________________
૨૩૧
બીજી ભાવના-આરામ, ઉધાન, કાનન, વન આદિ સ્થાનોમાં જ કંઈ પણ ઈક્કડ, કઠિનગ, જંતુગ, પરા-મેર-કુચ-કુશ-દર્ભ-પલાલ-સૂચક-વલ્વજપુષ્પ-ફળ-વા-પવાલ-કદ-મૂલ-તૃણ-કાષ્ઠકકર આદિ દ્રવ્ય શય્યા ઉપધિને માટે ગ્રહણ કરે છે. તો આ ઉપાશ્રયની અંદરની ગ્રાહ્ય વસ્તુને દાતા દ્વારા આપ્યા વિના ગ્રહણ કરવાનું ન કર્યો, પણ પ્રતિદિન અવગ્રહ અનુજ્ઞા લઈને ગ્રહણ કરવું જોઈએ. આ પ્રમાણે અવગ્રહ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા નિત્ય અધિકરણ કરણ-કારાવણ, પાપકર્મથી વિરત દત્ત-અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળો થાય છે.
૨/૩/૩૮
ત્રીજી ભાવના-પીઠ, ફલક, શય્યા, સંસ્તારકને માટે વૃક્ષો છેદવા નહીં. છેદન-ભેદન વડે શય્યા તૈયાર ન કરાવવી. જેના ઉપાશ્રયમાં નિવાસ કરે, ત્યાં જ શયાની ગવેષણા કરવી જોઈએ, તે વિશ્વમભૂમિને સમ ન કરે, પવન વિનાના સ્થાનને પવનવાળુ ન કરે, તે માટે ઉત્સુક ન થાય. ડાંસ-મચ્છરને ક્ષોભિત કરવા અગ્નીનો ધૂમાડો ન કરે. એ પ્રમાણે સંયમ-સંવર-સંવૃત્તસમાધિ બહુલ, ધીર મુનિ, કાયાથી વ્રતને પાતળા, સતત અધ્યાત્મ-ધ્યાન યુક્ત, સમિત થઈને એકાકી ધર્મ આચરણ કરે. આ પ્રમાણે શય્યા સમિતિયોગથી ભાવિત અંતરાત્મા-મુનિ સદા દુર્ગતિના કારણભૂત પાપકર્મથી વિરત અને દત્ત અનુજ્ઞાત અવગ્રહ રુચિ થાય છે.
ચોથી ભાવના-બધાં સાધુ માટે સાધારણ, સંમિલિત ભોજન-પાણી આદિ મળે ત્યારે સાધુએ સમ્યક્ રીતે, યહનાપૂર્વક વાપરવા જોઈએ. શાક અને સૂપ [દાળ]ની અધિકતાવાળું ભોજન ન ખાવું. વેગથી-ત્વરાથી-ચપળતાથીવિચાર્યા વિના-બીજાને પીડાકર અને સાવધ હોય તેવું ભોજન ન કરવું જેથી ત્રીજા વ્રતમાં બાધા ન થાય. આ સાધારણ ભોજન-પાનના લાભમાં સૂક્ષ્મ અદત્તાદાન વ્રત-નિયમ વિરમણ છે. આ પ્રમાણે સાધારણ ભોજન-પાન લાભમાં સમિતિયોગથી ભાવિત અંતરાત્મા સદા દુર્ગતિહેતુ પાપકર્મ કરણ કરાવણથી વિત થાય છે અને દત્ત અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળો થાય છે.
પાંચમી ભાવના-સાધર્મિક પ્રતિ વિનય પ્રયોગ કરવો. ઉપકરણ અને પારણામાં, વાયના અને પરિવર્તનામાં, દાન-ગ્રહણ અને પૃચ્છનામાં, નિષ્ક્રમણ અને પ્રવેશમાં વિનયને પ્રયોજવો જોઈએ. આ સિવાય, આવા પ્રકારના સેંકડો કારણોમાં વિનય પ્રયોજવો જોઈએ. કેમકે વિનય એ જ તપ છે, તપ એ જ ધર્મ છે. તેથી વિનય આચરણ કરવું જોઈએ. [આ વિનય] ગુરુ, સાધુ, તપસ્વીનો કરવો. આ પ્રમાણે વિનયથી ભાવિત અંતરાત્મા નિત્ય દુર્ગતિના હેતુરૂપ પાપકર્મ કરવા-કરાવવાના કર્મથી વિરત તથા દત્ત અનુજ્ઞાત અવગ્રહ રુચિ થાય છે. - - - આ પ્રમાણે આ સંવરદ્વારે સમ્યક્ સંવરિત થાય, સુપ્રણિહિત થાય યાવત્ ભગવંત દ્વારા આઘવિત, સુદેશિત, પ્રશસ્ત છે.
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
• વિવેચન-૩૮ :
હે જંબૂ ! આમંત્રણ વચન છે. દત્ત-અપાયેલ અન્નાદિ. અનુજ્ઞાત-પાછા દેવા યોગ્ય પીઠ, ફલકાદિ, લેવા. આ રૂપ જે સંવર તે “દત્તાનુજ્ઞાત સંવર” નામ થાય છે, આ ત્રીજું સંવરદ્વાર છે.
૨૩૨
હે જંબૂનામક સુવતી ! આ મહાવ્રત છે. ગુણ-આલોક, પરલોકમાં ઉપકારના કારણભૂત વ્રત હોવાથી ગુણવ્રત છે. તેનું સ્વરૂપ-પરદ્રવ્ય હરણ પ્રતિ વિરતિકરણયુક્ત છે. અપરિમિત-અપરિમાણ દ્રવ્ય વિષયક કે અનંત, અક્ષય જે તૃષ્ણા-વિધમાન દ્રવ્યના અવ્યયની ઈચ્છા, મહેચ્છા-અવિધમાનદ્રવ્ય વિષયમાં મહાભિલાષ, જે મનમાનસ, વચન-વાણી, તે બંનેથી જે કલુષ-પરધનવિષયત્વથી પાપરૂપ આદાનગ્રહણ, તેને સારી રીતે નિગૃહીત કરેલ. સુસંયમિત મન વડે-સંવૃત્તચિત્તથી, હાથપગને પરધન લેવાની પ્રવૃત્તિથી વિરમેલ. આ બે વિશેષણથી મન-વચન-કાયાનો નિરોધ કહ્યો.
તથા નિર્ણય-બાહ્ય અત્યંતર ગ્રન્થિરહિત, નૈષ્ઠિક-સર્વધર્મના પ્રકર્ષના છેડા સુધી રહેલ, સર્વજ્ઞોએ ઉપાદેયપણે સદા કહેલ અથવા અવ્યભિચરિત, નિરાશ્રવકર્મના આદાનથી રહિત, નિર્ભય-રાજાદિભય રહિત, વિમુક્ત-લોભદોષ તજેલ, પવર બલવક-પ્રધાન બળવાળા, સુવિહિતજન-સુસાધુ લોકને સંમત છે. પરમ સાધુને ધર્માચરણ-ધર્માનુષ્ઠાન છે. ગામ, નગરાદિ વ્યાખ્યા પૂર્વવત્.
નિશ્ર્ચિત્ - અનિર્દિષ્ટ સ્વરૂપ દ્રવ્ય, તે કહે છે 8- મણિ, મોતી, શિલા આદિ. કેવા ? પતિત-પડેલા, પમ્બુક-વિસ્મૃત, વિપણષ્ટ-સ્વામીએ શોધવા છતાં ન મળેલ. તે કોઈ અસંયત કે સંયતને કહેવાનું ન કલ્પે. અદત્ત ગ્રહણ કે પ્રવર્તન ન થાય તે માટે લેવું ન કલ્પે. કેમકે તેનાથી સાધુ નિવૃત્ત હોય છે. તેથી સાધુએ આ પ્રમાણે વિચવું, તેથી કહે છે ચાંદી, સોનું જેને હોય તે હિરણ્ય સુવર્ણિક, તેનો નિષેધ. સમ-ઉપેક્ષણીયતાથી તુલ્ય પત્થર અને સુવર્ણ. અપરિગ્રહ-ધનાદિરહિત, ઈન્દ્રિય સંવથી સંવૃત્ત. લોકે-મૃત્યુલોકમાં. X - જે કોઈ દ્રવ્ય પ્રકાર હોય, (ક્યાં ?) ખલગત-ધાન્ય મસળવાના સ્થાનને આશ્રિત, ક્ષેત્ર-ખેડાણ ભૂમિ સંશ્રિત, રન્નમાગત-અરણ્યમધ્યમગત. - x - x - પુષ્પ, ફળ, ત્વચા આદિ પ્રસિદ્ધ છે.
-
તે મૂલ્યથી અલ્પ હોય કે વધુ. પ્રમાણથી થોડું હોય કે ઝાઝુ, તો પણ કલ્પતું નથી. અવગ્રહ-ઘર કે સ્થંડિલાદિ રૂપ, અદત્ત-સ્વામી વડે અનુજ્ઞાત નહીં તેવું. ગ્રહીતું-લેવાનું. ગ્રહણમાં નિષેધ કહ્યો, હવે તેની વિધિ કહે છે
હણિ
=
હણિ અર્થાત્ રોજેરોજ. અવગ્રહ અનુજ્ઞાપ્ય-જેમકે આપના અવગ્રહમાં આ-આ સાધુ યોગ્ય દ્રવ્ય અમે ગ્રહણ કરીએ ? એમ પૂછી તેના સ્વામી અનુમતિ આપે તો ગ્રહણ કરવું. [અન્યથા સર્વકાળે વર્જવું જોઈએ.
અત્તિવત્ત - પ્રીતિકારક, તેમના સંબંધી જે ભોજન-પાન, પીઠ, ફલક, શય્યા આદિને વર્લ્ડવા જોઈએ. આ ભેદને કહે છે :- ભાનન - પાત્ર, ભાંડમાટીના પાત્ર, ઉપધિ-વસ્ત્રાદિ, ઉપકરણ તેને વર્જવા જોઈએ. અદત્ત-સ્વામી વડે