SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 10/-/966 થી 976 પરિવર્તન કરે છે, ત્યારે આ અરુણદેવ સ્વસમયથી નિબદ્ધ હોવાથી ચલિતાસન અને સંભ્રમભ્રમિત લોચન થઈને, અવધિજ્ઞાનથી તેના સ્વરૂપને જાણી, સંતુષ્ટ થઈ, ચલિતચપલ કુંડલ ધારણ કરી દિવ્ય કાંતિ-વિભૂતિ-ગતિ વડે તે સાધુ પાસે આવી ભક્તિ સમૂહથી વદન નમાવી, પુષ્પવૃષ્ટિ કરી, નમસ્કાર કરી, અંજલિ જોડી, વિશુદ્ધ અધ્યવસાયથી સાંભળે છે, પૂર્ણ થતાં તે દેવ કહે છે - સારો સ્વાધ્યાય કર્યો છે, તમે વર માંગો, ત્યારે તૃષ્ણારહિત * x * સાધુ કહે છે - મારે વરનું પ્રયોજન નથી. તે દેવ * x - સ્વસ્થાને જાય છે. 9i76) આવા પ્રકારનું કૃત કાળ વિશેષમાં જ હોય, માટે દશ સ્થાનકમાં અવતરતા કાળના સ્વરૂપને કહે છે. તે સૂત્ર સુગમ છે. કાલદ્રવ્ય માફક નારકાદિ જીવ દ્રવ્યો પણ ભેટવાળા છે, તેથી કહે છે• સૂત્ર-૯૭૭ - નૈરયિક દશ ભેદે કહા - અનંતરોપugHક, પરંપરોપક, અનંતરાવગાઢ, પરંપરાવગઢ, અનંતરાહારક, પરંપરાહારક, અનંતરાયતા, પરંપરાયતા, ચરિમા, અસરિમા. એ રીતે વૈમાનિક પર્યન્ત ચોથી પંકાભા ગૃeતીમાં દશ લાખ નરકાવાસાઓ કહેલા છે. રતનપભા પૃતીમાં જઘન્યથી નૈરમિકોની સ્થિતિ 10,ooo વર્ષ છે. ચોથી પંકપભામાં ઉત્કૃષ્ટથી નૈરસિક સ્થિતિ દશ સાગરોપમ છે. પાંચમી ધૂમપભામાં જઘન્યથી નૈરયિક સ્થિતિ દશ સાગરોપમ છે. અસુરકુમારની જઘન્ય સ્થિતિ 10,000 વર્ષ છે. એ રીતે ચાવતું નિતકુમારની જાણવી... ભાદર વનસ્પતિકાયિકોની ઉત્કૃષ્ટથી સ્થિતિ 10,000 વર્ષની છે... વાણવ્યંતર દેવોની જઘન્યથી સ્થિતિ 10,ooo વર્ષ છે... બ્રહાલોક કલો ઉત્કૃષ્ટથી દેવોની સ્થિતિ દશ સાગરોપમ છે... લાંતક કલે દેવોની જાન્ય સ્થિતિ દશ સાગરોપમ છે. * વિવેચન-૯૭૭ : અહીં ૨૪-સૂત્રો છે. (1) જેને અંતર વિધમાન નથી તે અનંતર - વર્તમાન સમય. તેમાં ઉપજેલા તે અનંતરોપપક - જેઓને ઉત્પન્ન થયાને એક સમય પણ અતિકાંત થયો નથી તેઓ... (2) જેમને ઉત્પન્ન થયાને બે વગેરે સમયો થયેલ છે તે પરંપરોપક - X - X - આ કાલ વિશેષરૂપ ઉપાધિ વડે કરાયેલા બે ભેદ છે. (3) વિવાિત પ્રદેશની અપેક્ષાએ અંતર રહિત પ્રદેશમાં રહેલ તે અનંતરાવગાઢો અથવા પ્રથમ સમયમાં અવગાઢ તે અનંતરાવગાઢ, (4) તેથી વિલક્ષણ તે પરંપરાવગાઢ. ફોગથી આ બે ભેદ છે. (5) અનંતર જીવ પ્રદેશો વડે વ્યાપ્તપણે અથવા પૃષ્ટપણે રહેલ પુગલોનો આહારે છે તે અનંતરાહાડો અને (6) પૂર્વે અંતર સહિત રહેલ છતાં પોતાના ફોનમાં રહેલ પદગલને આહારે તે પરંપસહારકો. અથવા પ્રથમ સમયે આહારે તે અનંતાકારક, બીજા તે પરંપરાહારકો. 208 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (9) પતિવમાં અંતર વિધમાન નથી તે અનંતર પર્યાપ્તકો અર્થાતુ પ્રથમ સમય પ તંક. (8) બીજા પરંપર પર્યાપ્તક. આ ભાવકૃતુ ભેદ છે. (9) ચરમ નાક ભવયુક્તત્વથી ચરિમ, (10) તેનાથી વિપરીત તે ચાચરિમ. આ પણ ભાવકૃત ભેદ છે. ચરમાચમ જીવપર્યાય છે માટે. નાકની જેમ આ દશ પ્રકારો * x * નિરંતર વૈમાનિક સુધી કહેવું. દંડકની આદિમાં દશ પ્રકારે નાકો કહ્યા. હવે તેના આધારોને અને નાકાદિની સ્થિતિને દશ સ્થાનના અનુપાતથી નિરુપતા અઢાર સૂત્રો કહે છે. તે સુગમ છે... અનંતર લાંતક દેવો કહ્યા, તે લબ્ધભદ્રા છે. તેથી ભદ્રકારી કર્મના કારણોને કહે છે * સૂત્ર-૯૪૮ - દશ સ્થાન વડે જીવો આગામી ભવમાં કલ્યાણ થાય એવા કમને કરે છે - (1) નિયાણું ન કરવાથી, () સમ્યગૃષ્ટિપણાથી, (3) યોગવાહિતાથી, (4) ક્ષમા વડે સહન કરવાથી, (5) જિતેન્દ્રિયતાથી, (6) અમાયિતાથી, (9) અપસ્થિતાથી, (8) સમ્રામયતાથી, (9) પ્રવચન વત્સલતાણી, (10) પ્રવચન ઉદ્દભાવના-પ્રભાવનાથી. * વિવેચન-૯૩૮ : આગામી ભવાંતરમાં થનારું ભદ્ર-કલ્યાણ, અનંતર સુદેવવ વાણ, સુમાનુષd પ્રાપ્તિથી મોક્ષ પ્રાપ્તિ લક્ષણ છે જેમને તે આગમિયદ્ ભદ્ર. તેનો ભાવ તે આગમિધ્ય ભદ્રતા, તેને માટે અર્થાત ભવિષ્યમાં ભદ્ર અર્થે અથવા ભાવિ કલ્યાણપણાએ શુભ પ્રકૃતિ રૂપ કર્મને બાંધે છે. તે આ - (1) આનંદરસયુક્ત મોક્ષફળવાળી જ્ઞાનાદિ આરાધનારૂપ લતા જે દેવેન્દ્રાદિના ગુણ અને બદ્ધિની પ્રાર્થના લક્ષણ અધ્યવસાયરૂપ પરશુ વડે છેદાય છે તે નિદાન, તે જેને નથી તે અનિદાન, તે અનિદાનતા વડે - x - (2) દેષ્ટિ સમ્પન્નતા - સભ્યર્દષ્ટિપણે... (3) યોગવાહિતા-શ્રુતના ઉપધાન કરવાપણે અથવા યોગ વડે >> સબ ઉત્સુકતા ન કરવા લક્ષણ સમાધિ વડે વહે છે, એવા સ્વભાવવાળો તે યોગવાહી. તેના ભાવ-ચોગવાહિતા. (4) ક્ષાંતિ વડે ખમે છે તે ક્ષાંતિશ્રમણ, ક્ષાંતિનું ગ્રહણ અસમર્થતાના વિચ્છેદ માટે છે. તેથી ક્ષાંતિક્ષમણના ભાવરૂપ ક્ષાંતિક્ષમતા વડે. (5) જિતેન્દ્રિયતા-ઈન્દ્રિયનિગ્રહથી... (6) માયાવી, તેનો નિષેધ કરવાથી માયારહિત. તેના ભાવથી અમાયિતા વડે... (2) જ્ઞાનાદિની બહાર દેશથી કે સર્વથી રહે તે પાર્થસ્થ. કહ્યું છે - તે પાસત્યો બે ભેદે - દેશથી અને સર્વથી. તેમાં જ્ઞાનદર્શન ચારિત્ર રહિત હોય તે સર્વથી પાસત્યો જાણવો અને શય્યાતર - આહત-નિત્યનિયત અગ્રપિંડને નિકારણ ભોગવે છે તે દેશથી પાસત્યો જાણવો. નિર્વત્તાપ - મારે આટલું દેવા યોગ્ય છે, તમારે રોજ લેવું એમ ગૃહસ્થના કહેવાથી નિયતપણે લેવાય છે અને નિત્ય - સદા લેવાય . અા - તાજા રાંધેલા ભોજનનો અગ્ર ભાગ લેવો તે. અગ્રપિંડ.. પાસત્યાનો ભાવ તે પાર્શ્વસ્થતાના અભાવ વર્ડ.
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy