SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/-/૧/૯૭૬,૯૭૭ ૧૬૩. બંધકવના અભાવથી. વૃદ્ધોએ પણ કહ્યું છે – બંધશતમાં જો કૃષ્ણપાક્ષિકોને બીજો ભંગ યોજાય, તો શુલપાક્ષિકને પહેલો ભંગ કઈ રીતે ગ્રાહ્ય છે ? પૃચ્છા અનંતકાળને આશ્રીને શhપાક્ષિકાદિને પહેલો ભંગ, બાકીનાને અવશિષ્ટ કાળને આશ્રીને બીજો ભંગ. - દષ્ટિદ્વારમાં - સમ્યગુËષ્ટિના ચારે ભંગ શુક્લપાક્ષિકને જ કહેવા. મિથ્યાર્દષ્ટિ અને મિશ્રષ્ટિને પહેલા બે જ ભંગો છે. વર્તમાન કાળે મોહલક્ષણ પાપકર્મના બંધ ભાવમાં છેલ્લા બેનો અભાવ છે. જ્ઞાન દ્વારમાં - કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ. કેમકે તેમને વર્તમાનકાળે અને ભાવિકાળે બંધનો અભાવ છે. અજ્ઞાનીને પહેલા બે છે. કેમકે અજ્ઞાનમાં મોહલક્ષણ પાપકર્મના ક્ષય-ઉપશમનો અભાવ છે. સંજ્ઞા દ્વારમાં - પહેલો, બીજો. આહારાદિ સંજ્ઞા ઉપયોગ કાળે ક્ષપકવ અને ઉપશમકવનો અભાવ છે. નોસંજ્ઞોપયુતને ચારે છે, કેમકે આહારાદિમાં વૃદ્ધિના અભાવે તેમને ક્ષય-ઉપશમથી ચારે સંભવે. વેદદ્વારમાં-સવેદકને પહેલા બે. વેદોદયમાં ક્ષય-ઉપશમ ન થાય. વેદકને ચારે, કેમકે સ્વકીય વેદની ઉપશાંતિમાં બાંધે છે, બાંધશે મોહલક્ષણ પાપકર્મ સૂક્ષ્મસંપાય સુધી ન હોય, પડ્યા પછી બાંધે, તે પ્રથમ. તથા વેદ ક્ષીણ થતાં બાંધે છે, સૂમ સંપરાયની આધ અવસ્થામાં બાંધશે નહીં, તે બીજો ભંગ. ઉપશાંત વેદ સૂમસંઘરાયાદિમાં ન બાંધે, પડ્યા પછી બાંધશે, તે ત્રીજો ભંગ. ક્ષીણવેદમાં સૂક્ષ્મ સંપરાયાદિમાં ન બાંધે, બાંધશે પણ નહીં માટે ચોયો ભંગ. બાંધ્યું છે, તે બધે પ્રતીત છે. કષાય દ્વારમાં - સકષાયીને ચારે ભંગ છે, તેમાં પહેલા ભંગ અભવ્યને, બીજો ભંગ પ્રાપ્તવ્ય મોહક્ષય ભવ્યને, બીજો ઉપશમક સૂક્ષ્મ સંપરાયવાળાને, ચોથો ાપક સૂક્ષ્મ સંપાયને આશ્રીને છે. એ પ્રમાણે લોભ કષાયીને પણ કહેવા. ક્રોધકષાયીને પહેલા બે ભંગ છે, તેમાં અભયને આશ્રીને પહેલો, બીજો ભવ્ય વિશેપને આશ્રીને છે. વર્તમાનમાં અબંધકત્વ સ્વભાવથી ત્રીજા, ચોથો ભંગ નથી. અકષાયીને ત્રીજો ભંગ ઉપશમકને આશ્રીને અને ચોથો પકને આશ્રીને છે. યોગદ્વારમાં સયોગીને ચાર ભંગ-પૂર્વવત્ જાણવા. • સૂત્ર-૯૪૮,૯૭૯ - [૬૮] ભગવન / નૈરયિકે પાપકર્મને બાંધ્યું, બાંધે છે, બાંધશે ? ગૌતમ ! કેટલાંક બાંધે, પહેલો-બીજે ભંગ. ભગવત્ / તેણી નૈરયિક પાપકર્મ? પૂર્વવતું. એ પ્રમાણે કૃષ્ણલેક્સી, નીલલેસી, કાપોતલેશ્ચીને જાણવા. • • એ પ્રમાણે કૃણાક્ષિક, શુકલપાક્ષિકને. સમ્યગૃષ્ટિ, મિશ્રાદૈષ્ટિ, મિwદષ્ટિને. જ્ઞાાની, અભિનિભોવિક યાવતુ અવધિજ્ઞાનીને અજ્ઞાની, મતિ આદિ ત્રણે અજ્ઞાનીને યાવત પરિગ્રહ સંજ્ઞોપયુતને. સવેદકને, નપુંસક વેદકને. સંકષાયી યાવતુ લોભકષાયીને. સયોગી, મન-વચન-કાય યોગીને સાકાર-અનાકાર ઉપયુકતને. આ બધાં પદમાં પહેલો અને બીજો ભંગ કહેવા. ૧૬૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એ પ્રમાણે અસુકુમારની વકતવ્યા કહેવી. વિશેષ એ કે તેજલેશ્યા, વેદક-પુરવેદકને અધિક કહેવા. નપુંસક વેદકને ન કહેવા. બાકી પૂર્વવતું. એ રીતે જ પહેલો-બીજ ભંગ કહે છે. આ પ્રમાણે સાનિતકુમાર સુધી કહેવું. - આ પ્રમાણે પૃવીકાચિકને, અપ્રકાચિકને યાવતુ પંચેન્દ્રિય તિચિયોનિકને, એ બધે પહેલો-બીજ ભંગ કહેનો વિરોધ એ કે – જેને જેટલી લેયા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ, યોગ જે જેને હોય, તે તેને કહેવા. બાકી પૂર્વવત તેમજ neg. - મનુષ્યને જીવપદની વક્તવ્યતા માફક બધું સંપૂર્ણ કહેવું. વ્યંતરને અસુકુમાર મુજબ કહેા. જ્યોતિષ, વૈમાનિકને તેમજ કહેવા. વિશેષ એ કે વેશ્યા જાણી લેવી. બાકી પૂર્વવત. ૯િ૯] ભગવતૃ ! અને જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે જેમ પાપકર્મની વકતવ્યતા છે તેમજ જ્ઞાનાવરણીયની કહેવી. વિશેષ એ કે - જીવ અને મનુષ્યમાં સકષાયી યાવત લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો. બાકીનું પૂર્વવતુંયાવતુ વૈમાનિક કહેતું. એ રીતે દર્શનાવરણીય કર્મના દંડક પણ સંપૂર્ણ કહેવા. ભગવાન ! જીવે વેદનીયકર્મ શું બાંધ્યું છે. પ્રશ્ન ? ગૌતમ ! (૧) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. (૪) કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં સલેચીને એ પ્રમાણે જ શ્રીજી સિવાયના ત્રણ ભંગો છે. કૃણવેશ્યા યાવતુ પાલેયામાં પહેલો-બીજો ભંગ. શુક્લલેયીને ત્રીજા સિવાયના પ્રણ ભંગ. અલેચીને ચોથો ભંગ કહેવો. કૃષ્ણપાક્ષિકને પહેલા બે ભંગો, શુક્લપાક્ષિકને ત્રીજી સિવાય ત્રણ ભંગો. એ પ્રમાણે રાષ્ટિને પણ છે. મિશ્રાદેષ્ટિ, મિશ્ર દૃષ્ટિને પહેલો-બીછે. જ્ઞાનીને બીજ સિવાયના, અભિનિભોધિક ચાવતું મનઃપવાનીને પહેલો-બી. કેવળજ્ઞાનીને જ સિવાયના. એ પ્રમાણે નોસંજ્ઞોપયુકત, અવેદક, કષાયી, સાકારોપયુકત, અનાકાર ઉપયુકત એ બધાંને ત્રીજ સિવાયના, અયોગીને છેલ્લો, બાકીનાને પહેલો-બીજ ભંગ જાણવો. ભગવન નૈરયિકે વેદનીય કર્મ બાંધ્યું, બાંધે છે આ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જેને જે હોય તે કહેવું. તેમાં પહેલો-બીજો ભંગ છે. માત્ર મનુષ્યને જીવો મુજબ કહેવા. ભગવાન ! જીવે મોહનીય કર્મ બાંધ્યું ? જેમ પાપકર્મ તેમ મોહનીય પણ સંપૂર્ણ વૈમાનિક પર્યન્ત કહેતું. • વિવેચન-૯૨૮,૯૭૯ : નાકવ આદિમાં બે શ્રેણીના અભાવે પહેલો, બીજો જ ભંગ છે. એ રીતે સલેશ્યાદિ વિશેષિત નાકપદ કહેવું. એ પ્રમાણે સુકુમાર આદિ પદ પણ કહેવા.
SR No.009004
Book TitleAgam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy