________________ 2/47 થી 49 11 પૂર્ણ હાથ જાણવો. તે મનુષ્યો જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સાતિરેક 130 વર્ષ આયુ પાળે છે. કોઈક-કોઈક નરકગતિગામી છે ચાવત્ બધાં દુઃખોનો અંત કરનારા થાય છે. આ અંતક્રિયા ચોથા આરામાં જન્મેલા પુરુષોની અપેક્ષા વડે છે. કેમકે તેઓ જ પાંચમાં આરામાં સિદ્ધ થાય છે . જંબુસ્વામી માફક પરંતુ સંકરણને આશ્રીને આ ન વિચારવું. તેમ હોવાથી જ પહેલા અને છઠ્ઠા આરા આદિમાં આ પાઠ પ્રાપ્ત થાય છે. અહીં પાળે છે, અંત કરે છે ઈત્યાદિમાં ભવિષ્યકાળના પ્રયોગમાં કઈ રીતે વર્તમાનનો નિર્દેશ છે ? તે કહે છે - બધી જ અવસર્પિણીમાં પાંચમાં આરામાં આ જ સ્વરૂપ છે, એ પ્રમાણે નિત્ય પ્રવૃત્ત હોવાથી વર્તમાનકાળમાં વર્તમાનનો પ્રયોગ છે. જેમ “બે સાગરોપમ કાળમાં શક્ર રાજય કરે છે” તે રીતે (આ વર્તમાન નિર્દેશ જાણવો.] તો પછી “દુ:ષમ આરામાં કાળ પ્રાપ્ત થશે" ઈત્યાદિ પ્રયોગ કઈ રીતે છે ? તે કહે છે - પ્રજ્ઞાપકપુરની અપેક્ષાથી આ પ્રયોગ છે. કરી પણ તે કાળમાં બીજું શું-શું વર્તે છે, તે કહે છે - તે દુષમા નામના આરામાં પાછલાં ત્રિભાગમાં વર્ષસહસ્ત્ર સપ્તક પ્રમાણ અતિક્રાંત થતાં પરંતુ બાકી કાળમાં નહીં, તેમ હોવાથી 21,000 વર્ષ પ્રમાણ શ્રી વીર ભગવંતના તીર્થના અભૂચ્છિન્ન કાળની અાપૂર્તિમાં - સમુદાય, નિજાતિ, તેનાં ધર્મ-વસ્વ પ્રવર્તિત વ્યવહાર વિવાહાદિ, પાખંડ-શાક્યાદિનો ધર્મ પ્રસિદ્ધ છે, રાજધર્મ-નિગ્રહ અનુગહાદિ, જાતિતેજ - અગ્નિ, તે પણ અતિનિશ્વ સમસષમાદિ જેવો નહીં, અતિરૂક્ષ-દષમદ:શ્વમાદિ જેવો નહીં. તેવો ઉત્પન્ન થશે. 2 કારથી અગ્નિહેતુક “સંધવા આદિ"નો વ્યવહાર. ચરણધર્મ-ચારિત્રધર્મ a શબ્દથી ગચ્છ વ્યવહાર. - X- વિચ્છેદને પ્રાપ્ત થશે. સમ્યકત્વ ધર્મ કેટલાંકને સંભવે છે. બિલવાસીને અતિ લિખવથી ચાસ્ત્રિનો અભાવ જ છે. તેથી જ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે - પ્રાયઃ કરીને ધર્મસંજ્ઞાથી પ્રભ્રષ્ટ થયેલા છે. અહીં સત્ર શબ્દ પ્રાયઃ અર્થમાં ગ્રહણ કરવો. ક્યારેક સમ્યકત્વને પામે પણ છે, એવો ભાવ છે. પાંચમો આરો પુરો થયો, હવે છઠ્ઠાનો આરંભ કરે છે - તે આરાના 21,000 વર્ષ પ્રમાણ કાળ વ્યતીત થતાં અનંત વર્ણ પર્યાયિથી તેમજ ગંધ-સ્પર્શ પર્યાયોથી સાવ ઘટતાં-ઘટતાં દુષમ-દુ:ષમ નામનો આરો પ્રાપ્ત થશે. હવે તે વખતના ભરતનું સ્વરૂપ કહે છે - તે આરામાં ઉત્તમ કાહાપ્રાપ્ત થતું ઉત્તમ અવસ્થાગતમાં અથવા પરમકષ્ટ પ્રાપ્ત સ્થિતિમાં ભરતનું કેવું કેવા પ્રકારે, આકારભાવ-આકૃતિલક્ષણ પર્યાયનો પ્રત્યવતાર-અવતરણ તે આકારભાવ પ્રત્યવતાર [સ્વરૂપ કહેલું છે. 192 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભગવંતે કહ્યું - ગૌતમાં એમ આમંત્રીને હવે કહેવાનાર વિશિષ્ટ કાળ થસે, કેવા પ્રકારે? તે કહે છે - હાહાભૂત - એટલે ‘હાહા' એ પ્રમાણે આ શબ્દનું દુ:ખાdલોક વડે કરણ તે હાહા કહેવાય છે. તે રૂર પ્રાપ્ત જે કાળ, તે ‘હાહાભૂત’ કાળ. “ભાંભા' એ દુ:ખાd ગાય આદિથી કરાય તે * ભાંભરવું, એવો જે કાળ તે ‘સંભાભૂત’ કાળ. આ બંને અનુકરણ શબ્દો છે અથવા ભંભા એટલે ‘ભેરી’ તે અંતઃશૂન્ય છે, તેથી ભંભા સમાન જે કાળ, જનક્ષયથી તે શૂન્ય, તેને ભભાભૂત' કહે છે. કોલાહલ - એ પીડિત પક્ષીનો સમૂહદવનિ છે, તે રૂપ પ્રાપ્ત, તે કોલાહલભૂત. સમઅનુભાવથી - કાળ વિશેષ સામર્થ્યથી. અહીં કાર એ વાચ્યાંતર દશવિ છે. ખરપર - અત્યંત કઠોર અને ધૂળથી મલિન જે વાયુ તે તથા દુર્વિષહ-દુસ્સહ અથ વ્યાકુળ, અસમંજસ. ભયંકર વાય છે. * x * સંવર્તક - તૃણ, કાષ્ઠ આદિનો અપહાક વાયુ વિશેષ, તે પણ વાય છે અહીં આ કાળમાં વારંવાર ધૂમાળોને ઉંચે ફેંકતી એવી દિશા હોય છે. તે કેવા પ્રકારની હોય ? તે કહે છે - ચોતરફ જવાળી, તેથી જ રેણુ-રજ વડે કલુષ-મલિન તથા તમ પટલઅંધકારના વૃંદથી નિરાલોક-પ્રકાશ વગરની, અથવા જ્યાં દૃષ્ટિ પ્રસરી શકતી નથી તેવી. કેમકે સમય અને કાળની રક્ષતા છે. અધિક, અહિત કે અપચ્ય ચંદ્ર શીતહિમને છોડે છે. તે રીતે જ સૂર્ય પણ તપે છે અથ તાપને મુકે છે. કાળની રુક્ષતાથી શરીરની સૂક્ષતા છે, તેનાથી અધિક શીત-ઉષ્ણ પરાભવ છે. હવે ફરી તેનું સ્વરૂપ ભગવંત સ્વયં જ કહે છે - વળી બીજું એ કે હે ગૌતમાં વારંવાર અરણ - મનોજ્ઞસ વર્જિત પાણીવાળો જે મેઘ છે તે, વિરસ-વિરદ્ધ રસવાળો જે મેઘ છે તે. આ જ વાતને વધુ વ્યક્ત કરે છે - ક્ષારમેઘ - સદિ ક્ષાર સમાન જળથી યુક્ત મેઘ. ખાત્રમેઘ-છાણ જેવા સના જળથી યુક્ત મેઘ, કવયિત્ ત્યાં ખાટા પાણીવાળો મેઘ, અગ્નિમેઘ-અગ્નિવત્ દાહકારી જળવાળો મેઘ, વિધુતપ્રધાનની જેમ જળ વર્જિત મેઘ અથવા વિધુનો નિપાત કરતો કે વિધુ નિપાત કાર્યકારી જળનિપાતવાળો મેઘ, વિષમેઘ-લોકોના મરણ થાય તેવા હેતુવાળો મેઘ, અહીં ‘અસનિમેઘ” એવું પદ પણ ક્યાંક દેખાય છે. તેનો અર્થ આ છે - કચ્છ આદિનો નિપાત કરતો પર્વતાદિના વિદારણમાં સમર્થ જલપણાથી વજમેઘ, અયાપનીય - પ્રયોજન જલ જેમાં છે તે અર્થાત અસમાધાનકારી જળ. ક્યારેક ન પીવાયોગ્ય જલ પણ હોય. આ જ કથનને સ્પષ્ટ કરે છે - વ્યાધિરોગ-વેદના-પરિણામ જળ. અહીં વ્યાધિ-સ્થિર કુહાદિ, રોગ-સધઘાતી શૂલાદિ, તેમાંથી ઉસ્થિત જે વેદનાની ઉદીરણાઅપ્રાપ્ત સમયમાં ઉદયને પ્રાપ્ત, તે પરિણામ-પરિપાક જે પાણીનો છે તે. તે એવા પ્રકારે જલ જેમાં છે છે. તેથી જ અમનોજ્ઞ પાણી, ચંડ પવન વડે પ્રહત, તીણ