SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮/૧/-/૫૫૫ ૧૧૩ તેમાં લોમાહારનો સમગ્રપણે આહાર કરે છે. કેમકે તે પુદ્ગલનો તેવો સ્વભાવ છે. પણ પ્રોપાહારનો અસંખ્યાતમો ભાગ આહાર કરે છે. ઘણાં દ્રવ્યો ન સ્પશર્મિલ, ન સ્વાદ લીધેલા નાશ પામે છે. તેમાં કેટલાંક અતિ સ્થૂળપણાથી, કેટલાંક અતિ સૂક્ષ્મપણાથી નાશ પામે છે. હવે અલ્પબવ કહે છે - અહીં આહારના એકૈક સ્પર્શયોગ્ય ભાગનો અનંતમો ભાગ આસ્વાધ હોય છે. તેમાં કેટલાંક આસ્વાદને પ્રાપ્ત થાય, કેટલાંક આસ્વાદને પ્રાપ્ત ન થાય. તેથી આસ્વાદને ન પ્રાપ્ત થયેલા પુદ્ગલો થોડાં જ છે, કેમકે ન સ્પશયેિલ પુદ્ગલોની અપેક્ષાએ તેઓ અનંતમાં ભાગના છે, ન ૫શયેલા પુદ્ગલો અનંતગણાં છે • x - બેઈન્દ્રિયમાં કહ્યું તેમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. કેમકે તેમની સમાન વક્તવ્યતા છે. પરંતુ જે પુદ્ગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે. તેના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનેક હજાર - અસંખ્યાતા ભાગો સુંધ્યા સિવાય, સ્પર્યા કે આસ્વાધા સિવાય નાશ પામે છે. અહીં એકૈક સ્પર્શયોગ્ય ભાગનો અનંતમો ભાગ આસ્વાદ્ય છે, તેનો અનંતમો ભાગ સુંઘવા યોગ્ય છે. માટે ઉક્ત અલાબહવ થાય છે. પંચેન્દ્રિય સૂત્રમાં અંતર્મુહૂર્ત જતાં આહારેચ્છા થાય છે. ઉત્કૃષ્ટથી બે દિવસ પછી આહારેચ્છા થાય છે. આ દેવકુર-ઉત્તરકુરના તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાઓ સમજવું. મનુષ્ય સૂત્રમાં ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ ગયા પછી આહારેચ્છા થાય છે. તે પણ કુરુક્ષેત્રાપેક્ષાએ છે. વ્યંતર સૂત્રમાં નાગકુમાર માફક કહેવું, જ્યોતિક સૂગ પણ તેમજ જાણવું. વિશેષ એ કે - જઘન્ય કે ઉત્કૃષ્ટ દિવસ પૃથકવ પછી આહારેચ્છા થાય છે. જ્યોતિકો જઘન્યથી પણ પલ્યોપમના આઠમા ભાગના આયુવાળા હોય. તેથી બે દિવસથી નવ દિવસ ગયા પછી પુનઃ આહારેચ્છા થાય છે. વૈમાનિકમાં વિશેષ એ છે - જઘન્ય દિવસ પૃથકત્વ આહાર કહ્યો તે પલ્યોપમાદિ આયુવાળા માટે જાણવો, ઉત્કૃષ્ટથી 33,૦૦૦ વર્ષે કહ્યું તે અનુત્તર દેવાપેક્ષાઓ જાણવું. * * * * * હવે એકેન્દ્રિય શરીરાદિ સંબંધે અધિકાર - • સૂત્ર-૫૫૬ : ભગવન / નૈવિકો શું એકેન્દ્રિય શરીરનો આહાર કરે કે યાવતુ પંચેન્દ્રિય શરીરનો 1 ગૌતમ પૂર્વભાવની પ્રાપનાને આશ્રીને તે પાંચે શરીરનો આહાર, કરે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રીને અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે, એમ નિતકુમાર સુધી છે. પૃdીકાયિકો વિશે પૃચ્છા - પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી એમ જ સમજવું. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાથી અવમ એકેન્દ્રિય શરીરોનો આહાર કરે. બેઈન્દ્રિયો પૂવભાવ પ્રજ્ઞાપનાથી તેમજ છે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાથી અવશ્ય બેઈન્દ્રિય શરીરોનો આહાર કરે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પરંતુ વર્તમાન ભાવ પ્રજ્ઞાાપનામાં જેને જેટલી ઈન્દ્રિયો હોય છે તેટલી ઈન્દ્રિયવાળા શરીરનો આહાર કરે. બાકી [22/8] ૧૧૪ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ બધું નૈરયિકો વત વૈમાનિક સુધી જાણવું. ભગવન્! મૈરયિકો લોમાહારી છે કે પ્રક્ષેuહારી છે ? લોમાહારી છે, પ્રક્ષેપાહારી નથી, એમ એકેન્દ્રિયો અને સર્વે દેવો કહેવા. બેઈનિદ્રયો યાવત મનુષ્યો લોમાહારી, પ્રક્ષેપાહારી બંને પણ હોય. • વિવેચન-૫૫૬ : પ્રશ્નસૂગ સુગમ છે. ઉત્તર - પૂર્વભાવની પ્રરૂપણાને આશ્રીને રોકે છે. તે ચઉ તથા પંચેન્દ્રિયના શરીરોનો પણ આહાર કરે છે. જ્યારે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલો અતીતકાળના ભાવનો વિચાર કરીએ ત્યારે કેટલાંક કોઈક કાળે કેન્દ્રિય શરીરરૂપે ચાવતુ પંચેન્દ્રિય શરીરરૂપે પરિણમેલા હતા. તેથી ભૂતકાળના પરિણામનો હાલ વર્તમાનમાં આરોપણ કરી વિવક્ષા કરીએ ત્યારે નૈરયિકો પાંચે શરીરોનો આહાર કરે છે. વર્તમાન ભાવ પ્રરૂપણાથી અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. - X - X - X • એમ ભવનપતિ સુધી કહેવું. પૃથ્વીકાયિક સૂત્રમાં વર્તમાન ભાવ પ્રરૂપણામાં અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એમ કહેવું. કેમકે તેઓ એકેન્દ્રિયો હોવાથી તેમના શરીરો એનયિો છે. એમ બેઈન્દ્રિયથી ચઉરિન્દ્રિય સૂત્રમાં તેના-તેના શરીરોનો આહાર કરે છે. તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, વ્યંતર, જ્યોતિકો, વૈમાનિકોને નૈરયિકવત્ કહેવા. હવે લોમાહારની વિચારણા - સૂત્ર સુગમ છે. પરંતુ નૈરયિકોને વૈક્રિય શરીરોનો તથાવિધ સ્વભાવ હોવાથી પ્રોપાહાર ન હોય. લોમાહાર પણ પયતાને હોય, પતિાને નહીં. એમ નૈરયિકોને કહ્યા મુજબ એકેન્દ્રિયો તથા અસુરકુમારથી વૈમાનિક સુધી બધાં દેવો કહેવા. તેમાં એકેન્દ્રિયોને મુખ ન હોવાથી પ્રક્ષેપાહાર ન હોય. અસુકુમારદિને વૈક્રિય શરીરને લીધે તથાવિધ પ્રક્ષેપાહાર ન હોય. પરંતુ વિકલેન્દ્રિય, પંચે તિર્યંચ અને મનુષ્યો લોકાહારી અને પ્રક્ષેપાહારી બંને કહેવા. કેમકે બંને પ્રકારે આહાર તેમને સંભવે છે. હવે છેલ્લા અધિકારને કહેવા સૂત્રકાર જણાવે છે – • સૂત્ર-૫૫૩ - ભગવન નૈરયિકો ઓજાહારી અને મનોભક્ષી હોય છે ? ગૌતમ! ઓજાહારી હોય, મનોભક્ષી નહીં. એમ બધાં ઔદ્યારિક શરીરી જાણવા. વૈમાનિક સુધીના બધાં દેવો ઓજાહારી અને મનોભક્ષી હોય. તેમાં મનોભક્ષી દેવોને “અમે મન વડે ભક્ષણ કરવા ઈચ્છીએ છીએ” એવું ઈચ્છાપધાન મન થાય છે. તે દેવો એવો વિચાર કરે છે ત્યારે તુરંત જ ઈષ્ટ, કાંત ચાવતું મનોનુકૂળ પુદગલો તેમને મનોભક્ષણરૂપે પરિણમે છે. જેમ શીત યુગલો શીતયોનિક જીવને આશીને શીતયે પરિણમીને રહે, ઉષ્ણ યુગલો ઉ@યોનિક જીવને આણીને ઉણપે થઈને રહે, એમ તે દેવો મનોભક્ષણ કરે ત્યારે તેમનું આહારનું ઈચ્છાપધાન મન જલ્દીથી શાંત થાય છે.
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy