SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૩૫ * દશા-૬ ઉપાશપ્રતિમા [જે આત્મા શ્રમણપણાના પાલન માટે અસમર્થ હોય તેવા આત્મા શ્રમણપણાનું લક્ષ્ય રાખી તેના ઉપાસક બને છે. તેને શ્રમણોપાસક કહે છે. ટુંક્માં તેઓ ઉપાસક તરીકે ઓળખાય છે. આવા ઉપાસક્તે આત્મા સાધના માટે ૧૧ પ્રતિમા અર્થાત્ વિશિષ્ટ પ્રકારની પ્રતિજ્ઞાનું આરાધન જણાવેલ છે, તેનું અહીં વર્ણન છે.] [૩૫] હે આયુષ્યમાન ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વ મુખેથી મેં એવું સાંભળેલ છે કે “આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી ૧૧ ઉપાસક પ્રતિમાઓ કહી છે. સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી ઈ ૧૧-ઉપાસક પ્રતિમાઓ વ્હેલી છે ? સ્થવિર ભગવંતોએ હેલી ૧૧-ઉપાસક પ્રતિમાઓ આ પ્રમાણે છે – (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, (૭) સૂચિત પરિત્યાગ, (૮) આરંભ પરિત્યાહગ, (૯) પ્રેષ્ય પરિત્યાગ [૧૦] ઉદિષ્ટભક્ત પરિત્યાગ [૧૧] શ્રમણ ભૂત. [પ્રતિમા એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા ૧૫૫ જે અક્રિયાવાદી છે અને જીવાદિ પદાર્થોના અસ્તિત્વનો અપલાપ રે છે, તે નાસ્તિક્વાદી છે. નાસ્તિબુદ્ધિ છે, નાસ્તિક દ્રષ્ટિ છે, જે સમ્યક્વાદી નથી, નિત્યવાદી નથી – ક્ષણિક્વાદી છે. જે પરલોક્વાદી નથી. જે કહે છે કે આલોક નથી, પરલોક નથી, માતા નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવર્તી નથી, બલદેવ નથી, વાસુદેવ નથી, નરક નથી, નારકી નથી, સુકૃત અને દુષ્કૃત ર્મોના ફળ વૃત્તિ વિશેષ નથી, સમ્યક રીતે આચરેલ ક્ર્મ શુભ ફળ દેતા નથી, કુત્સિત રીતે આયરેલા ર્મ અશુભ ફળ દેતા નથી. ક્લ્યાણ ર્મ અને પાપર્મ ફળ રહિત છે. જીવ પરલોક્માં જઈને ઉત્પન્ન થતો નથી. નરક આદિ યાર ગતિવાળો નથી. સિદ્ધિ નથી. - – જે આ પ્રમાણે હે છે, આવી બુદ્ધિવાળો છે, આવી દ્રષ્ટિવાળો છે, આવી ઇચ્છા અને રાગ કે ક્દાગ્રહથી યુક્ત છે, તે મિથ્યાદ્રષ્ટિ જીવ છે. આવો મિથ્યાદ્રષ્ટિ જીવ મહાઇચ્છાવાળો, મહારંભી, મહા પરિગ્રહી છે. ધાર્મિક, અધર્માનુગામી, અધર્મસેવી, અધર્મખ્યાતિવાળો, અધર્માનુરાગી, અધર્મદ્રષ્ટા, અધર્મજીવી, અધર્માંતુક્ત, અધાર્મિક શીલવાળો, અધાર્મિક આચરણવાળો, અધર્મથીજ આજીવિકા કરતાં વિચરે છે. તે મિથ્યાદ્રષ્ટિ નાસ્તિક આજીવિકા માટે બીજાને કહે છે. જીવોને મારો, તેના અંગોને છેદો, માથું-પેટ વગેરે ભેદો, પો, તેના પોતાના હાથ લોહીથી ખરડાયેલા છે. તે ચંડ, રૌદ્ર અને ક્ષુદ્ર હોય છે. વિના વિચાર્યે કાર્ય રકે છે, સાહસિક હોય છે, લોકોની રિશ્વત લે છે. ચેતરપિંડી, માયા, છળ, ડ, પટ અને માયાજાળ રચવામાં કુશળ હોય છે તે દુઃશીલ, દુષ્ટજનોનો પરિચિત, દુશ્વસ્ત્રિ, દારુણસ્વભાવી, દુષ્ટતતી, દુષ્ટત કરવામાં આનંદિત હોય છે. શીલરહિત, ગુણરહિત, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ ન કરનારો અને અસાધુ હોય છે. તે યાવજીવને માટે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી અપ્રતિવિરત રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy