SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય ૪/૧૨ નિ - ૧૨૬૯ ૧૧૯ ૧૦ જ તેનું લોકોત્તમત્વ કહે છે – • સૂગ-૧૩ : શેકમાં ચાર ઉત્તમ છે - અરિહંત લોકોત્તમ છે, સિદ્ધો લોકોત્તમ છે, સાધુ લોકોત્તમ છે, કેવલિ પ્રાપ્ત ધર્મ લોકોત્તમ છે. • વિવેચન-૧૩ : અથવા અરહંતાદિની મંગલતા કઈ રીતે છે ? લોકોત્તમપણાથી, તેથી કહે છે - અનંતરોક્ત કે કહેવાનાર આ ચાર ભાવલોકમાં ઉત્તમ-પ્રધાન છે. આ કોણ ? તે બતાવે છે – અરહંત ઈત્યાદિ. અરહંત - પૂર્વે શબ્દાર્થ કહેલ છે. તે ભાવલોકમાં ઉત્તમ છે. કહ્યું છે – અરહંતો ભાવલોકમાં ઉત્તમ કહ્યા છે. કેમકે તેમની સર્વ પ્રકૃતિ પ્રશસ્ત છે. ચાનુભાવને આશ્રીને વેદનીય, આયુ, નામ અને ગોગનો ભાવ ઔદયિકમાં નિયમથી ઉત્તમ હોય છે. એ પ્રમાણે જ ઉત્તર પ્રવૃત્તિ વિશેષ થકી પણ તેનું વૈશિ-ઉત્તમત્વ જાણવું, તે આ રીતે - સાતા, મનુષ્યાય, બે નામ પ્રકૃતિ સમ્પ્ર શસ્ત છે, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક . તૈજસ-કામણ શરીર, દારિક અંગોપાંગ, સમચતુરસ, સંસ્થાન, વજsષભનારાય સંઘયણ, વર્ણરસ-ગંધસ્પર્શ, અનુલઘુ ઉપઘાત, પરાઘાત, શ્વાસોશ્વાસ, વિહાયોગતિ પ્રશસ્ત છે. બસ, બાદર, પર્યાપ્તક, પ્રત્યેક સ્થિર અને અસ્થિર, શુભ ઉધોત, શુભ સ્વર, આયનામ અને યશોકીર્તિ, નિર્માણ અને તીર્થંકરનામ કર્યા. પછી ઉચ્ચગોત્ર, ચોત્રીશ દયિક ભાવોથી તે ઉત્તમ, પ્રધાન અને અનન્યતુલ્ય થાય છે. ઔપથમિક ભાવ અરહંતને વિધમાન હોતો નથી. ક્ષાયિક ભાવમાં વળી બેના આવરણ હોય છે. તથા મોહ અને અંતરાય કર્મ. એ ચારના સંપૂર્ણ ક્ષયથી આની પ્રતીતિ થાય છે. ક્ષાયિક ભાવમાં તેઓ લોકમાં ઉત્તમ છે, તે વિશે વાત છે. સાંનિપાતિક અને ઔદયિક ભાવમાં જે પૂર્વે કહ્યા. અરહંતોના જે પયિક ભાવો કહ્યા છે. તેના સદા યોગથી સાંનિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે. તેનાથી પણ ભાવલોકની ઉત્તમતા નિયમથી હોય છે. સિદ્ધોનું લોકોતમપણું તે ોગલોકની ઉત્તમતાથી છે. સર્વે કર્મ પ્રકૃતિ રહિતતાથી જે ક્ષાયિક ભાવ થાય છે, તેના કારણે પણ તેની ઉત્તમતા છે. - સાધુઓની લોકોત્તમતા તે જિનેન્દ્રોએ દર્શન, જ્ઞાન, ચાત્રિ રૂપ ભાવલોકથી કહેલી છે. તેમાં સાધુ શબ્દ પૂર્વે કહેલો છે. દર્શનાદિ ત્રય ભાવલોકની ઉત્તમતાથી લોકોત્તમ કહ્યા છે. કેવલિ પ્રરૂપિત ધર્મ પૂર્વે કહ્યો છે - તે ક્ષાયોપથમિક, ઔપથમિક, ાયિક ભાવલોકમાં ઉત્તમ હોવાથી લોકોત્તમ કહ્યો છે તથા કહ્યું છે કે ધર્મ તે ધૃત અને ચાસ્ત્રિ, તે બંને પણ લોકોત્તમ જાણવો. જે કારણથી લોકોતમ છે, તે કારણે શરય છે. તેથી કહે છે - ચાર શરણા અંગીકાર કરે છે અથવા કઈ રીતે લોકોતમવ છે ? આશ્રયણીયપણાથી. હવે તે આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આશ્રયણીયત કહે છે – • સૂગ-૧૪ - હું ચાર શરણ અંગીકાર કરું છું. હું અરિહંતનું શરણું સ્વીકારું છું. સિદ્ધનું શરણું સ્વીકારું છું, સાધુનું શરણું રવીકારું છું અને કેવલિ ભગવતે પ્રરૂપિત ધર્મનું શરણું સ્વીકારું છું. • વિવેચન-૧૪ - સંસારના ભયથી રક્ષણને માટે ચાર શરણા સ્વીકારું છું - ચારના આશ્રયે જઉ છું. ભેદ વડે તેને દર્શાવતા કહે છે – અરહંતનું શરણું સ્વીકારું છું. સાંસારિક દુ:ખથી રક્ષણ માટે અરહંતના આશ્રયે જાઉ છું અર્થાત્ તેમની ભક્તિ કરું છું. એ પ્રમાણે સિદ્ધાદિનું શરણું સ્વીકારું છું. આ રીતે મંગલોપચાર કર્યો. હવે પ્રતિક્રમણ સૂત્ર કહે છે – • સૂત્ર-૧૫ : હું દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. (આ અતિચાર સેવન) – કાયાથી, વચનથી, મનથી કરેલ હોય. - ઉસૂત્રભાષણ કે ઉન્માર્ગ સેવનથી (હોય.) - અકીય કે અકરણીયથી (થયેલ હોય) - દુધ્યનિ કે દુષ્ટ ચિંતવનથી (થયેલ હોય) - અનાચારથી, અનિચ્છનીયથી, આશ્રમણપાયોગ્યથી હોય. - જ્ઞાન, દર્શન કે ચાસ્ત્રિ - ચુત અને સામાયિકમાં હોય. - ત્રણ ગુપ્તિ, ચાર કષાય, પાંચ મહાવત, છ અવનિકાય, સાત પિન્કેષણા, આઠ પ્રવચનમાયા, નવ બહાચર્ય ગુપ્તિ, દસ પ્રકારે શ્રમણ ધર્મ [d-વે વિષયમાં પાલનપાલનથી થયેલ હોય સાધુઓના સામાચારીરૂપ કર્તવ્યોમાં પ્રમાદ કરવાથી જે-જે ખેડા-વિરાધના થઈ હોય, મરું તે પાપ મિથ્યા થાઓ. • વિવેચન-૧૫ :ઈચ્છામિ પ્રતિક્રમિતું ઈત્યાદિ પદો કહેવા. - હવે પદાર્થ કહે છે - છrfમ - હું ઈચ્છું છું, અભિલાષા કરું છું. પડિક્કમિઉં - તિવર્તવાને, પ્રતિક્રમણ કરવાને. કોનું? અતિચારોનું છે. પોતાને માટે આ નિર્દેશ છે. દિવસથી થયેલ કે દિવસ પરિણામ દૈવસિક. અતિચરણ તે અતિચાર અર્થાતુ અતિક્રમ. વક્રત - આના વડે ક્રિયાકાળ કહ્યો. ‘fપછામકુક્કડમ્' - આના વડે નિષ્ઠાકાળ કહ્યો. વળી આ અતિચાર ઉપાધિભેદથી અનેક પ્રકારે છે – કાયા-શરીર વડે થયેલ કાયિક અર્થાત્ કાયકૃત. વાયા વડે નિવૃત્ત તે વાચિક - વાકકૃત. મનથી નિવૃત્ત તે માનસિક. ઉસૂત્ર એટલે સૂગમાં ન કહેલ. Eff - ક્ષાયોપથમિક ભાવ ઉન્માણ - ક્ષાયોપસમિક ભાવના ત્યાગથી ઔદયિક ભાવ સંક્રમ.
SR No.009024
Book TitleAgam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy