SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨/-|-|૫૨૭,૫૨૮ આ સંસારાટવીમાં ભ્રમણ કરતાં સર્વ જીવો એ તે - તે સ્થાનોમાં શરીર, આયુધાદિ છોડ્યા છે, તે શસ્ત્રો વડે જ્યારે કોઈને સ્વયં પીડાદિ થાય, ત્યારે ભવાંતરમાં ગયેલ તેના માલિકને પણ તેનાથી નિવૃત્ત થયેલો ન હોવાથી ક્રિયાનો સંભવ છે, પણ તેનો ત્યાગ કરે તો સંભવ નથી. દૃષ્ટાંત-વસંતપુરે અજિતસેન રાજાના સેવક બે કુલપુત્રો છે. એક શ્રાવક, બીજો મિથ્યાદૅષ્ટિ. રાજાને રાત્રિએ બહાર જવાનું થયું, ઘોડે ચડતાં ખડ્ગો પડી ગયા, શ્રાવક કુલપુત્રને ખડ્ગ ન મળ્યું. બીજો બોલ્યો ‘ખડ્ગ નહીં મળે! શ્રાવકે અધિકરણ સમજી વોસિરાવ્યું, રાજપુરુષે ખડ્ગ લેનારને પકડ્યા. તેમણે રાજાના પ્રિય મનુષ્યને પકડ્યો, તે નાસવા જતાં મારી નાંખ્યો. પછી આરક્ષક તેને પકડીને રાજા પાસે લઈ ગયા, રાજાએ પૂછ્યું – તમે કોના માણસો છો ? તેમણે કહ્યું “અમે અનાથ છીએ.” કાલે ભિક્ષુકો હતા. પછી ખડ્ગો કોના છે ? તે તપાસ કરાવી. બંને કુલપુત્રોના ખડ્ગો છે, તેમ જાણ્યું. બંનેને પૂછતાં સત્ય વૃત્તાંત જાણ્યો. શ્રાવક કુલપુત્રે ખડ્ગ ન લેતાં, રાજાએ પૂછ્યું કે શા માટે લેતો નથી ? મેં તે ન મળતાં વોસિરાવી દીધેલ છે, માટે મારે લેવું ન કો. તેથી રાજાએ પ્રમાદી કુલપુત્રને શિક્ષા કરી, બીજાને છોડી મૂક્યો. દૃષ્ટાંત ઉપનય જેમ તે કુલપુત્ર પ્રમાદગર્ભિત ન વોસિરાવ્યાના દોષથી અપરાધ પ્રાપ્ત થયો, તેમ જીવ જન્માંતરમાં પ્રાપ્ત શરીર અને શસ્ત્રાદિ ન વોસિરાવતો અનુમોદના ભાવથી દોષને પ્રાપ્ત કરે છે. • x - હવે સૂત્રની વ્યાખ્યા – જીવ, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? કદાચ્ કાયિકી આદિ ત્રણે ક્રિયાવાળો હોય, વર્તમાન ભવને આશ્રીને પૂર્વવત્ વિચારવું, અતીત ભવાપેક્ષાએ તેના શરીરનો કે શરીરના અંશનો ઉપયોગ હોવાથી કાયિકી ક્રિયા, તેણે તૈયાર કરાવેલા હળ આદિ, તલવારાદિ બીજાના ઉપઘાત માટે વપરાતાં હોવાથી કે શરીર પણ અધિકરણ છે માટે આધિકરણિકી ક્રિયા પણ હોય. તે સંબંધી અશુભ પરિણામનું પ્રત્યાખ્યાન ન હોવાથી પ્રાàષિકી એમ ત્રણ ક્રિયા હોય. કદાચ પાતિાપનિકી હોવાથી ચાર ક્રિયાવાળો હોય. કેમકે તેના શરીર કે શરીરના ભાગ વડે શરીરના ભાગરૂપ અધિકરણથી પરિતાપ કરાય છે. અથવા જ્યારે જીવિતથી વિયોગ કરાવે ત્યારે પ્રાણાતિપાત ક્રિયા લાગે. એમ કદાચ પાંચ ક્રિયાવાળો હોય. કદાચ અક્રિય પણ હોય. પૂર્વ જન્મના શરીર કે અધિકરણનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરે, તે જન્મના શરીર વડે કંઈ ક્રિયા ન કરે. આ અક્રિયપણું મનુષ્યની અપેક્ષાએ સમજવું. કેમકે તેને સર્વવિરતિપણું હોય છે. અથવા સિદ્ધની અપેક્ષાએ અક્રિયપણું જાણવું. - x - ૪૯ - આ અર્થ ચોવીશ દંડકના ક્રમથી વર્ણવે છે - તે સુગમ છે. ભાવાર્થ આ છે - દેવ, નારકોને આશ્રીને જીવ ચાર ક્રિયાવાળો જ હોય. કેમકે તેમના જીવિતનો ન વિયોગ ન થાય. - ૪ - સંખ્યાતવર્ષાયુ જીવોને આશ્રીને પાંચ ક્રિયાઓ હોય, કેમકે તેમને જીવિતથી વિયોગનો સંભવ છે. હવે ઘણાં જીવને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળો હોય ? તે. આ દંડક પૂર્વવત્ વિચારવો. જીવો એક જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા 22/4 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ હોય ? પહેલા દંડવત્ જાણવું. ઘણાં જીવોનો ઘણાં જીવોને આશ્રીને પ્રશ્ન પણ પાઠ સિદ્ધ છે - x - એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. પણ વૈરયિકો અને દેવોને આશ્રીને ત્રણ કે ચાર ક્રિયા કે અક્રિય કહેવા. બાકીના સંખ્યાત વર્ષાયુને પાંચ ક્રિયા પણ હોય, તેમ કહેવું. Чо હવે નૈરયિક પદને આશ્રીને કહે છે - નૈરયિક, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? એમ વૈમાનિક સુધી કહેવું. અહીં યાવત્ શબ્દથી નૈરયિક, જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ઇત્યાદિરૂપ બીજો દંડક કહેલો જાણવો. બધે ઔદાકિ શરીરી સંખ્યાત વર્ષાયુવાળાને આશ્રીને કદાચ ત્રણ ક્રિયા, ચાર ક્રિયા કે પાંચ ક્રિયાવાળો હોય એમ કહેવું. બાકી - ૪ - ૪ - પૂર્વવત્ છે. (શંકા) નૈરયિક દેવોને આશ્રીને ચાર ક્રિયાવાળો કેમ હોય? [સમાધાન ભવનવાસી આદિ ત્રીજી નરક સુધી ગયેલા છે અને જશે. પૂર્વભવના મિત્રની વેદના શાંત કરવા કે પૂર્વભવના વૈરીને વેદના ઉપજાવવા જાય છે, અનંતકાળે આવું પણ થાય, ત્યાં ગયેલ દેવ નાસ્ક વડે બંધાય. [માટે ચાર ક્રિયા કહી.] (શંકા) નાકને બેઈન્દ્રિયાદિને આશ્રીને કાયિકી આદિ ક્રિયા કેવી રીતે હોય ? [સમાધાન] નાકે પૂર્વભવનું શરીર વિરતિ અભાવે વોસિરાવેલ નથી, વિવેકનો અભાવ ભવ નિમિત્તક હોય છે. તેથી તે જીવે બનાવેલ શરીર, જ્યાં સુધી શરીર પરિણામનો ત્યાગ સર્વથા ન કરે, ત્યાં સુધી અંશથી પણ શરીર પરિણામને પ્રાપ્ત પૂર્વ ભાવની અપેક્ષાથી ‘તેનું આ શરીર' એમ કહેવાય છે. તેથી તે શરીરનો એક ભાગરૂપ અસ્થિ આદિ જે કોઈ પ્રાણાતિપાત કરે, માટે પૂર્વે બનાવેલ શરીરનો જીવ કાયિકી આદિ ક્રિયાથી જોડાય છે. કેમકે તેણે તેને વોસિરાવેલ નથી. પાંચ ક્રિયાની ભાવના– શરીરનો વ્યાપાર થતો હોવાથી કાયિકી, શરીર અધિકરણ પણ છે, તેથી અધિકરણિકી, પ્રાāષિકી આદિ આ રીતે – તે જ શરીરના એક ભાગને અભિઘાતાદિ કરવામાં સમર્થ જોઈને કોઈપણ હિંસા કરવા તત્પર થયેલો અને હિંસાને પાત્ર બેઈન્દ્રિયાદિને વિશે જેને ક્રોધાદિનું કારણ ઉત્પન્ન થયું છે એવો આત્મા ‘આ શસ્ત્રઘાત કરવામાં સમર્થ છે, એમ વિચારી અતિશય ક્રોધાદિને પામી અને પીડા કરે, પ્રાણવિયોગ કરે ત્યારે તે ક્રિયાનું કારણ હોવાથી તેને પણ પ્રાદ્ધેષિકી આદિ યથાયોગ્યપણે લાગે છે. વૈરયિકપદની માફક અસુકુમારાદિ બધામાં ચાર ચાર દંડકો કહેવા. પણ જીવ, મનુષ્યમાં ‘અક્રિય હોય' તેમ પણ કહેવું. કેમકે વિરતિપ્રાપ્તિમાં શરીર વોસિરાવેલ હોવાથી શરીર નિમિત્તક ક્રિયાનો અસંભવ છે. બાકીના જીવોને તેમ નથી, માટે અક્રિય ન હોય. હવે કયા જીવને કેટલી ક્રિયા હોય તે બતાવે છે – • સૂત્ર-૫૨૯ : ભગવન્ ! ક્રિયા કેટલી છે ? પાંચ. - કાયિકી યાવત્ પ્રાણાતિપાતિકી,
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy