SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 202 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદર છે પદ-૧૮, દ્વા-૧૨,૧૩, સંયત, ઉપયોગ છે 18/-/11/483 201 સ્થિતિ હોય, એ પ્રમાણે ૬૬-સાગરોપમ થયા. બધે તિર્યંચમાં જુગતિ વડે ઉપજે. કેમકે વિગ્રહ ગતિ વડે તિચિ અને મનુષ્યમાં ઉત્પન્ન થનારને વિમંગ જ્ઞાનનો નિષેધ કરાયેલો છે. તેમ સિદ્ધાંતમાં પણ કહ્યું છે. (પ્રન) શા માટે વચ્ચે સમ્યકત્વનું પ્રતિપાદન કરો છો ? [ઉત્તર] અહીં વિર્ભાગજ્ઞાનની સ્થિતિ ઉત્કટથી કંઈક ન્યૂન પૂર્વકોટી અધિક 33-સાગરોપમની છે. - x * x * તેથી એટલો કાળ સુધી નિરંતર વિર્ભાગજ્ઞાન ન રહેતું હોવાથી વચ્ચે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. પછી પતિત વિર્ભાગજ્ઞાન સહિત જ મનુષ્યd પામી, સંયમ પાળી બે વખત વિજયાદિમાં ઉત્પન્ન થાય ત્યારે બીજા ૬૬-સાગરોપમ સમ્યગુર્દષ્ટિને હોય છે. એ પ્રમાણે અવધિદર્શનનો કાળ ૧૩ર-સાગરોપમ છે. (પ્રશ્ન) વિભંગ જ્ઞાનાવસ્થામાં અવધિદર્શનનો કર્મપકૃતિ વગેરે ગ્રન્થોમાં નિષેધ છે, તો વિર્ભાગજ્ઞાનના અભાવમાં અવધિદર્શન કેમ હોય? [ઉત્તર] એમ માનવામાં દોષ નથી, કેમકે સૂત્રમાં વિભંગ અવસ્થામાં પણ અવધિદર્શન પ્રતિપાદન કરેલું છે, તે આ પ્રમાણે - આ સૂત્રનો અભિપ્રાય છે કે વિશેષ વિષયક વિભંગજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. જેમ સમ્યગ્દષ્ટિને વિશેષ વિષયક અવધિજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. કેવળ વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય છે. તે અનાકાર સામાન્ય મણ વિષયક હોવાથી અવધિ જ્ઞાનીના અવધિદર્શન જેવું છે, માટે તે પણ અવધિદર્શન કહેવાય છે, પણ વિભંગદર્શન કહેવાતું નથી. મૂળ ટીકાકારે પણ આમ જ કહ્યું છે, તેથી અમે પણ વિર્ભાગજ્ઞાનમાં અવધિદર્શનનો વિચાર કર્યો છે. કાર્મપ્રન્શિકો કહે છે કે - જો કે સાકાર અને નિરાકાર વિશેષના હોવાથી વિર્ભાગજ્ઞાન અને અવધિદર્શન જુદું છે. તો પણ વિર્ભાગજ્ઞાન વડે યથાર્થ નિશ્ચય થતો નથી. કેમકે તે મિથ્યાત્વ રૂપ છે, તેમ અવધિદર્શન વડે સખ્ય નિર્ણય થઈ શકતો નથી કેમકે તે અનાકાર માત્ર છે. માટે વિર્ભાગજ્ઞાનથી અવધિદર્શનની જુદી વિવા કરવાનું કંઈ પ્રયોજન નથી. તેમના અભિપ્રાય વિભંગાવસ્થામાં અવધિદર્શન હોતું નથી. આ સ્વમતિકલિત નથી. પૂર્વાચાર્યોએ પણ આવી મનવિભાગ વ્યવસ્થા કરી છે. વિશેષણવતીમાં પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કહે છે - સૂત્રમાં વિલંગને પણ અવધિદર્શન બતવાર જણાવ્યું છે, તો કર્મ પ્રકૃતિમાં શા માટે નિષેધ છે ? સૂત્રમાં સામાન્ય અને વિશેષરૂપે વિષય વડે વિભંગ પણ દર્શન હોય છે અને દર્શન અનાકાર માત્ર હોવાથી અવધિ અને વિભંગને અવધિદર્શન અવિશિષ્ટ હોય છે. કર્મપ્રકૃતિનો મત આ છે કે - સાકાર અને અનાકાર વિશેષતા છતાં પણ અતિશયપણાંથી વિર્ભાગજ્ઞાન અને દર્શનની વિશેષતા નથી. બીજા આચાર્યો વ્યાખ્યા કરે છે - સાતમી નરકના નાસ્કોની કલાના કરવાનું શું પ્રયોજન છે? સામાન્યથી નાક, તિર્યચ, મનુષ્ય, દેવ ભવમાં પર્યટન કરતાં અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એટલા કાળ સુધી હોય છે, પછી મોઢા પ્રાપ્ત થાય છે. કેવળ દર્શનીનું સૂત્ર કેવળજ્ઞાનીના સૂત્ર માફક વિચારવું. * હવે સંયત અને ઉપયોગ દ્વાર કહે છે - * સૂત્ર-૪૮૪, 485 - [48] ભગતનું ! સંયત, સંયતરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોના પૂતકોટી. ભગવન ! સંયતની પૃચ્છા - ગૌતમ! અસંયત ત્રણ પ્રકારે છે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત આદિ સાંત જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ અનંતકાળ * અનંત ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી દેશોન આઈ યુગલ પરાવર્તકાળ હોય. ભગવના સંયતાસંયતની પૃચ્છા. ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્ણ વર્ષ હોય. નોસંયત-નોસંયત-નોસંયતાસંયત વિશે પૃચ્છા-ગૌતમ ! તે સાદિ અનંતકાળ હોય. 4i85] ભગવના સાકાર ઉપયોગવાળાની પૃચ્છા-ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ તહd. અનાકારોપયોગી એમ જ છે. * વિવેચન-૪૮૪,૪૮૫ : કોઈ ચારિત્રના પરિણામ સમયે જ કાળ કરે. તેથી સંયતને સંયતપણું જઘન્યથી એક સમય હોય. અસંયત ત્રણ પ્રકારે છે - (1) અનાદિ અનંત - જે સંયમને કોઈ કાળે પામવાનો નથી. (2) અનાદિ સાંત - જે સંયત પ્રાપ્ત કરશે. (3) સાદિ સાંતજે સંયમને પ્રાપ્ત કરી તેથી ભ્રષ્ટ થાય છે. - તે ઘન્યથી અંતર્મુહુર્ત હોય. કેમકે અંતમુહર્ત પછી કોઈને સંયમની પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ. ઈત્યાદિ બધું પૂર્વવત્ - X - સંયતા સંયત - દેશવિરતિધર, તે જઘન્યથી અંતર્મહd હોય, કેમકે દેશવિરતિની પ્રાપ્તિનો ઉપયોગ જઘન્યથી પણ અંતર્મુહર્ત પર્યન્ત હોય. દેશવિરતિની પ્રાપ્તિનો ઉપયોગ જઘન્યથી પણ અંતમુહૂર્ત પર્યન હોય. દેશવિરતિના બે પ્રકાર, ત્રણ પ્રકાર ઈત્યાદિ ઘણાં ભાંગા છે, માટે તેની પ્રાપ્તિમાં જઘન્યથી પણ અંતમુહર્ત લાગે. સર્વ વિરતિ તો “સર્વ સાવધનો હું ત્યાગ કરું છું.” ઈત્યાદિ રૂપ છે, માટે તેની પ્રાપ્તિનો ઉપયોગ એક સમયનો પણ હોય. માટે પૂર્વે સંયતનો કાળ એક સમય કહ્યો. પરંતુ જે સંયત-અસંયત કે સંયતાસંમત નથી તે સિદ્ધ છે, તે સાદિ અનંત છે. - - - સંયdદ્વાર સમાપ્ત - - - હવે ઉપયોગ દ્વાર કહે છે - અહીં સંસારીને સાકાર અને અનાકાર ઉપયોગ હોય છે. તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય. તેથી બંને સૂત્રોમાં અંતમુહૂર્ત ઉપયોગ કહ્યો. કેવલીને એક સમયનો ઉપયોગ કહ્યો, તે અહીં વિવક્ષિત નથી.
SR No.009012
Book TitleAgam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy