________________ 2/47 થી 49 193 194 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વેગવતી ધારાનો જે નિપાત, તે પ્રચુર પ્રમાણમાં જે વર્ષામાં છે તે. એવી વનિ વરસાવે છે. બીજા ગ્રંથમાં આ ક્ષારમેઘાદિ 100 વર્ષ જૂન 21,000 વર્ષ પ્રમાણ દુ:ષમાકાળ અતિકમ્યા પછી વસે છે. - હવે તે અરસ મેઘાદિના વરસવાથી શું કરશે? તે કહે છે - જે વસવાના કરણરૂપથી પૂર્વોક્ત વિશેષણવાળો મેઘ વિધ્વંસ કરે છે તે. ભરત વર્ષમાં ગ્રામ આદિ આશ્રમ સુધીના પૂર્વે વ્યાખ્યાયિત કરેલ છે, તેમાં રહેલ જનપદ-મનુષ્યલોક, ચતુષ્પદગાય,ભેંસ આદિ. ગો શબ્દથી ગોમતિક ઘેટી વગેરે લેવી. તથા ખેચ-વૈતાદ્યવાસી વિધાધરો તથા પક્ષી સંઘો. તથા ગામ અને અરણ્યમાં જે વિચરણ, તેમાં આસકત બસ અને પ્રાણ એટલે બેઈન્દ્રિયાદિ ઘણાં પ્રકારે. તથા વૃક્ષ-આમ આદિ, ગુચ્છ-વૃંતાકી આદિ, ગુલ્મ-નવ માલિકા આદિ, લતાઅશોકલતા આદિ, વલ્લી-વાdડી આદિ પ્રવાલ-પાલવ, કર - શાલ્યાદિ બીજા ઈત્યાદિ તૃણ-વનસ્પતિ કાયિક-બાબર વનસ્પતિકાયિકો. કેમકે સૂક્ષ્મ વનસ્પતિકાયિકોને તેમના વડે ઉપઘાતનો અસંભવ છે. તથા ઔષધિ-શાલિ આદિ. પર્વતાદિ અન્યત્ર એકાઈપણે રૂઢ છે, તો પણ અહીં વિશેષથી જાણવા. તે આ પ્રમાણે- પર્વતન અથતિ ઉત્સવ વિસ્તરણથી પર્વત-સ્ક્રીડા પર્વત- ઉજ્જયંત, વૈભારાદિ. મૃણન્તિ-લોકોના નિવાસ રૂપcથી બોલાવાય છે તે ગિરિ-ગોપાલગિરિ, ચિત્રકૂટ આદિ. ડુંગ-શિલાછંદ કે ચોરવૃંદ જ્યાં હોય છે તે તેને પ્રત્યય લાગીને બન્યું ડુંગર અર્થાત્ શિલોચ્ચય માગરૂપ. ઉન્નત - ઉંચી ધૂળના ઢગ રૂપ સ્થળ, ભક્રિ-બ્રાષ્ટ્ર, પાંસુ આદિ સિવાયની ભૂમિ. ઉકત સર્વે સ્થાનો પછી ગઈક શબ્દ છે, તેનાથી પ્રાસાદ અને શિખરાદિ પણ ગ્રહણ કરવા. શબ્દ મેઘોની બીજી ક્રિયા જણાવે છે. “વિદ્રાવણ કરશે” એ ક્રિયાયોગ કહેલો છે. આ અર્થમાં અપવાદસૂત્ર કહે છે - વૈતાદ્યગિરિ સિવાયના પર્વતાદિ લેવા કેમકે તે પર્વતો શાશ્વત હોવાથી તેનો વિવંસ ન થાય. ઉપલક્ષણથી નષભકૂટ (પણ લેવા) અને પ્રાયઃ શાશ્વતપણાથી શત્રુંજય ગિરિ આદિનું પણ વર્જન કરવું. તથા સલિલબિલ-જમીનના ઝરણાં અને વિષમગર્તા-પૂરી ન શકાય તેવા શભઉંડા ખાડા, ક્યાકં દુર્ગપદ પણ દેખાય છે, ત્યાં દુર્ગ-ખાત વલય પ્રાકાર આદિ દુર્ગમ. નિગ્ન અને ઉન્નત તે ઉંચા નીચા, તેમાં પણ શાશ્વત નદીપણાથી ગંગા અને સિંધુ બંનેનું વર્જન કરેલ છે. - હવે ત્યાં ભરતભૂમિના સ્વરૂપનો પ્રશ્ન કહે છે - ભગવન્! તે આરામાં ભરતની ભૂમિનું સ્વરૂપ કેવું હશે ? ભગવંતે કહ્યું - ગૌતમ! [આવી ભૂમિ થશે :- અંગારભૂત-જવાલારહિત અગ્નિના પિંડપ, મુમુદભૂત * વિરલ અગ્નિકણરૂપ, ક્ષારિકભૂત-ભસ્મરૂપ, તપ્ત 2i5/13] કવેલુકભૂત - અગ્નિથી અતિ તપેલ રેતી જેવી, તતસમ જ્યોતિભૂત - તાપ વડે તુલ અગ્નિરૂપ થયેલી છે. ધૂલિબહુલ - ધૂળ ધણી હોય તેવી, રેણુ-રેતી, પંક-કાદવ, પનક-પાતળો કાદવ, ચલની-ચાલી શકાય તેટલા પ્રમાણવાળો કાદવ. - ઉક્ત કારણોથી ભૂમિમાં ચાલતા ઘણાં જીવોને દુઃખથી સતત ક્રમણ-ચાલવાનું જેમાં છે તે દુર્નિક્રમ અર્થાત દુરતિક્રમણીય છે. આપ શબ્દથી દુઃખે કરીને બેસવું આદિ પણ સમજી લેવું. * * * * * - હવે ત્યાંના મનુષ્યોનું સ્વરૂપ પૂછે છે - પ્રશ્નસૂત્ર પૂર્વવત્ છે. ઉત્તરસૂત્રમાં કહે છે - ગૌતમ તે મનુષ્યો આવા પ્રકારના થાય છે - કેવા ? દૂરૂપ-દુષ્ટ સ્વભાવવાળા. દુવર્ણ - કુત્સિત વર્ણવાળા, એ પ્રમાણે દુર્ગન્ધી, દૂરસા-રોહિણી આદિવ4 કુત્રિત રસયુક્ત. દુસ્પર્શ કર્કશ આદિ કુત્સિત સ્પર્શવાળા, અનિષ્ટ-અનિચ્છનીય વિષયવાળા, પરંતુ અનિષ્ટ કંઈક કમનીય પણ હોય, તેથી કહે છે - અકાંત એટલે કમનીય. કાંત પણ કંઈક કારણવશથી પ્રીતિને માટે થાય, તેથી અપ્રિય-અપ્રિયહેતુક. તેમનું અપિયત કઈ રીતે થાય? તે કહે છે - અશુભ એટલે અશોભન ભાવરૂપવથી. અશુભત્વને વિશેષથી કહે છે - મન વડે અર્થાત અન્તઃ સંવેદનથી શુભપણે ન જણાય, તેથી અમનોજ્ઞ. અમનોજ્ઞપણે અનુભૂત છતાં મૃતિદશામાં દશાવિશેષથી કંઈક મનોજ્ઞ હોય, તેથી કહે છે - અમનોમ અર્થાત્ મન વડે ફરી સ્મરણ કરવું ન ગમે તેવું. અથવા આ બધાં શબ્દો એકાર્થિક છે, તે અનિષ્ટતાના પ્રકન સચવનારા જાણવા. અનિષ્ટાદિ વિશેષણયુક્ત હોવા છતાં કેટલાંક ડુંબની જેમ સુસ્વરવાળા હોય છે, તેથી કહે છે - હીન - ગ્લાનની જેવો સ્વર જેમનો છે તે. દીન-દુ:ખિતની જેવા સ્વસ્વાળા, અનિષ્ટાદિ શબ્દો ઉક્ત અર્થવાળા છે, તે જ અહીં સ્વર સાથે યોજવા. અનાદેયવચનપ્રત્યાજાતા - અસુભગપણાથી અગ્રાહ્ય વચન, તેવા પ્રકારે જેમનો જન્મ છે તે. નિર્લજ, કુટ-ભ્રાંતિજનકદ્રવ્ય, કપટ-બીજાને છેતવા માટે વેષાંતર કરવો તે, કલહ, વધ-હાથ આદિ વડે તાડન કરવું તે. બંધ-દોરડા વડે બાંધવા, વૈર, આ બધામાં નિર. મર્યાદા અતિક્રમમાં પ્રધાન, અકાર્યમાં નિત્ય ઉધત, ગુરુ-માતા આદિ વડીલ, તેમનો નિયોગ-આજ્ઞા, તેમાં જે વિનય-“હા, ભલે' ઇત્યાદિરૂપ, તેનાથી હિd. | વિકલ * અસંપૂર્ણ, કાણો - ચાર અંગુલિકાદિ સ્વભાવપણાથી રૂપ જેમનું છે છે. પ્રરૂઢ - ખાડામાં પડેલ સૂકરની જેમ આ જન્મ સંસ્કારના અભાવથી વધી ગયેલા નખ, વાળ, દાઢી-મૂંછ અને રોમ-વાળ જેમના છે તે, કાલા-કૃતાંત સદેશ અથવા કૂપ્રકૃતિપણાથી ખર પુરુષ - સ્પર્શથી અતિ કઠોર, શ્યામવર્ણ-નીલી કુંડમાં નાંખેલ કે કાઢેલ પુરુષ - સ્પર્શથી અતિ કઠોર, શ્યામવર્ણ - નીલીકુંડમાં નાંખેલ કે કાટેલ એવા. ક્યાંક ધ્યામવર્ણ એવું પદ પણ દેખાય છે, તેનો અર્થ અનુવલ - ઉજ્જવલ નહીં તેવા વર્ણવાળા છે.