SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩/૧૮ ૨૩૩ આવશ્યકી તૈBધિક્યાદિકરણ અથવા હાથ પસારવાપૂર્વક જમીન પ્રમાર્જના પછી પગ મૂકવારૂપ. આ અને આવા સેંકડો કારણોમાં વિનય પ્રયોજવો જોઈએ. • x • વિનય પણ તપ જ છે. તે અત્યંતર તપના ભેદમાં આવે છે. • x • તપ પણ ધર્મ છે. માત્ર સંયમ જ ધર્મ નથી, તપ પણ ચારિત્રના અંશ સ્વરૂપ હોવાથી ધર્મ છે. તેથી વિનય કરવો જોઈએ. કોનો ? ગુરુ-સાધુ-અટ્ટમાદિ તપસ્વીનો. વિનયકરણથી જ તીર્થકરાદિ અનુજ્ઞા સ્વરૂપ અદત્તાદાન વિરમણ પરિપાલિત થાય છે. - x - x • બાકી બધું પૂર્વવતુ. - - હવે ઉપસંહારાર્થે કહે છે - એ પ્રમાણે આ સંવર દ્વાર સમ્યક રીતે સંવરિત થાય છે. સુપ્રણિતિ થાય છે. આ પાંચ ભાવના વડે મન-વચન-કાયાનું રક્ષણ કરતો, નિત્ય-આમરણાંત આ યોગ જાણવો. ધૃતિમાન, મતિમાન, અનાશ્રવ, અકલુપ, નિછિદ્ર, અપરિસાવી, સંક્ષિપ્ત, શુદ્ધ, સર્વેજિન વડે અનુજ્ઞાત. આ ત્રીજું સંવર દ્વાર પશિત, પાલિત, શોધિત, તીરિત, કિર્તિત, સમ્યક આરાધિત અને આજ્ઞા વડે અનુપાલિત થાય છે. એમ ભગવંતે - X - X • કહ્યું છે. નિગમનની વ્યાખ્યા પહેલાં સંવર અધ્યયન મુજબ જાણવું. પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ છે સંવર-અધ્યયન-૪-“બ્રહ્મચર્ય” છે. - X - X - X - X - X - X – o ત્રીજા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે ચોથું બ્રહ્મચર્ય સંવરને આરંભે છે. સૂત્રકમથી તેનો પૂર્વ સાથે આ સંબંધ છે અથવા અનંતર અધ્યયનમાં અદત્તાદાન વિરમણ કહ્યું, તે પ્રાયઃ મૈથુન વિરમણ યુક્તને સહેલાઈથી થાય છે. તેથી “બ્રાહ્મચર્ય''ને કહે છે. તેનું પહેલું સૂત્ર • સૂત્ર-૩૯ થી ૪૩ : [36] હે જંબૂ! હવે બ્રહ્મચર્ય - ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન ચાઝિ, સમ્યકત્વ, વિનયનું મૂળ છે. યમ, નિયમ, ગુણ પ્રધાન સુકત છે. હિમવંત પર્વતથી મહાન, તેજોમય, પ્રશરસ્ત-ગંભીર-સિમિત - મધ્ય છે. સરળત્મા સાધુજન દ્વારા આચરિત, મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધ સિદ્ધિ ગતિના આવાસરૂપ છે. શાશ્વત-અવ્યાબાધા-પુનર્ભવ રહિતકત છે. પ્રશસ્ત-સૌમ્ય-શુભ છે. શિવ-અચલ અને અક્ષયકર છે. ઉત્તમ મુનિ દ્વારા રક્ષિત, સુચરિત, સુભાષિત છે. શ્રેષ્ઠ મુનીઓ દ્વારા જે ધીર, શૂરવીર, શર્મિક અને ધૃતિમંતોને સદા વિશુદ્ધ, ભવ્ય, ભવ્યજનોથી આરાધિત છે. વ્રત નિઃશાંકિત, નિર્ભય, નિસ્મારતા રહિત, નિરાયાસ, નિરુપલોપ, નિવૃત્તિગૃહ અને નિયમથી નિષ્કપ છે. તપ અને સંયમનો મૂલાધાર છે. પાંચ મહાવ્રતોમાં સુરક્ષિત, સમિતિગુપ્તિ-ગુપ્ત છે. ઉત્તમ ધ્યાનરૂપ સુનિર્મિત કબાટવાળું છે અને અધ્યાત્મ ચિત્ત જ તેની અલા છે. દુર્ગતિના માનિ શુદ્ધ અને આચ્છાદિત કરનાર છે, સુગતિપથદર્શક છે. આ વ્રત લોકમાં ઉત્તમ છે. આ વ્રત કમળોથી સુશોભિત સરોવર અને તળાવ સમાન પાળી , મહાશકટના પૈડાના આરાની નાભિ સમાન, વિશાળ વૃક્ષના સ્કંધ સમાન, મહાનગરના હાર-પાકા-આગલા સમાન, દોરીથી બાંધેલ ઈન્દ્રવજ સદંશ, અનેક નિર્મળ ગુણોથી વ્યાપ્ત છે. જેના ભગ્ન થવાથી સહસા, સર્વે વિનયશીલ-તપ-નિયમ અને ગુણોનો સમૂહ ફૂટેલા ઘડાની સમાન સંભ થઈ જાય છે. મણિત-ભૂમિ-કુશલ્યયુક્ત-પર્વતથી લુઢકેલ Pિlલાની જેમ પડેલપરિસડિત-વિનાશિત થઈ જાય છે. બ્રહ્મચર્યવ્રત વિનય-શીલ-તપ-નિયમ ગુણ મુનિ દીપરત્નસાગરે કરેલા સંવર-અધ્યયન-3-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ સમૂહ રૂપ છે. તે ભગવંત જહાચર્ય ની ત્રીશ ઉપમા આ પ્રમાણે-). (૧) ગ્રહ ગણ નમ તારામાં ચંદ્ર સમાન, () મણિ મોતી શિલા પવાલ લાલરના આકરક્ષ સમુદ્ર સમાન, (૩) મણિમાં વૈડૂર્ય સમાન, (૪) આભુષણમાં મુગટ, (૫) વસ્ત્રોમાં ક્ષૌમ યુગલ, (૬) પુણોમાં શ્રેષ્ઠ અરવિંદ, (૭) ચંદનોમાં ગોશીષચંદન, (૮) ઔષધિના ઉત્પત્તિ સ્થાન હિમવંત પર્વત (૯) નદીમાં સીતોu (૧) સમદ્રમાં સ્વયંભૂરમણ, (૧૧) માંડલિક પર્વતોમાં ચકવર, (૧) ગજરાજમાં ઐરાવણ, (૧૩) મૃગોમાં સીંહ સમાન,
SR No.009006
Book TitleAgam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy