SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૧/૪૮ થી ૫૦ આપની અનુજ્ઞા પામીને રત્નાવલી તપ સ્વીકારીને વિચરવા ઈચ્છું છું. યથા સુખં - - ત્યારે કાલી આયા, ચંદના આયોની અનુજ્ઞા પામીને રત્નાવલી તપ સ્વીકારે છે. તે આ પ્રમાણે - EE (૧) પહેલા એક ઉપવાસ, પછી સર્વકામ ગુણિત પારણું કરે છે. (૨) પછી છઠ્ઠુ કરીને સર્વકામગુણિત પારણું કરે છે. (૩) પછી અક્રમ કરે છે, કરીને સર્વકામ (૪) પછી આઠ છઠ્ઠ કરે છે, બધાં પારણા સર્વકામ (૫) પછી ઉપવાસ, સર્વકામગુણ પારણું, (૬) પછી છટ્ઠ, સર્વકામ (૭) પછી ક્રમ, સર્વકામ (૮) પછી ચાર ઉપવાસ, સર્વકામ૰ (૯) પછી પાંચ ઉપવાસ, સર્વકામ (૧૦) પછી છ ઉપવાસ, સર્વકામ એ પ્રમાણે (૧૧) સાત-આઠ-નવ-દશઅગિયા-બા-તે-ચૌદ-પંદર-સોળ ઉપવાસ, બધામાં સર્વ કામગુણ પારણું, (૧૨) પછી ચોત્રીશ છૐ, બધે સર્વ કામગુણિત પારણા. પછી (૧૩) સોળ-ચૌદ યાવત્ એક ઉપવાસ, બધે સર્વકામ ગુણિત પારણા, (૧૪) પછી આઠ છટ્ઠ, સર્વકામગુણ, (૧૫) અક્રમ-છઢ-ઉપવાસ કરે. ત્રણે સર્વકામ ગુણિત પારણું. આ રીતે રત્નાવલી તપની પહેલી પરિપાટી એક વર્ષ, ત્રણ માસ, ૨૨અહોરાત્ર વડે યથાસૂત્ર યાવત્ આરાધિત થાય છે. પછી બીજી પરિપાટીમાં - ૪ - પહેલી પરિપાટી મુજબ તપ કરે છે, પણ પારણા બધાં વિગઈ છોડીને કરે છે - - - પછી ત્રીજી પરિપાટી આરંભે છે, તેમાં તપ પૂર્વવત્ જ છે. પણ પારણું અલેપકૃત કરે છે, એ રીતે જ સૌથી પરિપાટી આરાઘે છે, તેમાં પારણા આયંબિલથી કરે. [૪૯] પહેલીમાં સર્વકામગુણિત પારણું, બીજામાં વિગઈને વર્જીને, ત્રીજીમાં અલેપકૃત્ અને ચોથીમાં આયંબિલથી પારણું કરે. [૫૦] ત્યારપછી તે કાલી આર્યા રત્નાવલી તપને પાંચ વર્ષ, બે માસ, ૨૮દિવસે યથાસૂત્ર યાવત્ આરાધીને આર્યા સ્પંદના પાસે આવી, વંદના-નમસ્કાર કરી, ઘણાં ઉપવાસ યાવત્ આત્માને ભાવિત કરતા વિચરે છે. ત્યારપછી તે કાલી આર્યા, તે ઉદાર યાવત્ ધમની વ્યાપ્ત થઈ ગયા. જેમ કોઈ કોલસા ભરેલ ગાડી હોય યાવત્ સારી રીતે હોમ કરેલ અગ્નિ હોય, ભસ્મરાશિથી ઢંકાયેલ હોય, તેમ તપ-તેજ શ્રી વડે અતી ઉપશોભતી રહી હતી. ત્યારપછી તે કાલી આયનિ અન્ય કોઈ દિને મધ્યરાત્રિકાળે આવો વિચાર આવ્યો, સ્કંદકની વિચારણા મુજબ જાણવું યાવત્ ઉઠવાની શક્તિ છે, ત્યાં સુધીમાં મારે કાલે યાવત્ સૂર્ય ઉગ્યા પછી આર્યા ચંદનાને પૂછીને, તેમની અનુજ્ઞા પામીને, સંલેખના કરીને, ભોજન-પાનનું પચાણ કરીને, કાળની અપેક્ષા ન કરતાં વિચરવું. એમ વિચાર કરીને બીજા દિવસે આર્યા ચંદના પાસે આવીને, તેમને વંદન-નમન કરી આમ કહ્યું હૈ આર્યા! આપની અનુજ્ઞા પામીને સંલેખના ચાવર્તી વિચરવા ઈચ્છું છું યથા મુર્ખ - - - કાલી આર્યા, ચંદના આયાંની અનુજ્ઞા પામી, સંલેખના-ઝોસણા યાવત્ અંતકૃદ્દશાંગસૂત્ર-સટીક અનુવાદ વિચરે છે. કાલી આર્યા, ચંદના આર્યા પાસે સામાયિક આદિ અગિયાર અંગોને ભણીને, પ્રતિપૂર્ણ આઠ વર્ષનો શ્રામણ્ય પર્યાય પાળીને, માસિકી સંલેખનાથી આત્માને આરાધી, ૬૦ ભક્તોને અનશન વડે છેદીને, જે હેતુ માટે ચાસ્ત્રિ ગ્રહણ કરેલ, તે અર્થને સાધીને, છેલ્લા ઉચ્છ્વાસ-નિઃશ્વાસે સિદ્ધ થયા. નિક્ષેપો કરવો. ૧૦૦ • વિવેચન : આઠમા અધ્યયનમાં કંઈક લખીએ છીએ. રત્નાવલી-કોઈ આભરણ વિશેષ છે, જેમ રત્નાવલી બંને બાજુએ સૂક્ષ્મ-સ્થૂળ-સ્થૂળતર વિભાગથી, સુવર્ણયુક્ત હોય છે, મધ્યદેશે સ્થૂલ-વિશિષ્ટ-મણિવાળી હોય છે, એ રીતે આ તપમાં સૂત્રોક્ત પ્રમાણથી આવો આકાર થાય છે. [અહીં વૃત્તિકારશ્રીએ વૃત્તિમાં તેની સ્થાપના વિધિ જણાવી છે, જે મુખ્યત્વે સૂત્રાર્થ આધારિત જ હોવાથી અમે તેનો અનુવાદ અહીં કર્યો નથી. Ø વર્ગ-૮, અધ્યયન-૨-‘સુકાલી” છે — — — x − x - • સૂત્ર-પર : તે કાળે ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, કોણિક રાજા. ત્યાં રાજા શ્રેણિકની પત્ની અને કોણિકની લઘુમાતા સુકાલીદેતી હતી. કાલીદેવી માફક દીક્ષા લીધી, યાવત્ ઘણાં ઉપવાસ સાવત્ ભાવતા વિચરે છે. તે સુકાલી આર્યા અન્ય કોઈ દિને, ચંદના આયાં પાસે યાવત્ આપની અનુજ્ઞા પામીને કનકાવલી તપ સ્વીકારી વિચરવા ઈચ્છું છું. રત્નાવલી માફક જ કનકાવલી જાણવી. વિશેષ એ કે ત્રણ સ્થાને અક્રમ કરે છે, જ્યાં રત્નાવલીમાં છટ્ઠ આદિ છે. એક પરિપાટીમાં પાંચ માસ, ૧૨-દિન થાય છે. ચારે પરિપાટી થઈને પાંચ વર્ષ, નવ માસ, ૧૮-દિન થાય છે, બાકી પૂર્વવત્. નવ વર્ષનો પર્યાયપાળી યાવત્ સિદ્ધ થઈ. • વિવેચન-૫૧ : કનકાવલિ-સુવર્ણમય મણિરૂપ આભરણ વિશેષ. Ø વર્ગ-૮, અધ્યયન-૩-“મહાકાલી” — x — — x — — સૂત્ર-પર : એ પ્રમાણે મહાકાલી પણ જાણવા. વિશેષ આ - તેણી લઘુ સિંહ-નિષ્ક્રીડિત તપ સ્વીકારી વિચારે છે. તે આ – (૧) ઉપવાસ કરે છે, પછી સર્વકામ ગુણિત પારણું કરે છે. (૨) પછી છઠ્ઠ, સકામ (૩) પછી ઉપવાસ, સર્વકામ, (૪) પછી અક્રમ, સર્વકામ (૫) પછી છઠ્ઠ, સર્વકામ, (૬) પછી ચાર ઉપવાસ, સર્વ કામગુણ (૭) અક્રમ, સર્વકામ૰ (૮) પાંચ ઉપવાસ, સર્વકામ (૯) ચાર ઉપવાસ, સર્વકામ (૧૦) છ ઉપવાસ, સર્વકામ૰ (૧૧) પાંચ ઉપવાસ, સર્વકામ પારણું. એ રીતે સાત – છ, આઠ-સાત નવ-આઠ, પછી પાછાં નવ-આઠ, આઠ
SR No.009006
Book TitleAgam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy