SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-/૩૩/૪૬૬,૪૬૭ સ્વીકાર્યું, સ્વીકારીને જમાલિ અણગારનો શય્યા-સંતારક તૈયાર કરવા લાગ્યા. ત્યારે તે જમાલી અણગાર પ્રબલતર વેદનાથી પીડાતા હતા, તેથી બીજી વખત પણ શ્રમણ નિર્ગુન્થોને બોલાવીને બીજી વખત પણ આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! મારે માટે શય્યા-સંસ્તાક શું તૈયાર કર્યો કે તૈયાર કરી રહ્યા છો ? આ પ્રમાણે (તેમને) કહેતા જાણીને, શ્રમણ નિગ્રન્થોએ કહ્યું – સ્વામી ! તૈયાર કરાય છે. ત્યારે તે શ્રમણ નિગ્રન્થોએ જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું – આપ દેવાનુપ્રિયને માટે શય્યા-સંસ્તાક તૈયાર કરાયો નથી, પણ કરાઈ રહ્યો છે. – ૮૫ ત્યારે તે જમાલિ અણગારને (આ વાત સાંભળીને) આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ સવત્ ઉત્પન્ન થયો કે – જે શ્રમણ ભગવંત મહાવીર આ પ્રમાણે કહે છે યાવત્ આ પ્રમાણે પ્રરૂપે છે કે નિશ્ચયથી ચાલતું ચાલ્યુ, ઉદીરાતુઉદીરાયુ, યાવત્ નિર્જરાતુ-નિયું, તે ખોટું છે. આ પ્રત્યક્ષ દેખાય છે કે શય્યા સંસ્તાર કરાતો હોય ત્યારે અકૃત, પથરાતો હોય ત્યાં સુધી ન પથરાયેલ છે, તેથી જે કારણથી શય્યાાંતારક કરાતો હોય ત્યારે અકૃત, પથરાતો હોય ત્યારે ન પથરાયેલ કહેવાય, તેમ ચાલતું એવું અચલિત યાવત્ નિરતું એવું અનિર્જરિત છે. આ પ્રમાણે વિચારે છે, એમ વિચારીને શ્રમણ-નિગ્રન્થોને બોલાવે છે, શ્રમણનિગ્રન્થોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! શ્રમણ ભગવંત મહાવીર જે એમ કહે છે સાવત્ પરૂો છે કે ચાલતું ચાલ્યું યાવત્ નિરતુ ન નિયુ સુધી બધું જ કહેવું. ત્યારે તે જમાલી અણગારે આ પ્રમાણે કહેતા યાવત્ પરૂપતા, કેટલાંક શ્રમણોએ આ કથનની શ્રદ્ધા, પતીતિ, રુચિ કરી, કેટલાંક શ્રમણોએ આ અર્થની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ ન કરી. પછી જે શ્રમણોએ જમાલી અણગારના આ કથનની શ્રદ્ધાદિ કરી, તેઓ જમાલી અણગારનો આશ્રય કરીને વિચરવા લાગ્યા. તેમાં જેઓએ જમાલી અણગારના આ કથનની શ્રદ્ધાદિ ન કરી, તેઓ જમાલી અણગાર પાસેથી, કોષ્ઠક ચૈત્યથી નીકળી ગયા, નીકળીને પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા જ્યાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય અને શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા, કરીને શ્રમણ ભગવંત મહાવીરનો આશ્રય કરીને વિચરવા લાગ્યા. [૪] ત્યારપછી તે જમાલી અણગાર અન્ય કોઈ દિવસે રોગાતંકથી વિમુક્ત થયા, હષ્ટ-તુષ્ટ યાવત્ રોગી અને બળવાન શરીરી થઈ, શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને પૂર્વાનુપૂર્વી ચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા, જે ચંપાનગરી, જે પૂર્ણભદ્ર ચૈત્ય, જ્યાં શ્રણમ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરથી ન દૂર ન નીક્ટ - ૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું – જે પ્રમાણે આપ દેવાનુપ્રિયના ઘણાં શિષ્યો-શ્રમણનિગ્રન્થો છાસ્થ રહીને છાસ્થ અવસ્થામાં જ નીકળીને વિચરે છે, તે પ્રમાણે હું છાસ્થ રહીને છદ્મસ્થાવસ્થામાં વિચરવા ઈચ્છતો નથી. હું ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને, કેવલી અવસ્થામાં વિચરું છું. ત્યારે ગૌતમસ્વામીએ જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું – કેવલીનું જ્ઞાન-દર્શન પર્વત, સ્તંભ, સ્વભાદિથી આવરાતું નથી, રોકી શકાતું નથી. હે જમાલી! જો તું ઉત્પન્ન જ્ઞાન-દર્શનઘર, અર્હત, જિન, કેવલી થઈને કેવલી અવસ્થામાં વિચરણ કરી રહ્યો છે, તો આ બે પ્રશ્નોનો ઉત્તર આપ. હે જમાલી! લોક શાશ્વત છે કે અશાશ્ર્વત? હે જમાલી! જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? ત્યારે તે જમાલી અણગાર, ગૌતમસ્વામીએ આમ કહ્યું ત્યારે શંકિત, કાંક્ષિત યાવત્ કલેશયુક્ત પરિણામી યાવત્ થયો. તે ગૌતમસ્વામીને કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થયો. તે મૌન થઈને ઉભો રહ્યો. જમાલી, એમ સંબોધન કરી, શ્રમણ ભગવંત મહાવીરે જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું – મારા ઘણાં શિષ્યો-શ્રમણ નિગ્રન્થો છાસ્થ છે, જે આ પ્રશ્નનો ઉત્તર આપવામાં મારી જેમ જ સમર્થ છે. તો પણ તે આવા પ્રકારની ભાષા બોલતા નથી, જેમ તું બોલે છે. જમાલી! લોક શાશ્વત છે, કેમકે તે કદી ન હતો એમ નથી, કદી નથી તેમ પણ નથી, કદી નહીં હોય તેમ પણ નથી, લોક હતો, છે, અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. હે જમાલી ! લોક અશાશ્વત (પણ) છે. કેમકે અવસર્પિણી કાળ પછી ઉત્સર્પિણી થાય છે, ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે. હે જમાલી! જીવ શાશ્વત છે. કેમકે તે કદી ન હતો એમ નથી, યાવત્ નિત્ય છે - - હે જમાલી! જીવ અશાશ્વત (પણ) છે - કેમકે તે નૈરયિક થઈને તિચિયોનિક થાય છે, તિચિયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવ થાય છે. ત્યારે તે જમાલી અણગાર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા યાવત્ પ્રરૂપતા આ કથનની શ્રદ્ધા નથી કરતા, વિશ્વાસ નથી કરતા, રુચિ નથી કરતા. આ કથનની અશ્રદ્ધા કરતા, અવિશ્વાસ કરતા, અ-રુચિ કરતા, બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી સ્વયં ચાલ્યા ગયા. બીજી વખત પણ સ્વયં ચાલી જઈને ઘણાં અસદ્ ભાવને પ્રગટ કરીને મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને, પરને અને તભયને બુઠ્યાહિત કરતા, મિથ્યાજ્ઞાન યુક્ત કરતાં ઘણાં વર્ષો શ્રામણ્ય પર્યાય પાળીને, છેલ્લે અર્ધમાસિક સંલેખના વડે આત્માને ઝોષિત કરી, ૩૦ ભક્તને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને લાંતક કલ્પમાં ૧૩-સાગરોપમની સ્થિતિવાળા દેવમાં કિલ્બિષિક દેવપણે
SR No.009002
Book TitleAgam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy