SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 18-15 થી 22/483 થી 494 205 નોઅસંજ્ઞી વિશે પૃચ્છા - ગૌતમ! સાદિ અનંતકાળ હોય. [42] ભવસિદ્ધિક વિશે પૃચ્છા * ગૌતમ! અનાદિ સાંત. અભવસિદ્ધિક વિશે પૃચ્છા - ગૌતમ અનાદિ અનંત નોભવસિદ્ધિક - નોઅભદ્રસિદ્ધિકની પૃચ્છા - સાદિ અનંતકાળ. [49] ધમસ્તિકાય વિશે પૃચ્છા * ગૌતમ! સર્વ કાળ હોય. * * * એ પ્રમાણે અદ્ધાસમય સુધી જાણવું. [49] ભગવત્ / ચરમ, ચરસ્મરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ / અનાદિ સાંત. અચરમ વિશે પ્રચ્છા - ગૌતમ! અસરમ બે પ્રકારે છે - અનાદિ અનંત, સાદિ અનંત. * વિવેચન-૪૮૩ થી 494 - [અહીં દ્વાર-૧૫ થી રર એક સાથે છે, પ્રત્યેક દ્વારનું એક એક અલગ સૂત્ર એમ આઠ દ્વારના આઠ સૂત્રો છે. તેનું સંયુક્ત વિવેચન અહીં કરેલ છે.] બાપજ * બોલનાર, જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત વચનયોગી માફક જાણવો. અભાષક-ત્રણ ભેદે - (1) અનાદિ અનંત - જે કદિ ભાષાકપણું નહીં પામે, (2) અનાદિ સાંત - જે વ્યાપક પણું પામશે (3) સાદિ સાંત - જે ભાષક થઈ ફરી અભાષક બનશે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, કેમકે બોલીને થોડીવાર રહીને ફરીથી ભાપકપણું જણાય અથવા ભાષક બેઈન્દ્રિયાદિ, એકેન્દ્રિયાદિ જીવોમાં ઉત્પન્ન થઈ, અંતમુહૂર્ત આયુ પૂરું કરી ફરી બેઈન્દ્રિયાદિપણે ઉપજે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, તે પૂર્વે કહ્યો છે. 0 હવે રત્ત દ્વાર - તે બે ભેદે છે, (1) કાય પરિત્ત - જે પ્રત્યેક શરીરી છે તે. (2) સંસાર પરિત - જેણે સમ્યકત્વાદિ વડે સંસાર પરિમિત કર્યો છે. તે કાય પરિત જઘન્યથી અંતમુહર્ત હોય. જ્યારે કોઈ જીવ નિગોદથી નીકળી પ્રત્યેક શરીવાળામાં ઉત્પન્ન થઈ ત્યાં અંતમુહૂર્ત રહી ફરી પણ નિગોદમાં ઉપજે ત્યારે હોય. ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ-પૃવીકાળ અર્થાત્ જેટલો પૃથ્વીકાયિકનો કાયસ્થિતિ કાળ છે તેટલો જાણવો. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ છે. સંસારપરિd જઘન્યથી અંતર્મુહર્ત હોય, પછી તે અંતકૃત કેવલી થઈને મુક્તિ પામે. ઉત્કૃષ્ટ અનંતકાળ ઈત્યાદિ. પછી તે અવશ્ય મુક્તિ પામે. કાય અપરિત અનંતકાયિક જાણવો. જેણે સમ્યકત્વાદિ વડે પરિમિતસંસાર નથી કર્યો તે સંસાર-અપરિત છે. કાય અપરિત જઘન્યથી અંતર્મુહર્ત હોય. કોઈ જીવ પ્રત્યેક શરીરીચી નીકળી નિગોદમાં ઉપજી, અંતર્મુહર્ત રહી, ફરી પ્રત્યેક શરીરીમાં ઉપજે ત્યારે જાણવો. ઉકૂટથી વનસ્પતિકાળ પૂર્વવતુ. પછી ત્યાંથી અવશ્ય નીકળતુ છે. સંસાર અપરિત બે ભેદે (1) અનાદિ અનંત - જે કોઈ કાળે સંસારથી મુકત ન થાય. (2) અનાદિ સાંત - જે કોઈ કાળે સંસાનો અંત કરશે. નોપરિતનોઅપત્તિ એટલે સિદ્ધ - તે આદિ અનંતકાળ છે. 206 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ o vd - દ્વાર - જઘન્યથી અંતર્મુહૂર્ત. પછી પિયતો થાય. ઉત્કૃષ્ટ સાધિક શતપૃથકવ સાગરોપમ, એટલો કાળ લબ્ધિ પર્યાપ્તાની સ્થિતિ સંભવે. અપતિો અંતર્મુહૂર્ત હોય, પછી પર્યાપ્ત લબ્ધિ પામે. નોપતિ-નોપયપ્તિ તે સિદ્ધ છે. - X - X - 0 ચૂક્ષ દ્વાર - ઉત્કૃષ્ટ પૃથ્વીકાયિકનો કાયસ્થિતિકાળ, બાદર સૂત્ર સુગમ છે. - x * નોર્મ નોબાદર તે સિદ્ધ - 4 - o સંલ દ્વાર - સંજ્ઞી જઘન્યથી અંતર્મહતું. કોઈ જીવ અસંજ્ઞીથી નીકળી સંજ્ઞીમાં ઉપજી, અંતર્મુહૂર્ત રહી, ફરી અસંજ્ઞીમાં ઉપજે. ઉત્કૃષ્ટ કાળ સુગમ છે, અસંફી જઘન્યથી અંતર્મુહૂd, સંજ્ઞી માફક જાણવો. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, કેમકે અiીના ગ્રહણથી વનસ્પતિકાયનું પણ ગ્રહણ થાય. નોસંી-નોઅસંજ્ઞી તે સિદ્ધ. o જસિદ્ધિ દ્વાર - જેને સિદ્ધિ છે તે ભવસિદ્ધિક-ભવ્ય. તે અનાદિ સાંત છે, અન્યથા ભવ્યપણાનો અભાવ થાય, તે સિવાયનો તે અભવસિદ્ધિક - અભવ્ય, તે અનાદિ અનંત છે અન્યથા અભવ્યપણાનો અભાવ થાય. નોભવ્ય-નોઅભવ્ય તે સિદ્ધ. o તિય પાંચે સર્વકાળમાં હોય, અદ્ધા સમય પણ પ્રવાહ અપેક્ષાથી સર્વકાળ હોય. માટે ‘અદ્ધાસમય સુધી' એમ કહ્યું. 0 વરમ - જેને છેલ્લો ભવ થશે, તે અભેદથી ચરમ-ભવ્ય, તેથી વિપરીત તે અચરમ-અભવ્ય. ચરમ અનાદિસાંત છે, અચરમ બે ભેદે - અનાદિ અનંત, સાદિ અનંત, તેમાં અનાદિ અનંત તે અભવ્ય, સાદિ અનંત તે સિદ્ધ. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009012
Book TitleAgam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy