________________
અધ્ય૪, નિ - ૧૨૪૦
ત્યારે તે દાસીએ ફરી પૂછ્યું – કન્યા કોને આપી ? ચિત્રકાર પુત્રી રાણી બોલી કે જેણે તેને જીવાડી, તે તેનો પિતા કહેવાય, જે સાથે જીવી ગયો, તે ભાઈ કહેવાય. જેણે અનશન કર્યુ તેને કન્યા અપાય.
દાસી બોલી – બીજી વાર્તા કહો. રાણી બોલી. એક રાજાના સોનીઓ ભોયરામાં મણિરત્નથી કરેલ ઉધોત કરીને અંદર આભરણો કરે છે. એકે કહ્યું – શું વેળા થઈ ? એક બોલ્યો – રાત્રિ થઈ. તેણે કેમ જાણ્યું ? સૂર્ય કે ચંદ્ર દેખાતા ન હતા. તેણી બોલી ઉંઘ આવે છે, કાલે વાત.
બીજે દિવસે કહ્યું, તે રતાંધળો હતો. દાસી બોલી – બીજી વાર્તા કહો. એક રાજાએ બે ચોરને પેટીમાં પુરી સમુદ્રમાં ફેંક્યા કોઈએ તે પેટી જોઈ, ઉઘાડી તો મનુષ્યો જોયા. પૂછ્યું કેટલાં દિવસ પહેલાં તમને ફેંકેલા એકે કહ્યું – આજે ચોથો દિવસ છે. તેણે કેમ જાણ્યું ?
દાસી બોલી
ફરી બીજે દિવસે [રાત્રે] કહ્યું તેને ચોથાંતરીયો તાવ આવતો હતો. દાસી બોલી – કોઈ બીજી વાર્તા કહો. બે શૌક્યો હતી, એકની પાસે રત્નો હતા, તેણી બીજી પત્નીનો વિશ્વાસ કરતી ન હતી. જ્યારે પણ બહાર જાય કે આવે ત્યારે ઘડામાં રાખેલાં રત્નો જુએ. બીજી પત્ની આ રહસ્ય જાણી ગઈ. રત્નો લઈ લીધા. પહેલી પત્નીએ જાણ્યું કે રત્નો ચોરાઈ ગયા છે. તો તેને જોયા વિના કેમ ખબર પડી? કાલે વાત. ઘડો કાચનો હતો. દાસી બોલી
-
-
બીજે દિવસે કહ્યું કે બીજી વાર્તા કહો – એક રાજાને ચાર પુરુષ રત્નો હતા. તે આ પ્રમાણે – નૈમિતિક, રથકાર, સહસયોધી અને વૈધ. તેમાં કોઈ એકને બદલે ચારને આપી. કેમકે – કન્યા તે રાજાને અતિ સુંદર પુત્રી હતી. તેણીનું કોઈ વિધાધરે હરણ કર્યું. કોઈ જાણતું ન હતું કે ક્યાં લઈ ગયો. રાજા બોલ્યો જે કન્યા લાવે, તેને હું તેણી આપું. પછી નૈમિત્તિક બોલ્યો અમુક દિશામાં લઈ ગયો છે. સ્થકાર વડે આકાશગમન રથ કરાયો. ચારે તે રથમાં બેસી નીકળ્યા. વિધાધરને સહસયોધીએ મારી નાંખ્યો. તેણે પણ મરતા-મરતા પે'લી કન્યાનું મસ્તક છેદી નાંખ્યુ. વૈધે સંજીવની ઔષધિથી જીવિત કરી. ઘેર લાવ્યા. રાજાએ ચારેને કન્યા આપી. કન્યા બોલી – હું ચારેની પત્ની કઈ રીતે થઉં ? હું અગ્નિમાં પ્રવેશીશ. જે મારી સાથે અગ્નિમાં પ્રવેશે, હું તેની થઈશ. કોણ પ્રવેશશે ?
બીજે દિવસે [રાત્રે] કહ્યું નિમિત્તકે નિમિત્તબળથી જાણ્યું કે આ મરશે નહીં, તેણે સાથે અગ્નિ પ્રવેશ સ્વીકાર્યો. કન્યાએ ચિત્તાની નીચે સુરંગ ખોદાવી. અગ્નિ પ્રગટાવ્યો. બંને સુરંગ દ્વારા નીકળી ગયા. કન્યા તેને આપી. દાસી બોલી બીજી વાર્તા કહો. રાણી બોલી - ૪ - ૪ - ૪ - ૪ - આવી આવી વાર્તાઓ કરતા કરતા રોજે રોજ
-
-
-
૧૧૧
-
રાજા તેણીનો વારો જ રાત્રે રાખતો, એ પ્રમાણે છ માસ ગયા. ત્યારે શૌક્ય રાણીઓ તે રાણીના છિદ્રો શોધવા લાગી. તે ચિત્રકાર પુત્રી રાણી ઓડામાં પ્રવેશી એકલી જ પુરાણા વસ્ત્રોને આગળ કરી પોતાના આત્માને નિંદતી કે - તું માત્ર ચિત્રકારપુત્રી છો, આટલું જ તારા પિતાનું છે અને આ જે રાજ્યલક્ષ્મી છે. બીજી ઉદિતોદિત કૂળમાં જન્મેલી રાજકન્યાઓ છે, છતાં તેમને છોડીને રાજા તને અનુવર્તે છે, તો ખોટો ગર્વ ન કરીશ, એ પ્રમાણે રોજેરોજ બારણા બંધ કરીને કરે છે.
બીજી રાણીઓએ કોઈ રીતે તે વાત જાણી લીધી. તેઓ રાજાને પગે પડીને વિજ્ઞપ્તિ કરે છે - આ કાર્પણ કરનારી છે, મારી નાંખશે. તેણી ઓરડામાં પ્રવેશી કાર્પણ
(ge)
(1-1008d)
:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
કરે છે. રાજાએ તે જોયું અને સાંભળ્યું. ખુશ થઈ તેણીને મહારાણીની પદવી આપી. આ દ્રવ્ય નિંદા.
૧૧૨
ભાવનિંદામાં સાધુ વડે આત્માને નિંદવો જોઈએ. હે જીવ ! તારા વડે સંસારમાં ભમતા નસ્ક, તિર્યંય ગતિમાંથી કોઈ રીતે મનુષ્યત્વ અને તેમાં સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર પામ્યો. જેની કૃપાથી સર્વ લોકોને માનનીય અને પૂજનીય થયો છે. તો ગર્વ કરીશ નહીં કે હું બહુશ્રુતાદિ છું.
(૭) ગર્હા - દ્રવ્ય ગર્ભમાં પતિમારિકાનું દૃષ્ટાંત છે. એક બ્રાહ્મણ અધ્યાપક હતો. તેની પત્ની તરુણ હતી. તેણી વૈશ્વદેવને બલિ આપતા બોલતી – હું કાગડાથી ડરું છું. તેથી ઉપાધ્યાયે છાત્રોને નિયુક્ત કર્યા. રોજે રોજ ધનુપ્ ગ્રહણ કરીને રક્ષણ કરતાં ત્યારે તેણી વૈશ્વદેવને બલી કરતી. તેમાં એક છાત્રએ વિચાર્યું કે – આ મુગ્ધા નથી કે કાગડાથી બીવે. તેણી પ્રત્યે શંકાથી જોતો, તેની પાછળ ફરવા લાગ્યો.
-
તેણી નર્મદાના સામા કાંઠે પિંડાર હતો તેનામાં આસક્ત હતી. કોઈ દિવસે તેણી ઘડા વડે નર્મદા નદી તરતી પિંડારની પાસે જતી હતી. ચોરો પણ નદી ઉતરી રહ્યા હતા. તેમાંના એક ચોરને શિશુ મારે પકડ્યો. તે બૂમો પાડવા લાગ્યો. તરુણ સ્ત્રી બોલી – તેની આંખ ઢાંકી દે, ઢાંકી દેતા તે ચોરને છોડી દીધો. તરુણી બોલી કેમ ખરાબ કિનારેથી ઉતર્યો? તે છાત્ર આ બધું જોઈ-જાણીને પાછો ફર્યો. તેણી બીજે દિવસે બલિ કરે છે, તે છત્રનો રક્ષણનો વારો હતો. તે બોલ્યો – દિવસે કાગડાથી બીવે છે, રાત્રિના નર્મદા તરી જાય છે, તું ખરાબ કિનારાને જાણે છે અને આંખના છાદવાની પણ તને ખબર છે.” તે તરુણી બોલી – શું કરું? તારા જેવા મારી ઈચ્છા કરતા નથી. તરુણીએ તે છાત્રને પકડ્યો, બોલ હું તને ગમું છું. છાત્ર બોલ્યો – હું ઉપાધ્યાય આગળ કઈ રીતે રહી શકું? તરુણીએ વિચાર્યું – જો હું આ ઉપાધ્યાયને મારી નાંખુ, તો આ મારો પતિ થશે. ઉપાધ્યાયને મારીને, પેટીમાં પધરાવીને અટવીમાં ફેંકી દેવા નીકળી, કોઈ વ્યંતરીએ તેને સ્તંબિત કરી દીધી. તેણી અટવીમાં ભમવા લાગી. ભુખને સહન કરી શકી નહીં. પછી તે ઉપાધ્યાયનું લોહી તેની ઉપર પડવા લાગ્યું. લોકો હેલણા કરવા લાગ્યા – આ પ્રતિમારિકા જાય છે. તેણી પણ બોલવા લાગી - પતિમારિકાને ભિક્ષા આપો. એમ ઘણો કાળ ગયો. કોઈ દિવસે સાધ્વીના પગે પડતાં માથેથી પેટી પડી ગઈ.
-
પછી દીક્ષા લીધી. આ પ્રમાણે દુદ્ઘત્રિની ગહીં કરવી જોઈએ.
(૮) શુદ્ધિમાં વસ્ત્ર અને અગદ એ બે દૃષ્ટાંતો છે. તેમાં વસ્ત્રદષ્ટાંત - રાજગૃહીમાં શ્રેણિક રાજા હતો, તેણે એક વસ્ત્રની જોડ ધોબીને ઘોવા આપી. કૌમુદી મહોત્સવ હતો. તેણે બંને પત્નીને આપ્યું. શ્રેણિક અને અભય બંને ગુપ્તપણે તેમાં ચાલતા હતા. વસ્ત્ર જોયું. તાંબુલ વડે તેના ઉપર પીંચકારી મારી. બંને સ્ત્રી પાછી આવી ત્યારે ધોબી ખીજાણો. પછી ક્ષાર વડે વસ્ત્ર શુદ્ધ કર્યું. સવારે આવીને વસ્ત્રો રાજાને આપ્યા. રાજાએ સત્ય શું છે ? તે પૂછતા, ધોબીએ સાચી વાત કહી દીધી. આ દ્રવ્ય વિશુદ્ધિ.
એ પ્રમાણે સાધુએ પણ જલ્દીથી આચાર્ય પાસે આલોયના કરવી જોઈએ, તેનાથી વિશુદ્ધિ થાય છે.
'અગદ' જે રીતે નમસ્કારમાં કહેલ છે. એ પ્રમાણે સાધુએ પણ નિંદાને અગદના અતિયાર વિષય મુજબ કરવી જોઈએ. આ વિશુદ્ધિ.
એકાર્થક શબ્દો કહ્યા. હવે રોજેરોજ જે શ્રમણે કરવાનું છે, તે માળીના દૃષ્ટાંતને