________________
૧૦
૩૬ વ્યવહાર-છેદત્ર-૩
મૂળ સૂત્ર અનુવાદ • આ વ્યવહાર-છેદસૂત્રમાં દશ ઉદ્દેશાઓ છે. દશે ઉદ્દેશા મળીને કુલ ૨૮૫ સૂબો નોંધાયેલા છે. વ્યવહારસૂત્રનું ભાષ્ય હાલ ઉપલબ્ધ છે, તેના ઉપર પૂજ્ય મલયગિરિજીની ટીમ ચાયેલી છે. જે બંને અમારા ગ્રામસુત્તજિ-સદ્ધ માં છપાયેલા છે. અમારી ઇચ્છા સંપૂર્ણ અનુવાદની હોવા છતાં, વડીલોમાં સટીઅનુવાદ પ્રગટ ક્રવા વિશે એમતી ન હોવાથી માત્ર સૂત્રનો અનુવાદ રેલ છે.
ઉદેશો-૧ જ • આ ઉદ્દેશામાં સૂત્ર-૧ થી ૬૫ એટલે કે કુલ ૬૫-સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે–
[૧] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરી આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના ક્રે તો બે માસ પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ એક વખત બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રી આલોચના ક્રે તો તેને માયારહિત આલોચનાથી બે માસનું અને માયાસહિત આલોચના કરે તો ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે. - [૩] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રી આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના ક્રમાં ત્રણ માસનું અને માયા સહિત આલોચના જતાં ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે.
૪િ, ૫] ઉપરોક્ત આલાવા મુજબ ચાર માસે – ચાર માસ અને પાંચ માસ તથા પાંચ માસે – પાંચ માસ અને છ માસ પ્રાયશ્ચિત્ત જાણવું પરંતુ તેથી ઉપરાંત માયાસહિત કે માયારહિત આલોચના કરે તો પણ તે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે.
૬િ] જે સાધુ અનેક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના રે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના બે માસનું પ્રાયશ્ચિત્ત.
9] જે સાધુ અનેક વાર બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના રે તો તેને માયારહિત આલોચના ક્રમાં બેમાસી પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત કરતાં ત્રિમાસી પ્રાયશ્ચિત્ત આવે.
[૮, ૯, ૧૦) ઉક્ત આલાવા મુજબ માયારહિત અને માયાસહિત આલોચનાથી પ્રાયશ્ચિત્ત અનુક્રમે, અનેક્વાર ત્રણમાસી સેવનમાં ત્રણ માસ અને ચાર માસ, ચારમાસી સેવનમાં ચાર માસ અને પાંચ માસ, પાંચમાસી સેવનમાં પાંચ માસ અને છ માસ એ રીતે આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org