SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉર્નિ-૨/૧૦૫ શદાયમાન થઈ રહેલી યુકરિણીને જુએ છે, જોઈને પ્રવેશે છે. પછી ત્યાં ગરમીતૃષા-ભૂખ-જવર-દહિને શાંત કરે ત્યાં નિદ્રા લે, વધુ નિદ્રા લે, સ્મૃતિ-રતિ-શ્રુતિમતિને પ્રાપ્ત કરે, ઠંડો થઈને અતિ શાંતિને અનુભવતા, ઘણાં શાસ્ત્ર સૌખ્યને અનુભવતા વિચરે, • - આ પ્રમાણે છે ગૌતમ! અસત કલ્પનાથી ઉણ વેદનીય નસ્કોથી નીકળી કોઈ નૈરયિક જીવ અહીં મનુષ્યલોકમાં ગોળપકાવવાની - શરાબ બનાવવાની - બકરીની વિંડીવાળી ભઠ્ઠીમાં લોઢું-તાંબુ-રવા-સીસુ-રપુ-સુવર્ણ-હિરણ્ય-કુંભારની ભઠ્ઠીમાં, મુસ-ઉંટ-કવેલુ પકાવવાની ભઠ્ઠીનો અગ્નિ, લુહારની ભઠ્ઠી-શેરડીના વાડની સુલ્લી : તલ તુષ કે વાંસ, આ બધાંની અનિનું જે સ્થાન છે, જે તત છે, તપીને અગ્નિ તુલ્ય થઈ ગયું છે, ફૂલેલા પલાશના ફૂલ માફક લાલ છે, જેમાંથી હજારો ઉકા નીકળી રહી છે, હજારો વાલા કે અંગારા નીકળે છે, અતિ જાજવલ્યમાન છે, અંદરઅંદર ધગધગે છે. તેવા સ્થાનને જોઈને તેમાં નૈરયિક જીવ પ્રવેશ કરે, તો પ્રવેશીને પોતાની ઉણત-તૃષા-સુધા-તાહ દિને દૂર કરી દે છે, પછી ત્યાં નિદ્રા, ગાઢ નિદ્રા લેતો મૃતિ-રાતિ-ધૃતિમતિને પામે છે. શીત-શીતીભૂત થઈ, ધીમે-ધીમે ત્યાંથી નીકળતા અત્યંત સુખ-શાંતાનો અનુભવ કરે છે. હે ભગવાન ! શું નાસ્કોની આવી ઉણ વેદના છે ? ના, આ અર્થ સમર્થ નથી. ગૌતમ! નકમાં નૈરયિકની ઉણ વેદના આનાથી અનિષ્ટતરિક અદિને અનુભવતો વિયરે છે. ભગવન ! શીત વેદનીય નસ્કોમાં નૈરયિક જીવ કેવી શીત વેદનાનો અનુભવ કરે છે ? ગૌતમ! જેમ કોઈ કમરિપુત્ર વરુણ, યુગવાન, બલવાન હોય વાવ4 કુશળ શિલથી નિર્મિત એક મોટા પાણીના ઘડા સમાન લોપિડને તપાવીતપાવી, કુક-કુકી જન્યથી એક-બે કે ત્રણ દિન, ઉત્કૃષ્ટથી એક માસ સુધી પૂર્વવતુ બધી ક્રિયા કરે, પછી તે ઉષ્ણ-ઉણીભૂત ગોળાને લોઢાની સાણસીથી પકડી, અસત કક્ષાનાથી તેને શીત વેદનીય નસ્કમાં નાંખે, “હું હમણાં ઉન્મેષનિમેષ સમય મરામાં તેને કાઢી લઈશ” એમ વિચારે પણ યાવત તેને આસ્કૂટિતરૂપે કાઢવામાં સફળ થતો નથી. ઈત્યાદિ પૂર્વવતું. મત્ત હાથીનું દષ્ટાંત પણ પૂર્વવતું. આ પ્રમાણે છે ગૌતમ! અસત કલાનાથી શીત વેદનાવાલા નસ્કોથી નીકળેલ નૈરયિક મનુષ્યલોકમાં જે શીતપધાન સ્થાન છે. જેમકે – હિમ-હિમણુંજ-હિમ પટલ-હિમપટલપુંજ તુષા-તુષારપુંજ, હિમકુંડ-હિમકુંડવુંજ આદિને જુએ, જોઈને તેમાં પ્રવેશ કરે પ્રવેelીને ત્યાં તે પોતાની શીત-તૃષા-ભુખ-૧વરૂદાહને દૂર કરી શાંતિ અનુભવી નીદ્રા-ગાઢ નિદ્ધા લેતો ઉષ્ણ - અતિ ઉષ્ણ થઈ, ત્યાંથી ધીમેધીમે નીકળીને સાત-સુખને અનુભવે છે. હે ગૌતમાં શીતવેદનીય નસ્કોમાં નૈરયિક આનાથી પણ અનિષ્ટતા શીતવેદનાને અનુભવે છે. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) • વિવેચન-૧૦૫ - ભગવતુ ! રત્નપ્રભા નૈરયિકો કેવી ભુખ-તરસ વેદે છે ? ગૌતમ! રત્નપ્રભા નૈરયિકના મુખમાં અસતુભાવ કલાનાથી બધાં ખાધ પુદ્ગલો અને બધાં સમુદ્રોનું જળ નાંખવામાં આવે, તો પણ તેમની તરસ છીપતી નથી. અહીં પ્રબલ ભસ્મક. વ્યાધિવાળા પુરુષનું દષ્ટાંત છે. આવી ભુખ-તસ્સને અનુભવતા રહે છે. * * * હવે વૈકિય શક્તિની વિચારણા • રત્નપ્રભાના નૈરયિકો એકરૂપ કે અનેકરૂપ વિકુઈવા સમર્થ છે ? કર્મપ્રકૃતિ સંગ્રહણી ચૂર્ણિકાર પણ કહે છે - પૃથક શબ્દ બહુત્વ વાચી છે. • x ભગવંતે કહ્યું - એક પણ વિકર્વી શકે, અનેક પણ વિકર્વી શકે. એક રૂપને વિકૃવતો - મુલ્ગર, મુકુંઢી સાવત્ ભિંડમાલરૂપને વિદુર્વે છે. * * * * * પૃથને વિકુવતો મુર્ગારરૂપ યાવત્ ભિંડમાલરૂપને વિકુર્વે, તે પણ સમાન રૂપોને - અસમાન રૂપોને નહીં, તથા પરિમિતને સંખ્યાતીતને નહીં, વિસર્દેશ કે અસંખ્યાત કરવાની શક્તિનો અભાવ છે. તથા સંબદ્ધ-શરીર સંલગ્નને, પોતાના શરીરથી પૃથભૂતને નહીં. વિક્ર્વીને પરસ્પરની કાયાને હણતાં વેદનાને ઉદીરે છે. કેવી વેદના ? દુઃખરૂપપણાથી જાજવલ્યમાન, લેશ સુખ પણ નહીં તેવી. સંકલ શરીર વ્યાપિતાથી વિસ્તીર્ણ, પ્રકર્મ થકી મર્મ પ્રદેશ વ્યાપિતાથી અતિ સમવગાઢ કર્કશ એવી. જેમ કર્કશ પાષાણ સંઘર્ષ શરીરના ખંડને તોડતાં વેદના ઉપજાવે છે તેવી કર્કશ. પિત પ્રકોપ માફક કટક, તેના કારણે અતિ અપ્રીતિજનક, મનથી અતી રુક્ષતાજનક, અશક્ય પ્રતિકારી દુર્ભેદ, રૌદ્રાધ્યવસાય હેતુત્વથી રૌદ્ર, અતિશય, દુ:ખરૂપ, દુધ્યિ, અતિ અસહ્ય. આ પ્રમાણે પાંચમી પૃથ્વી સુધી જાણવું. છઠ્ઠી-સાતમી પૃથ્વીના નૈરયિકો ઘણાં મોટા કીડા વિકુર્વે છે, તે લાલ-કુંથુઆ જેવા - વજમાં મુખ વાળા હોય છે. તેનાથી એક્બીજાના શરીરને આરોહીને ખાતા-ખાતાં શરીરમાં પ્રવેશીને • x • શરીરમાં સંચરીને વેદના ઉદીરે છે. હવે ક્ષેત્ર સ્વભાવજન્ય વેદના કહે છે - રનપભાના નૈરયિક શીત-ઉણ કે શીતોષ્ણ વેદના વેદે છે ? ગૌતમાં તેઓ ઉષ્ણ વેદના વેદે છે. તે નાક શીતયોતિવાળા છે, યોનિસ્થાન સિવાય સર્વ ભૂમિ ખેરના અંગારાથી અધિક તપ્ત છે. તેથી તેઓ ઉષ્ણ વેદના વેદે છે, શીત વેદના નહીં શીતોષ્ણ વેદનાના તો મૂળથી અભાવ જ છે - શર્કરપ્રભા અને વાલુકાપભાં આ પ્રમાણે જ કહેવી. પંકપ્રભા નૈરયિકોની પૃચ્છા-ગૌતમ! શીત અને ઉષ્ણ બંને વેદના વેદે છે. નકાવાસના ભેદથી આમ કહ્યું. શીતોષ્ણ વેદના ન વેદે. તેમાં ઘણાં ઉણ વેદના વેદે છે, શીતયોનિત્વથી થોડાં શીત વેદના વેદે છે. આ પ્રમાણે ધૂમપ્રભામાં પણ કહેવું. વિશેષ એ - ઘણાં ઉણયોનિવથી તેઓ ઘણી શીત વેદના વેદે છે. અલ્પતર શીતયોતિત્વથી થોડાં ઉણ વેદનાને વેદે છે. તમપ્રભાના નૈરયિકોની પૃચ્છા - માત્ર શીત વેદના વેદે છે. કેમકે ત્યાં બધાં ઉણ યોનિક છે. યોનિ સ્થાનોને છોડીને બધું ક્ષેત્ર અત્યંત બરફની માફક ઠંડુ છે.
SR No.009009
Book TitleAgam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy