ પ્રમાણે ચારે કાળ થાય છે.
ત્રણ કઈ રીતે ? કહે છે. પ્રાભાતિક કાળ ન ગ્રહણ કરીને બાકીના ત્રણ કાળ થાય. - અથવા આ રીતે -
• નિયુક્તિ-૧૩૯૬,૧૩૯૭-વિવેચન :
નિર્યુક્તિની બંને ગાથાની સંયુક્ત વ્યાખ્યા આ પ્રમાણે વૈરાત્રિક કાળને ન ગ્રહીને, બાકીના ત્રણે કાળ ગ્રહણ કરતાં ત્રણ કાળ.
અથવા અર્ધ રાત્રિક ન ગ્રહણ કરીને ત્રણ કાળ ગ્રહણ થાય.
બે કઈ રીતે ? પ્રાદોષિક અને અર્ધરાત્રિક ગ્રહણ કરે અને બાકીના બે ગ્રહણ ન કરતાં બે કાળગ્રહણ થાય અથવા પ્રાદોષિક અને વૈરાત્રિકને ગ્રહણ કરતાં બે કાળગ્રહણ થાય અથવા પ્રાદોષિક અને પ્રાભાતિક બંને ગ્રહણ ન કરીને બે કાળ ગ્રહણ થાય છે.
-
અહીં પણ કલ્પમાં પ્રાદોષિક વડે અનુપહતથી જ ઉપયોગથી સુપ્રતિજાગતિ થઈ સર્વ કાળમાં ભણે તેમાં દોષ નથી. અથવા વૈરાત્રિક અને અર્ધરાત્રિકમાં ગ્રહણ ન કરતાં બે અથવા અર્ધરાત્રિક અને પ્રાભાતિકને ગ્રહણ ન કરતા બે અથવા વૈરાત્રિક અને પ્રાભાતિકને ગ્રહણ કરીને બે કાળગ્રહણ થાય. જો એક જ હોય તો કોઈપણ કાળગ્રહણ કરે.
કાળ ચતુષ્કના આ કારણો છે –
કાળચતુષ્ક ગ્રહણ ઉત્સર્ગ વિધિ જ છે. અથવા પ્રાદોષિક ગ્રહણ કરતાં ઉપહત થતાં અર્ધરાત્ર ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે. પ્રાભાતિક દિવસને માટે ગ્રહણ કરેલ જ છે. એ પ્રમાણે કાળચતુષ્ટ કહ્યું. અનુપહત પ્રાદોષિકમાં સુપ્રતિ જાગતિમાં આખી રાત્રિ ભણે છે. અર્ધરાત્રિકમાં પણ વૈરાત્રિક ભણે છે. વૈરામિક પણ
અનુપહતથી સુપ્રતિજાગતિથી પ્રાભાતિક કાળમાં અશુદ્ધ ઉદ્દિષ્ટ હોય તો દિવસથી પણ ભણે.
કાળચતુષ્કમાં અગ્રહણના કારણો આ છે - પ્રાદોષિક ન ગ્રહણ કરે અથવા અશિવાદિ કારણથી શુદ્ધ ન થાય. અર્ધરાત્રિક ગ્રહણ ન કરે અથવા કારણથી શુદ્ધ ન થાય. પ્રાદોષિકથી સુપ્રતિ જાગતિથી ભણે પણ ગ્રહણ ન કરે વૈરાત્રિક કારણથી ગ્રહણ ન કરે ન શુદ્ધ થાય. પ્રાદોષિક કે અર્ધરાત્રિકાથી જ કહે છે. અથવા ત્રણ ગ્રહણ ન કરે અથવા પ્રાભાતિક કારણથી ગ્રહણ ન કરે કે શુદ્ધ ન થાય. પૈરાત્રિકથી
દિવસના જ ભણે.
હવે પ્રાભાતિક કાળગ્રહણ વિધિને પૃથક્ કહે છે -