________________
૧૪
૩૭ દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૪
મૂળ સૂત્ર આનુવાદ
દસાગ્રુતસ્કંધને હાલ ચોથા છેદ સૂત્ર રૂપે સ્વીકારાયેલ છે જેના ઉપરની ચૂર્ણિ સુપાય છે. અમે અમારા માગસુત્તજિ-સન્ન માં આ સૂત્રને નિયુક્તિ અને શૂર્ણિ સહિત પ્રકાશિત રેલ છે. સૂત્રના રહસ્યને સમજવા આ ચૂર્ણિ અત્યંત ઉપયોગી પણ છે. વળી છેદસૂત્રોની કહેવાતી ગોપનીયતા અહીં લાગુ પણ પડતી નથી. છતાં ગતાનુગતિક્તાથી થતાં વિરોધને કારણે અમે અહીં માત્ર મૂળ સૂત્રનો અનુવાદ રજૂ રેલ છે.
મી દશા-૧ “અસમાધિસ્થાન” સંયમના સામાન્ય દોષ કે અતિચારને અહીં “અસમાધિસ્થાન” કહેલ છે. જેમ શરીરની સમાધિ-શાંતિ પૂર્ણ અવસ્થામાં સામાન્ય રોગ કે પીડા બાધક બનતા હોય છે. ક્રાંટો લાગ્યો હોય કે દાંત-કાન-ગળામાં કોઈ દુખાવો હોય કે શરદી જેવો સામાન્ય વ્યાધિ હોય તો શરીરની સમાધિ-સ્વસથતા રહેતી નથી. તેમ સંયમમાં નાના કે અલ્પ દોષોથી પણ સ્વસ્થતા રહેતો નથી. તેથી આ સ્થાનોને અસમાધિસ્થાનો ક્યા છે. જે આ પ્રથમા દશામાં વર્ણવેલા છે.
[9] અરિહંતોને મારા નમસ્કાર થાઓ, સિદ્ધોને મારા નમસ્કાર થાઓ, આચાર્યોને મારા નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને મારા નમસ્કાર થાઓ. લોમાં રહેલા સર્વે સાધુને મારા નમસ્કાર થાઓ.
- આ પાંચને રેલો નમસ્કાર – સર્વ પાપનો નાશક છે. સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
હે આયુષ્યમાન છે તે નિર્વાણધામ ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલ
રિ) આ જિન પ્રવચનમાં) નિશ્ચિયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન કહેલાં છે. એ સ્થાનો ક્યા છે ?
૧. અતિ શીધ્ર ચાલવાવાળા હોવું.
૨. અપમાજિંતાચારી હોવું – રજોહરણ આદિથી પ્રમાર્જના ક્યા સિવાયના સ્થાને ચાલવું ઇત્યાદિ.
૩. દુઝમાર્જિતાચારી હોવું – ઉપયોગરહિતપણે કે આમતેમ જોતાં જોતાં પ્રમાર્જના ક્રવી.
૪. વધારાના શય્યા-આસન રાખવા. શ – શરીર પ્રમાણ લંબાઈવાળી હોય. માન સ્વાધ્યાયાદિ જેના ઉપર જાય છે.
૫. દીક્ષા પર્યાયમાં મોટા હોય તેની સામે બોલવું ૬. સ્થવિરો અને ઉપલક્ષણથી મુનિ માત્રના ઘાતને ચિંતવવાં. ૭. પૃથ્વીાય આદિ જીવોનો ઘાત રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org