________________
૧/૧ થી ૧૦/૧ થી ૩
(૮) અંતકૃત-દશાંગ
સૂત્ર
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૦ હવે અંતકૃત્ દશામાં કંઈક કહીએ છીએ. અંત-ભવાંત, કૃતુ - જેઓએ કર્યો છે, તે અંતકૃત્, તેની વક્તવ્યતા યુક્ત દશા-દશ અધ્યયનરૂપ, ગ્રંથની પદ્ધતિ તે અંતકૃત્ દશા. અહીં આઠ વર્ગો છે. તેમાં પહેલા વર્ગમાં દશ અધ્યયનો છે. તે શબ્દ વ્યુત્પત્તિ નિમિત્તને આશ્રીને આ “અંતકૃત્ દશા'' કહેલ છે, તેમાં ઉપોદ્ઘાત અર્થથી કહે છે -
-
વર્ગ-૧-અધ્યયન-૧ થી ૧૦ છે
— — ૪ — x — x —
૩૧
:
સૂત્ર-૧ થી ૩
[૧] તે કાળે, તે સમયે ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. વર્ણન, તે કાળે, તે સમયે આર્ય સુધમાં પધાર્યા, પર્યાદા નીકળી યાવત્ પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધર્માના શિષ્ય, આર્ય જંબૂ યાવત્ પર્યાપારાતા હતા. તેણે પૂછ્યું – જો શ્રમણ, આદિકર યાવત્ સંપ્રાપ્તે સાતમા અંગસૂત્ર ઉપાસકદશાનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવન્ ! આઠમાં અંગસૂત્રનો શ્રમણ ભગવંતે શો અર્થ કહ્યો છે ?
હે જંબુ ! શ્રમણ ભગવંતે આઠમાં અંગ અંતકૃદશાના આઠ વર્ગો કહ્યા છે. ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીરે આઠમાં અંગ અંતકૃદશાના આઠ વર્ગો કહ્યા છે, તો ભંતે ! અંતકૃશાના પહેલા વર્ગના શ્રમણ યાવત્ સંપાÒ કેટલા અધ્યયન કહ્યા છે ? હે જંબુ ! શ્રમણ ભગવંતે સાવત્ આઠમાં અંગના પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે.
[૨] તે આ — ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, સ્તિમિત, અચલ, કાંપિલ્સ, અક્ષોભ, પ્રસેન, વિષ્ણુ [આ દશ અધ્યયનો છે.
[૩] ભંતે ! જો શ્રમણ યાવત્ સંપાà અંતકૃદ્દા આઠમા અંગના પહેલાં વર્ગના દશ અધ્યયન કહ્યા છે, તો ભંતે! શ્રમણ ભગવંતે પહેલાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? - - નિશ્ચે હે જંબૂ ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી, બાર યોજન લાંબી, નવ યોજન પહોળી હતી, તે ધનપતિની મંતિથી બનાવેલી, સુવર્ણના પાકારવાળી, વિવિધ પંચરંગી મણિના કાંગરા વડે મંડિત, સુરમ્ય, અલકાપુરી સદેશ, પ્રમુદિત-પ્રકીડિત, પ્રત્યક્ષ દેવલોકભૂતા, પાસાદીયાદિ હતી. તે દ્વારવતી નગરી બહાર ઈશાન ખૂણામાં રૈવત નામે પર્વત હતો, તે રૈવત પર્વતે નંદનવન નામે ઉધાન હતું, સુરપ્રિય નો પુરાતન (જૂનું) યક્ષાયતન હતું. તે એક વનખંડથી ઘેરાયેલ હતું, મધ્યે ઉત્તમ અશોકવૃક્ષ હતું.
અંતકૃદ્દશાંગસૂત્ર-સટીક અનુવાદ
તે દ્વારવતી નગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા રહેતો હતો, તે મહાન્ રાજાનું વર્ણન કરવું. તે ત્યાં સમુદ્રવિજય આદિ દશ દશાહ, બલદેવ આદિ પાંચ મહાવીર, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુદાંતો, મહોન આદિ ૫૬,૦૦૦ બળવાનો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજા, રુકિમણી આદિ ૧૬,૦૦૦ દેવીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓ, બીજાં પણ ઘણાં ઈશ્વર યાવત્ સાર્થવાહો, દ્વારાવીનગરી અને સમગ્ર અર્ધ ભરતક્ષેત્રનું આધિપત્ય કરતો યાવત્ વિચરતો હતો.
૩૨
તે દ્વારવતી નગરીમાં અંધકવૃષ્ણિ રાજા હતો, તેનું મહા હિમવંત આદિ વર્ણન કરવું. તે રાજાને ધારિણી રાણી હતી. તે ધારિણી દેવી કોઈ દિવસે તેવી, તેવા પ્રકારની શય્યામાં સુતી હતી ઈત્યાદિ મહાબલ કુમારની માફક વર્ણન કરવું.
• વિવેચન-૧ થી ૩ -
શૌયમ આદિ અધ્યયન સંગ્રહાર્ય ગાથા છે. ધળવમનિમાયા - વૈશ્રમણ બુદ્ધિથી રચિત. અલકાપુરી-વૈશ્રમણયક્ષની નગરી જેવી. તેના નિવાસીને કારણે પ્રમુદિત-પ્રક્રીડિત હતી. મા રાજ વર્ણન, પહેલા જ્ઞાતમાં મેઘકુમારના રાજ્યાભિષેકમાં જોવું, રસ ચૂસાર - સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્તિમિત, સાગર, હિમવાત્, અચલ, ધરમ, પૂરણ, અભિચંદ્ર, વસુદેવ. આ દશે પૂજ્ય હોવાથી દશાર્હ કહ્યા. ત્યાં અંધકવૃષ્ણિ નામે યાદવ વિશેષ હતો.
મધ્વન - ભગવતી સૂત્રમાં મહાબલ કહ્યો, તેમ અહીં કહેવું.
• સૂત્ર-૪,૫ -
[૪] સ્વપ્નદર્શન, કથના, જન્મ, બાલ્યત્વ, કલા, યૌવન, પાણિગ્રહણ, કાંતા, પ્રસાદ અને ભોગ. - [૫] વિશેષ એ - ગૌતમ નામ રાખ્યુ, આઠ શ્રેષ્ઠ રાજકન્યા સાથે એક દિવસે જ પાણિગ્રહણ થયું, આઠ-આઠ સંખ્યામાં દાયજો આપ્યો. . . તે કાળે, તે સમયે આદિકર અરહત અષ્ઠિનેમિ યાવત્ વિસરે છે, ત્યારે પ્રકારના દેવો આવ્યા, કૃષ્ણ પણ નીકળ્યો.
ત્યારે ગૌતમકુમાર, મેઘકુમારની જેમ નીકળ્યા, ધર્મ સાંભળ્યો. વિશેષ એ કે – માતા પિતાને પૂછીને આપની પાસે દીક્ષા લઈશ. એ રીતે મેઘકુમારની જેમ અણગાર થયા યાવત્ આ નિર્ણન્ય પ્રવચનને આગળ કરીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે ગૌતમ અન્ય કોઈ દિવસે રહંત અષ્ટિનેમિના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ અગિયાર અંગ ભણ્યા. ઘણાં ઉપવાસાદિથી યાવત્ ભાવતા વિચરે છે. અરહંત અષ્ટિનેમિ કોઈ દિવસે દ્વારાવતીના નંદનવનથી નીકળી બહાર જનપદમાં વિચરે છે ત્યારે ગૌતમ અણગાર કોઈ દિવસે ભગવંત પાસે આવ્યા. ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને કહ્યું – ભગવન્ ! આપની અનુજ્ઞા પામીને માસિકી ભિક્ષુપ્રતિમા સ્વીકારીને વિચરવા ઈચ્છુ છું.
એ પ્રમાણે સ્કંદકની માફક બાર ભિક્ષુપતિમાને સ્પર્શીને ગુણરત્ન તપ તે રીતે જ સ્પર્શીને બધું સ્કંદક માફક યાવત્ ચિંતવે છે, તે રીતે જ પૂછે છે,