________________
૨|૩|૩૮
૨૫
વર્જવો જોઈએ. આના દ્વારા મૂળગુણ અશુદ્ધનો પરિહાર કહેલ છે. તથા આસિતથોડું પાણી છાંટવું, સંમસ્જિય-સાવરણી આદિ વડે કચરો કાઢવો, ઉસિક્ત-અતિ જળનું અભિસિંચન. સોહિય-ચંદન, માળા, ચતુક, પૂરણાદિ વડે શોભા કરવી. છાયણ-ઘાસ આદિનું છાપરું કરવું, મણ-ચૂનાથી ધોળવો. લિંપણ-છાણ આદિથી ભૂમિને પહેલાથી લીંપવી. અનલિંપન-એક વખત લિપેલ ભૂમિને ફરી લિંપવી. જલણ-અગ્નિ સળગાવી ગરમ કરવું કે પ્રકાશિત કરવા દીપ પ્રગટાવવો. ભંડવાલણપેટી વગેરે અથવા વેચાણ વસ્તુ ગૃહસ્થ રાખી હોય તે સાધુ માટે બીજા સ્થાને રાખવી.
- આ આસિંચન આદિ રૂપ ઉપાશ્રયની અંદર કે બહાર અસંયમ-જીવ વિરાધના જે ઉપાશ્રયમાં થાય છે. સંયત-સાધુઓના માટે, તેવા ઉપાશ્રય-વસતિને વર્જવી જોઈએ. સૂપતિકુષ્ટ-આગમમાં નિષિદ્ધ છે પહેલી ભાવનાનો નિક-એ રીતે ઉકત અનુષ્ઠાન પ્રકારે વિવિક્ત-બંને લોક આશ્રિત દોષ વર્જતો કે નિર્દોષ વાસ-નિવાસ જ્યાં છે તે વિવિક્તવાસ આવી વસતિ વિષયક જે સમિતિ-સમ્યક પ્રવૃત્તિ, તેનાથી જીવ ભાવિત થાય. કેવા પ્રકારે ? સદા અધિકિયd-દુર્ગતિમાં આત્મા જેના વડે તે દુરનુષ્ઠાન તેને કરવું - કરાવવું, તે જ પાપઉપાદાનક્રિયા, તેનાથી વિસ્ત જે છે તે તથા દત્તાનુજ્ઞાત જે અવગ્રહણીય વસ્તુ, તેમાં રુચિ જેની છે તે.
બીજી ભાવના-અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણ. તે આ રીતે • આરામ-દંપતીને રમણ સ્થાનરૂપ માધવીલતાદિ યુક્ત. ઉધાન-પુષ્પાદિ યુક્ત વૃક્ષ સંકુલાદિ ઉત્સવાદિમાં ઘણાં લોકો દ્વારા ભોગ્ય. કાનન-સામાન્ય વૃક્ષયુક્ત નગરની નજીકનું વનનગરથી અલગ પ્રદેશરૂ૫. - તેમાં સામાન્યથી અવગ્રહણીય વસ્તુ, તેને વિશેષથી કહે છે – ઈક્કડઢંઢણ સમાન વૃણ વિશેષ. કઠિનક અને જંતુક-જળાશયજ તૃણ વિશેષ, પરા-એક તૃણ, મેરા-મુંજસસ્કિા, કૂર્ય-કુવિંદના કુચા કરે, કુશદર્ભનો આકાર કરાયેલ. પલાલ-કંગુ આદિનું ભુંસુ. મૂયક-મેદપાટ પ્રસિદ્ધ ઘાસ વિશેષ. વલ્વજ-એક તૃણ. ફળ, ત્વચાદિ પ્રસિદ્ધ છે. - x - તે બધાને ગ્રહણ કરે. શા માટે ? શય્યાસંતાક ૫ ઉપધિને માટે. તે સાધને કાતું નથી. કેમકે ઉપાશ્રયમાં રહેલ અવગ્રાહ્ય વસ્તુની અનુજ્ઞા લીધી નથી - x - એવું કહેવા માંગે છે કે – ઉપાશ્રયની અનુજ્ઞા સાથે તેમાં રહેલ ડ્રણાદિની પણ આજ્ઞા લેવી જોઈએ, અન્યથા તે અગ્રાહ્ય છે. તે જ કહે છે – હણિહાણ-અહનિઅહનિ, રોજેરોજ. - x - નિર્ધ-પહેલી ભાવના મુજબ જાણવો. - ૪ -
ત્રીજી ભાવના-શાપરિકર્મવર્જન. તે આ - પીઠ, ફલક, શય્યા, સંતાક આદિ માટે વૃક્ષો ન દવા, તે ભૂમિ આશ્રિત વૃક્ષાદિનું છેદન-ભેદન કરીને શયનીય ન કરાવવું. જે ગૃહસ્પતિની વસતિમાં નિવાસ કરે ત્યાંજ શય્યા અને શયનીયની ગવેષણા કરવી. વિષમ શયાને સમ ન કરવી. નિર્વાતને પ્રવાત ન
૨૩૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કરવી. દંશ-મસકને ક્ષોભ ન કરવો કે તેને દૂર કરવાને અગ્નિને ધુમાડો ન કરવો. આ રીતે સંયમબહુલ - પૃથ્વી આદિ સંરક્ષણ પ્રસુર, સંવરબહુલપ્રાણાતિપાતાદિ આશ્રવ દ્વારા વિરોધ પ્રચુર, સંવૃત બહુલ - કષાયેન્દ્રિય સંવૃતવા પ્રયુર, સમાધિ-ચિતસ્વાચ્ય, ધીર-બુદ્ધિમાન, પરીષહોમાં અક્ષોભ્ય, કાયા વડે સ્પર્શીને, માત્ર મનોરોગી નહીં.
સતત-આત્માને આશ્રીને આત્માલંબન ધ્યાન-ચિતનિરોધ, તેના વડે યુક્ત, આત્મધ્યાન : હું અમુક છું, અમુક કુળનો છું, અમુકનો શિષ્ય છું અમુક ધર્મસ્થાન સ્થિત છું, તેની વિરાધના ન કરું ઈત્યાદિ. સમિતિ વડે અમિત, એક • રાગાદિ અભાવે અસહાય ચારિ ધર્મમાં સ્થિત થઈશ. હવે બીજી ભાવનાનો નિક-અનંતરોક્ત શય્યા સમિતિ યોગથી પૂર્વવતુ.
ચોથી ભાવના-અનુજ્ઞાત ભક્તાદિ ભોજન લક્ષણ-સાધારણ-સંઘાટકાદિ સાધર્મિકના જે સામાન્ય ભોજનાદિ, પાત્ર, ઉપધિ આદિ દેનાર પાસેથી જે પ્રાપ્ત થાય તે સાધારણપિંડપણ લાભ તે ભોગવે કઈ રીતે ? સાધુ વડે અદત્તાદાન ન થાય તેમ. તેનું સભ્યપણું કહે છે – સાધારણ ભોજનના શાક-દાળના અધિક ભોગથી સંઘાટક સાધુને અપ્રીતિ થાય છે, તેથી તે અદત છે. પ્રયુર ભોજનથી પણ અપીતિ થાય. વળી તે પ્રયુર ભોજનતા સાધરણ પિંડમાં પણ ભોજક અંતરની અપેક્ષાએ વેગથી ખાતા થાય છે, તેથી તેના વિષેધને માટે કહે છે - જલ્દી જલ્દી કોળીયા ગળવા નહીં, જલ્દીથી કોળીયા મોઢામાં ન મૂકવા. હાથીની ડોકની જેમ કાયાના ચલન માફક ચપળ ન થવું સાહસ-વિચાર્યા વિના ન (વર્તવું). તેથી જ બીજાને પીડાકર તે સાવધ, કેટલું વિશેષ કહેવું ? યતનાપૂર્વક ખાવું જોઈએ. જેથી તે સંયતનું ત્રીજું વ્રત ન સીદાય-ભેંશ ન પામે. આ સૂક્ષ્મત્વથી દૂરક્ષ છે માટે કહે છે -
સાધારણ પિંડ પાત્ર લાભ વિષયભૂત સૂક્ષ્મ-સુનિપુણમતિ રાણીયપણાથી અણુ. તે શું? અદત્તાદાન વિરમણ લક્ષણ વ્રતથી જે નિયમ-આત્માનું નિયંત્રણ છે. પાઠાંતરથી અદત્તાદાન વ્રત એ બુદ્ધિથી નિયમન-અવશ્યતયા જે વિરમણનિવૃત્તિ. તેના નિાકર્ષ માટે કહે છે - ઉક્ત ન્યાયથી સાધારણ પિંડ પાત્ર લાભમાં વિષયભૂત સમ્યક્ પ્રવૃત્તિ સંબંધથી જીવ ભાવિત થાય છે. કેવો ? નિત્ય આદિ.
પાંચમી ભાવના-સાધર્મિકોમાં વિનયને પ્રયોજવો. આ જ વિષયભેદથી કહે છે – ‘ઉવકરણપારણાસુ” - પોતાના કે બીજાના ઉપકરણ-પ્લાનાદિ અવસ્થામાં બીજા વડે ઉપકાર કરવો અને પારણા-તપસ્વીના કે શ્રુતસ્કંધાદિ શ્રતના પાર ગમન તે ઉપકારપારણ, તે બંનેમાં વિનય પ્રયોજવો. વિનય અને ઈચ્છાકાસદિ દાનથી એક્સ અને અન્યત્ર ગર અનુજ્ઞાથી ભોજનાદિ કૃત્ય-કરણ લક્ષણ. વાચનાસૂત્રગ્રહણ, પરિવર્તના - તેનું જ ગુણન. તેમાં વંદનાદિ રૂપ વિનય કરવો.
દાન-પ્રાપ્ત અન્નાદિનો ગ્લાનાદિને વિતરણ. ગ્રહણને જ બીજા વડે દેવાતા આદાન. પૃચ્છના-વિમૃત સૂત્રાર્થ પ્રશ્ન. * * * નિષ્ક્રમણ અને પ્રવેશમાં -