SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨--/પ૨૭,૫૨૮ ૪૩ જીવ જીવોને આશીને કેટલી ક્રિયાવાળો હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય હોય. જીવ નૈરયિકોને આશીને કેટલી ચિાવાળો હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય હોય. એમ પહેલા દંડકવતુ બીજે દંડક કહેવો. જીવો એક જીવને આશીને કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય પણ હોય. જીવો એક નૈરયિકને આશ્રીને કેટલી કિયાવાળા હોય ? પહેલા દંડકવતુ વૈમાનિક સુધી કહેવું. જીવો જીવોને આAીને કેટલી ક્રિયાવાળા હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય હોય? જીવો નૈરસિકોને આશીને કેટલી કિયાવાળા હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય અસુરકુમાર પણ એમ જ જાણવા. વૈમાનિક સુધી પણ એમ જ જાણવું. જેમ જીવોને આશ્રીને કહ્યું, તેમ ઔદારિક શરીરોને આશ્રીને કહેવું. નૈરશ્ચિક, જીવને આણીને કેટલી ક્રિયાવાળો હોય ? કદાચ ઝણ, કદાચ ચાર,. કદાસ પાંચ નૈરયિક નૈરચિકને આશ્રીને કેટલી કિયાવાળો હોય ? કદમ ઝણ, કદાચ ચાર એ પ્રમાણે ચાવત વૈમાનિક સમજવું. પરંતુ નૈરચિકને નૈરયિકોને અને દેવોને આશ્રીને પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. નૈરયિકો જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ. એમ વૈમાનિક સુધી જાણતું. પરંતુ નૈરયિક અને દેવને આશ્રીને પાંચમી પ્રાણાતિપાત નથી. નૈરયિકો જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય ? ત્રણ, ચાર કે પાંચ. ઔરસિકો નૈરયિકોને આશીને કેટલી ક્રિયાવાળા હોય ? ત્રણ કે ચાર. એમ વૈમાનિકોને આશ્રીને સુધી જાણતું. પરંતુ દાકિ શરીરને આશ્રીને કહ્યું. તેમ જીવોને આશ્રીને કહેવું. અસુકુમાર જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? નૈરયિકવવું અસુકુમારને પણ ચાર દેડકો કહેવા. એમ ઉપયોગથી વિચારવું. જીવ અને મનુષ્ય અક્રિય કહેવાય. બાકીના ન કહેવાય. બધાં જીવો ઔદારિક શરીર આશ્રિત પાંચ ક્રિયાવાળા હોય અને નૈરસિકો તથા દેવોને આશ્રીને પાંચ ક્વિાવાળા ન હોય. એમ એક એક જીવપદમાં ચાર ચાર દંડકો કહેવા. એમ બધાં જીવાદિ મળીને ૧૦૦ દંડકો થાય છે. • વિવેચન-૫૨૭,૫૨૮ : સૂણ સુગમ છે. પણ આયુબંધના અભાવે સાત પ્રકૃતિ બાંધે, આયુનો બંધ કરે ત્યારે આઠ બાંધે. બહુવચનમાં અનેક જીવના બંધના વિચારમાં સામાન્યથી જીવપદને આશ્રીને સાત અને આઠ બંને પ્રકૃતિના બંધક જીવો ઘણાં હોય છે. તેથી બંને સ્થાને બહુવચનરૂપ એક જ ભાંગો હોય. નૈરયિક સૂત્રમાં સાત પ્રકૃતિના બંધક અવસ્થિત ૪૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 જ હોય કેમકે હિંસાદિ પરિણામવાળા હંમેશાં ઘણાં જીવોને સાત પ્રકૃતિનો અવશ્ય બંધ થાય છે. જ્યારે એક પણ નાક આઠ પ્રકૃતિ બાંધનાર ન હોય ત્યારે ‘બધા સાતબાંધે' એ એક જ ભંગ હોય, જ્યારે એક આઠ પ્રકૃતિ બાંધે અને બાકીના સાત બાંધે ત્યારે “ઘણાં સાત પ્રકૃતિ બંધક, એક આઠ પ્રકૃતિ બંધક” એ બીજો ભંગ હોય. બંને જીવો ઘણાં હોય ત્યારે ત્રીજો ભંગ થાય. એમ ત્રણ ભાંગા વડે ભવનપતિઓ કહેવા. એકેન્દ્રિયો સામાન્ય જીવોની માફક કહેવા. બંને સ્થાનો બહુવચન આશ્રિત એક જ ભંગ કહેવો. કેમકે હિંસાદિ પરિણામ પ્રત્યેક પૃથ્વીકાયિકાદિ જીવો સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરનાર હંમેશાં ઘણાં હોય છે. બાકીના વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય સર્વેના ત્રણ ભંગ નૈયિકવતુ કહેવા. પ્રાણાતિપાતની માફક બધાં પાપસ્થાનકોના પ્રત્યેકના એકવચન અને બહુવચનના બન્ને દંડક મિથ્યાદર્શનશચ સુધી છે. જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કિયાવાળો થાય ? ઈત્યાદિ. પૂર્વ સૂત્ર સાથે આ સત્રનો સંબંધ શો છે ? જીવ પ્રાણાતિપાતથી સાત કે આઠ કર્મ બાંધે અને જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતો તે જ પ્રાણાતિપાતને કરે છે, તે અહીં પ્રતિપાદન કરે છે. વળી પ્રાણાતિપાતના કાર્યરૂપ જ્ઞાનાવરણીય કર્મથી તેના કારણભૂત પ્રાણાતિપાતની ઉત્પતિનો ભેદ બતાવાય છે અને પ્રાણાતિપાતની ઉત્પત્તિના ભેદથી બંધ વિશેષ પણ થાય છે. * * પ્રાણાતિપાતની ઉત્પત્તિનો ભેદ બતાવે છે - કદાચ ત્રણ કે ચાર કે પાંચ કિયાવાળો હોય, તેમાં કાયિકી, આધિકરણિકી, પ્રાàપિકી ક્રિયા વડે ગણ ક્રિયા હોય છે. iff - હસ્ત, પાદાદિ અવયવોની પ્રવૃત્તિ. આધિકણિકી- ખગાદિ અધિકરણ સજ્જ કરી રાખવા. પ્રાપ્લેષિકી - ‘તેને મારીશ' એવું અપ્રશસ્ત મન કરવું. ચોથી પારિતાપનિકી- ખગાદિના ઘા વડે પીડા કરવી. પાંચમી ક્રિયા પ્રાણાતિપાત-જીવિતથી જુદા કરવા. એમ ચોવીશે દંડકમાં કહેવું - - x • એ પ્રમાણે એક જીવાશ્રિત દંડક કહ્યો. હવે ઘણા જીવોને આશ્રીને કહે છે - જીવો ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા થાય. કેમકે જ્ઞાનાવરણ કર્મ બાંધનાર જીવો હંમેશાં ઘણાં હોય માટે ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા પણ ઘણાં હોય એમ એક જ ભંગ થાય છે. જીવપદની માફક ચોવીશ દેડકમાં સ્વ-સ્વ સ્થાને પ્રત્યેકને ભાંગાનો અભાવ જાણવો. કેમકે જ્ઞાનાવરણીયાદિ બાંધતા નૈરયિકાદિ પણ હંમેશાં ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા ઘણાં હોય છે. • x જીવ, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? આ સૂત્રનો પૂર્વ સૂઝ સાથે શો સંબંધ છે ? અહીં કેવળ વર્તમાન ભવમાં રહેલા જીવતે જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધના ભેદના વિચારમાં કાયિકી આદિ ક્રિયારૂપ વિશેષણવાળો પ્રાણાતિપાતનો ભેદ કારણ છે. એટલે કર્મબંધ વિશેષતામાં પ્રાણાતિપાતની વિશેષતા કારણ છે એમ ન સમજવું. પણ કાયિકી આદિ ક્રિયાક્ષ વિશેષણવાળો અતીત ભવનો સંબંધ પણ કારણ છે. તેનો પૂર્વાર્ધકૃત ભાવાર્થ –
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy