SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૩/૧૦ નિ - ૧૨૧. ૧૦૧ (PROOF-1) દૂર થાઉં છું. આટલું સામાન્યથી કહીને વિશેષથી કહે છે – ક્ષમાશ્રમણના ભાવણિત સ્વરૂપ સંબંધી દિવસ વડે નિવૃતા જ્ઞાનાદિ લાભની શાતના અર્થાત્ આશાતના વડે. આ આશાતના 33-કહી. તેમાં ચાર મૂળ આશાતનામાં સમવતરે છે. દ્રવ્યાદિ ચાર આશાતના. દ્રવ્યાશાતના – સત્તિકની સાથે ભોજન કરતો મનોજ્ઞ આહાર પોતે ખાઈ લે, એ પ્રમાણે ઉપધિ અને સંસ્કારકાદિમાં કહેવું. ક્ષેત્રાશાતના - સનિકની નીકટે જવાથી થાય છે, કાલાશાતના-રમે કે વિકાસે બોલાવે ત્યારે મૌનપણે રહે અને ભાવાશાતના - આચાર્યને તું-તા કરીને વાત કરે. એમ બીશે આશાતના આ દ્રવ્યાદિમાં આવી જાય. તેમાં જે કોઈ મિથ્યાને આશ્રીને, મન વડે દુકૃતા તે મનોદતા અથતુ પ્રહેષ નિમિતતાથી. અસાધવચન નિમિતતાયી, નીકટ ગમનાદિ નિમિતે કાયદાકૃતતાથી તથા ક્રોધ-માન-માયા-લોભથી અનુગતપણાથી. તેનો ભાવાર્થ આ છે - ક્રોધાદિ અનુગતથી જે કોઈ વિનયભંસાદિ રૂ૫ આશાતના કરાઈ તેના વડે. એ પ્રમાણે દૈવસિડી આશાતના કહી. ધે આ ભવની અને અભવગત એવા અતીત અને અનાગત કાળના સંગ્રહને માટે કહે છે - સર્વકાળથી, અતીતાદિ નિવૃત્તા, તે સાર્વકાલિકી, તેના વડે. બધી જ મિચ્યોપચારા • માયા સ્થાનગમિત ક્રિયા વિશેષા જેમાં છે તે સંડ્રોપાણાથી. સર્વઘમ - આઠ પ્રવચન માતા, તેનું અતિક્રમણ - ઉલ્લંઘન જેમાં છે તે સર્વધમતિકમણા. આવા પ્રકારની આશાતના વડે. મેં જે અતિચાર-અપરાધ કર્યા. તે અતિચારોનું હે ક્ષમાશ્રમણ ! આપની સાક્ષીએ પ્રતિક્રમણ કરું છું - ફરી ન કરવા વડે નિવડું છું. તથા દુષ્ટ કર્મકારી આત્માને હું પ્રશાંત ભવ ઉદ્વિગયિતથી નિંદુ છું. આપની સાક્ષીએ હું આત્માની નહીં કરું છું. દુષ્ટકર્મકારી આત્માને તેની અનુમતિના ત્યાગ વડે હું વ્યસર્જન કરું છું - તજુ છું. સામાયિકાનુસાર નિંદાદિ પદાર્થો કહેવા. એ પ્રમાણે ખમાવીને ફરી ત્યાં રહીને જ અદ્ધવનતકાયાથી જ બોલે - ‘છfષ માસમ' ઈત્યાદિ બધું કહેવું. માત્ર આટલું વિશેષ કે “હા માસમum' ઈત્યાદિ બધું સૂત્ર આસિયા છોડીને ગુરના પગે પડીને જ કહેવું. શિષ્યના અસંમોહને માટે સત્ર પર્શિક ગાથા સ્વસ્થાને છોડીને કંઈક તેના અર્થકથન વડે જ પદાર્થો જણાવ્યા. • નિયુક્તિ-૧૨૧૮-વિવેચન : ઈચ્છા, અનુજ્ઞાપના, અવ્યાબાધ, ચામા, ચાપના અને અપરાધ ખામણાં આ છે. સ્થાનો વંદનમાં હોય છે. તેમાં ‘ડ્રી' છ ભેદે – • નિર્યુક્તિ-૧૨૧૯-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રમાણે 'રૂ' શબ્દનો નિક્ષેપો છ ભેદે થાય. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યેચ્છા - સચિત્ત આદિ દ્રવ્યનો અભિલાષ કે અનુપયુક્ત કૃષિ એમ કહે. ોગેચ્છા • મગધ આદિ ક્ષેત્રનો અભિલાષ. કાલેચ્છા-રાત્રિ આદિ કાળનો અભિલાષ. - ૧૦૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ x - ભાવેછા • પ્રશસ્ત અને અપશસ્ત બે ભેદે છે. પ્રશસ્તાનને જ્ઞાનાદિ અભિલાષ, પશસ્ત-સંવાદિ અભિલાષ અહીં શિષ્યની ભાવેચ્છાથી અધિકાર છે. ક્ષમાદિ પદો ગાયામાં કહ્યા નથી, તેના યથાસંભવ નિક્ષેપાદિ કહેવા. સુણી હોવાથી અને ગ્રંથ વિસ્તાર ભયથી અહીં કહેલ નથી. ઈચ્છા કહી, હવે અનુજ્ઞા કહે છે. તે પણ છ બેદે છે – • નિર્યુક્તિ-૧૨૨૦-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે અનુજ્ઞાનો નિક્ષેપ થાય છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ સામાન્ય છે. દ્રવ્યાનુજ્ઞા - લૌકિકી, લોકોત્તરા અને કુપાવયનિકી છે. લૌકિકી-સચિત્તાદિ દ્રવ્ય ભેદથી ત્રણ પ્રકારે છે. • x • લોકોત્તર પણ ત્રણ ભેદે છે - કેવળ શિષ્ય, ઉપકરણ સહિત શિષ્ય અને વાદિની અનુજ્ઞા. એ પ્રમાણે કુપાવયનિકીની વક્તવ્યતા કહેવી. ક્ષેત્રાનુજ્ઞા • જે જેને જેટલા ક્ષેત્રની અથવા જે કોગમાં અનુજ્ઞા કરાય તે. કાલાનુજ્ઞા પણ કહેવી. ભાવાનુજ્ઞા આચારાદિ અનુજ્ઞા. અહીં ભાવાનુજ્ઞાનો અધિકાર છે. હવે અહીં ગાથામાં ન કહ્યા છતાં ચાક્ષુeણ હોવાથી અવગ્રહનો નિક્ષેપ કરે છે • નિર્યુક્તિ-૧૨૨૧-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે વિગ્રહનો નિક્ષેપો હોય છે. તેમાં દ્રવ્યાવગ્રહ - સચિત્તાદિ ભેદે છે. ક્ષેગાવગ્રહ - જે જે ક્ષેત્રને અવગ્રહે છે, તેમાં ચોતરફ સવા યોજન. કાલાવગ્રહમાં જે જે કાળને અવગણે છે તે - વર્ષમાં ચાર માસ, તુબદ્ધ કાળે એક માસ. ભાવાવગ્રહ પ્રશસ્ત અને પશત ભેદે છે. પ્રશસ્ત તે જ્ઞાનાદિ અવગ્રહ. અપશસ્ત તે ક્રોધાદિ અવગ્રહ જાણવો. • અથવા - અવગ્રહ પાંચ ભેદે છે – દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, સાગારિક અને સાધર્મિક એ પાંયનો અવગ્રહ વીતરાગ ભગવંતે કહેલ છે. અહીં ભાવ અવગ્રહ અને સાધર્મિક અવગ્રહળો અધિકાર છે. ગુરનો અવગ્રહ, તેમની ચારે દિશામાં તેમના શરીર પ્રમાણનો જાણવો. તે સદા અનનુજ્ઞાત છે, તેમાં પ્રવેશવું કલ્પતું નથી. તેથી તેમાં અનુજ્ઞા પામીને પ્રવેશે છે. • નિર્યુક્તિ-૧૨૨૨-વિવેચન : બહારના ક્ષેત્રમાં રહીને, અનુજ્ઞા પામીને મિત અવગ્રહમાં જોહરણ વડે સ્પર્શે, પછી અવગત ક્ષેત્રમાં પ્રવેશે. કેટલે દૂર સુધી ? તે કહે છે – મસ્તક વડે પાંદ સ્પર્શના થાય ત્યાં સુધી. અવ્યાબાધ દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી - ખગ આદિ વડે આઘાત વ્યાબાઇ કારણ સહિત અને ભાવથી સમ્યગ્દષ્ટિ ચારિત્રવાનને. અહીં પણ કાયાદિના નિક્ષેપ વગેરે યથાસંભવ સ્વબુદ્ધિથી કહેવા. યાત્રા-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી તાપસ આદિનું સવ ક્રિયામાં જવું છે. ભાવથી સાધુનું સ્વક્રિયામાં ઉત્તર્પણ. સાપના બે ભેદે • દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી ઔપઘાદિ વડે કાયાની યાપના. ભાવથી ઈન્દ્રિય અને નોઈન્દ્રિયના ઉપશમથી શરીની. ક્ષામણા : દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી કલુશ શયવાળાના આ લોકના અપાય, ભાવથી સંવેગ પામેલ સમ્યગુર્દષ્ટિના કહે છે - E:Maharajsaheb\Adhayan-33\Book33AL
SR No.009024
Book TitleAgam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy