SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ 3નૈર-૧૦૫ આ રીતે તમ પ્રભા નૈરયિકોને પણ કહેવા. વિશેષ એ કે - પરમ શીત વેદનાને વેદે છે કેમકે છઠ્ઠી કરતાં સાતમી પૃથ્વીની શીતવેદના અતિ પ્રબળ છે. ધે ભવાનુભવ પ્રતિપાદના - રત્નપ્રભા નૈરયિકો કેવી નકભવ વેદના વેદતા રહે છે ? ગૌતમ! સર્વકાળ - ફોન સ્વભાવજન્ય મહાનિબિડ માંધકાર દર્શનથી ડરેલા અને શંકિત રહે છે, પરમાધાર્મિક દેવ તથા પરસ્પરોટીરિત દુઃખ સંઘાતથી નિત્ય પ્રસ્ત રહે છે. નિત્ય દુ:ખાનુભવને કારણે ઉદ્વિગ્ન રહે છે નિત્ય ઉપદ્રવણસ્તથી થોડી પણ શાતા પામતા નથી. તે સદા અશુભ-અશુભરૂપથી અનન્ય સદંશ તથા અશુભરૂપથી, નિરંતર ઉપયિત નકભવને અનુભવે છે. અધઃસપ્તમી સુધી કહેવું. આ અધ:સપ્તમીમાં કૂકર્મા પુરુષો જ ઉપજે છે, બીજા નહીં. તે જણાવવા પાંચ પરપોના નામ કહ્યા છે. - x• તેઓ અતિ ઉત્કૃષ્ટ સ્થિતિના અને ઉત્કૃષ્ટ અનુભાગનો બંધ કરાવનારા કૂરકમને બાંધીને ઉત્પન્ન થાય છે. મનોદંડ-પ્રાણ હિંસાના અધ્યવસાયરૂ૫. તેમના વડે કાળમાસે કાળ કરીને ઉત્પન્ન થયેલા - (૧) રામ - જમદગ્નિ પરશુરામ, (૨) છાતીસુત દાઢાદાલ, (3) ઉપસ્થિર વસુરાજા - તે દેવતા અધિષ્ઠિત આકાશ સ્ફટિક સિંહાસને બેસતો. તે સિંહાસન અર્દશ્ય રહેતું. લોકમાં એવી પ્રસિદ્ધિ હતી કે - આ વસુરાજા સત્યવાદી છે, તે પ્રાણના ભોગે પણ જૂઠું ના બોલે. તેથી દેવતાકૃત પ્રાતિહાર્ય માફક ઉપરના આકાશમાં ચરે છે. તે કોઈ દિવસે હિંસવેદાર્થ પ્રરૂપક પર્વતનો પક્ષ લઈને અને સમ્યષ્ટિ નારદનો પક્ષ ન લઈને જૂઠું બોલતા, દેવતાએ સિંહાસનેથી તેને પાડી દીધો, તે રૌદ્રધ્યાનમાં આરૂઢ થઈ સાતમી નરકે ગયો. સુભૂમ-આઠમો ચક્રવર્તી, કૈરવ ગોત્ર ચુલનીપુત્ર બ્રહ્મદd. આ પરશુરામ આદિ, પ્રતિષ્ઠાન નક્કે વેદના - x • વેદે છે. Q નકમાં ઉણ વેદનાનું સ્વરૂપ - નરકોમાં નૈરયિક કેવી ઉણ વેદનાને અનુભવે છે ? જેમ કોઈ લુહારગ હોય, તે તરુણ વધતી ઉંમરવાળો હોય. * * * પ્રવર્તમાન વયવાળા આસન્ન મૃત્યુ ન હોય, કેમકે આસમૃત્યુકને વિશિષ્ટ સામર્થ્ય ન સંભવે. તેથી વિશિષ્ટ સામર્થના પ્રતિપાદનાર્થે બીજા વિશેષણો કહ્યા છે. બીજા કહે છે – જે દ્રવ્ય વિશિષ્ટ વદિ ગુણયુક્ત અને અભિનવ હોય તે લોકમાં તરણ કહેવાય. તેથી - x - તે લુહાપુત્ર અભિનવ અને વિશિષ્ટ વણદિ ગુણોપેત હોય. સામર્થ્યવાનું હોય. યુગ - સુષમક્ષમાદિ કાળવાળા તે યુગવાનું. કાલોપદ્રવ પણ સામર્થ્યવિદન હેતુ છે, તે જેને નથી તે. ચૌવનસ્થ - કેમકે યુવાવસ્થામાં બલાતિશય હોય છે. અપાતંક - સર્વથા અવિધમાન જવાદિ જેને છે તે. સ્થિરાગ્રહd. દેa - અતિનિબિડ * * - ઘન-અતિશય - x • x ચામડાની બેંત, મુદ્ગર, મુઠ્ઠીના આઘાતથી ઘન અને પુષ્ટ બનેલ અવયવવાળો આંતર ઉત્સાહ વીર્યયુક્ત. તાલવૃક્ષના સમશ્રેણિક યુગલની જેવા અતિ સરલ અને પીવર બાહુ જેના છે તે. - - - - લંઘન - અતિક્રમણ, પ્લવન્ - કંઈક પૃયુતર વિકમ ગતિ ગમન, જવન [18/6] ૮૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ • અતિ શીવ્ર ગતિ, પ્રમર્દન - કઠીન વસ્તુનું પણ ચૂર્ણ કરવામાં સમર્થ. ક્યાંક વાવામા શબ્દ પણ છે, તેનો અર્થ છે વ્યાયામકરણ. છે - ૩૨-કલાપંડિત, વક્ષ - અવિલંબપણે કાર્ય કરનાર, પ્રણ • વાચાકુશળ, સન - સમ્યક ક્રિયા પરિજ્ઞાનવાન, ધાવી -પવપિર અનુસંધાન દક્ષ, તેથી ક્રિયામાં કૌશલ્યને પ્રાપત. એક નાના પાણીના ઘડા સમાન લોહપિંડને લઈને તેને તપાવી - તપાવીને, ઘણ વડે કુટી-કુટીને - ૪ - તે લોહપિંડને બહારથી અને અંદરથી ઠંડો કરે. લોઢાની સાણસી વડે પકડીને અસતું ભાવ કલાનાથી અત્િ આવું બન્યું નથી કે બનશે નહીં, તે પિંડને ઉણવેદના નરકમાં મૂકે. પછી ઉન્મેષ-નિમેષ કરે અર્થાત્ આંખના પલકારા માત્ર કાળમાં હું પાછો લઈ લઉં, એમ વિચારીને જુએ તેટલામાં ફૂટી જાય કે માખણની જેમ પીગળી જાય કે સવથ ભસ્મીભૂત થઈ જાય. • x • પણ ફરી ત્યાંથી કાઢી ન શકે, આટલી ઉણ વેદના ત્યાં હોય. આ જ અને બીજા દેટાંતથી કહે છે – આ દષ્ટાંત વિવક્ષિત અર્થની પ્રતિપતિ અર્થે જાણવું. મદયુક્ત હાથી, અહીં માતંગ શબ્દ અંત્યજ અર્થમાં પણ સંભવે છે, તેથી તે શંકા નિવારણાર્થે કે વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાર્થે બે પર્યાયો કહે છે, ઉત્તપ: - બે મુખ વડે પીએ છે તે. કુંજર-ગહન વનમાં રતિ પામે છે તે. ૬૦ વર્ષનો જે છે તે. કારતક માસ સમયે. પ્રવચનમાં અષાઢ આદિ બબ્બે માસ પ્રમાણ કહેલ છે. તે મુજબ પહેલી પ્રાવૃ, બીજી વષરિબ, બીજી શરદ, ચોથી હેમંત, પાંચમી વસંત, છઠ્ઠી ગ્રીમ • x • તેમાં પ્રથમ શરકાલ તે કારતક - X• ચરમ નિદાઘકાળ - જેઠ માસ પર્યન્ત, તેમાં સૂર્યના કઠોર કિરણોના પ્રતાપથી અભિભૂત તેથી જ ઉષ્ણ સૂર્ય કિરણ વડે સર્વથા પ્રતd અંગપણે તૃષા વડે હણાયેલ. તેમાં પાણીને શોધવા સ્વેચ્છાથી ભમતાં કોઈક દવાગ્નિમાં જતાં દવાનિવાલાથી હણાયેલ, તેથી ક્યાંય પણ સ્વાધ્ય ન પામતાં આકુળ થયેલ, ગળું સુકાતું હોય તેવો કે ક્ષીણ શરીરી, અસાધારણ તૃષા વેદના યુક્તતાથી શરીર અને મનથી દુર્બળ થયેલ, ગ્લાનિને પામેલ હોય. એક મોટી પુષ્કરિણી હોય, કેવી ? ચાર ખૂણાવાળી, વિષમ અને ઉન્નતપણાં રહિત, સુખે ઉતરી શકાય તેવી કિનારાવાળી, નિમ્ન-નિમ્નતર ભાવરૂપે પણ ક્યાંક ખાડા-ક્યાંક ટેકરારૂપ નહીં, અતિશય યુક્ત ક્યારાવાળી, તળ સ્થાન ન દેખાતી, શીતલજળયુક્ત હોય, પાણીને ઢાંકતા પત્ર-બિસ-મૃણાલ યુક્ત, પકિાનીપત્ર યુક્ત, તયા ઘણાં ઉત્પલ-કુમુદ નલિનાદિના કેસરા વડે વિકસિત રૂપથી ઉપસ્થિત હોય, તે કમળ-કુમુદાદિની જ ભમરો વડે ભોગવાતી હોય, સ્વરૂપથી તે પુષ્કરિણી સ્ફટિકવતું શુદ્ધ હોય, આવતા મળતી સહિત હોય, પાણી વડે પૂર્ણ હોય, તેમાં અતિરેકપણાથી ભમતાં મત્સ્ય, કચ્છપાદિ હોય, અનેક પક્ષીંગણ યુગલના અહીં-તહીં સ્વેચ્છા વડે પ્રવૃત ઉન્નત શબ્દ અને મધુર સ્વર વડે જે નાદિત હોય, તેને જોઈને તેમાં પ્રવેશ કરે. કરીને શરીરના દાહને તે હાથી પ્રકર્ષથી સર્વથા દૂર કરે, ક્ષધાને શમાવે. કઈ રીતે? નીકટના તટવર્તી શલ્લકી આદિ કિસલયના ભક્ષણ અને જળપાન ચડી. વરના
SR No.009009
Book TitleAgam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy