________________ 245 246 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ 1/5/2/162 આ પરિગ્રહ નરકાદિ મહાભયનું કારણ છે, આહારાદિ લોકસંજ્ઞા પણ ભયરૂપ છે. તેની પશ્ચિહ આદિનો સંગ ન કરવો. વિવેચન : જે કોઈ આ લોકમાં પગ્રિક્યુક્ત છે, તેને આવો પરિગ્રહ હોય છે - પરિગ્રહણ કસતું વ્ય કોડી વગેરે થોડું હોય કે ધન, ધાન્ય, હિરણ્યાદિ વધુ હોય; તૃણ-લાકડું વગેરે મૂલ્યથી કે વજ આદિ પ્રમાણમાં નાનું હોય અથવા મૂલ્ય કે પ્રમાણથી હાથી, ઘોડા આદિ સ્થૂળ [મોટું હોય; આ વસ્તુ સચિત હોય કે અયિત હોય. આ પરિગ્રહ વડે યુક્ત આ પરિગ્રહ રાખનાર ગૃહસ્થી સાથે જ વેશધારી વ્રતી હોય. અથવા આ છ જવનિકાસમાં વિષયભૂત થોડા-વધુ આદિ દ્રવ્યોમાં મૂછ કરતા પરિગ્રહધારી બને છે. એ પ્રમાણે અવિરત છતાં હું વિરત છું એમ બોલતા પરિગ્રહણી પરિગ્રહધારી બને છે. એ પ્રમાણે બીજા વ્રતોમાં પણ જાણવું. કેમકે આવો ત નિવારવાથી એકદેશ અપરાધે સર્વ અપરાધ સંભવે. શંકા જ અલ પરિગ્રહથી પરિગ્રહવું થાય તો હસ્તભોજી દિગંબર, સરસ્ક બોટિક આદિ અપરિગ્રહી માનવા પડશે. સમાઘાન - તેમ નથી કેમકે તેમને પરિગ્રહનો અભાવ છે તે અસિદ્ધ છે. તેમને પણ અસ્થિ, પીંછી આદિ પરિગ્રહ તથા શરી-આહાર આદિ અંતર પરિગ્રહ તો છે જ. જો તેને ઘમહતુક કહેશો તો અમારે પણ તે જ કારણે ધર્મોપકરણ છે. તો દિગંબપણાનો આગ્રહ શા માટે ? હવે જે અત્યાદિ પરિધારી અપરિગ્રાહતાનું અભિમાન રાખે છે તેમને આહાર, શરીરાદિ મહા અનનિ માટે થાય છે, આ 5 આદિ પરિગ્રહથી કેટલાંકને તે પરિગ્રહવ નરકાદિ ગમન હેતુ કે બધે અવિશ્વાસનું કારણ હોવાથી મહાભયરૂપ થાય છે. કેમકે આ પરિગ્રહની પ્રકૃતિ છે - x * અથવા દિગંબરને શરીરર્થે આહાર લેવા અન્ય ઉપકરણ ન હોવાથી ગૃહસ્થના ઘેર આહાર કરતાં અવિધિથી અશુદ્ધ આહારદિ ખાતાં કર્મબંધ જનિત મહાભય છે. શરીર ઢાંકેલ ન હોય બીજાને પણ ભયરૂપ છે. આ રીતે પરિગ્રહ મહાભય છે તેથી કહે છે - અસંયત લોકનું અપ આદિ વિશેષણવાળું દ્રવ્ય તેમને મહાભય રૂ૫ છે. જે લોકવિતને બદલે લોકg લઈએ તો આહાર, ભય, મૈથુન, પરિગ્રહ 5 સંજ્ઞા મહાભયને માટે થાય તે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કશ્યો. આ ભાદિ દ્રવ્ય પરિગ્રહ કે શરીર આહારદિના સંગને ન કરવાથી તે પરિગ્રહજનિત મહાભય ન થાય. વળી * સૂગ-૧૬3 - આ સુપતિબદ્ધ અને સુકથિત છે, તેમ જાણીને, હે પરમચક્ષુ પુરષ ! તું પરાક્રમ કર તેનાથી જ બહાચર્ય છે. તેમ હું કહું છું. ' સાંભળ્યું છે, અનુભવ્યું છે કે બંધનથી છૂટકારો પોતાના આત્માથી જ થાય છે, માટે સાધક પરિગ્રહથી મુક્ત થઈ જીવનપર્યત પરિષહોને સહન કરે, પ્રમાદીમ ધર્મી વિમુખ શd આપમત થઈને સંયમમાં વિચરે. આ મુનિધર્મનું સમ્યફ પાલન કરે તેમ હું કહું છું. * વિવેચન : તે પરિગ્રહ છોડતાતે સારી રીતે પ્રતિબદ્ધ તથા સારી રીતે ઉપનીત જ્ઞાનાદિ છે. એમ જાણીને કહે છે, હે માનવ ! તું પરમ જ્ઞાન ચક્ષુવાળો બનીને કે મોક્ષ એકદષ્ટિ થઈને વિવિધ તપોનુષ્ઠાન વિધિ વડે સંયમ કે કર્મક્ષયમાં પરાક્રમ કર, જેઓ આ પાિહી વિસ્ત બનીને પરમ ચણા થયા છે તેઓમાં જ પરમારથિી બ્રહ્મચર્ય છે. બીજામાં નથી. કેમકે બીજામાં બ્રહ્મચર્યની નવ વાડ નથી અથવા આ બ્રહ્મચર્ય નામનો શ્રુતસ્કંધ છે તે પણ “બ્રહ્મચર્ય” કહેવાય છે. તે પણ અપરિગ્રહીને જ છે. સુધમસ્વિામી કહે છે કે જે કહ્યું કે કહીશ તે સર્વજ્ઞ ઉપદેશથી જ છે, તે બતાવે છે - કહેલું કે કહેશ્વાનાર જે શ્રત મેં તીર્થંકર પાસેથી સાંભળેલ છે આમામાં સ્થિર થયેલ છે, ચિતમાં પણ તે જ પ્રમાણે છે. બંઘથી થતો મોક્ષ પ્રાચર્યમાં વ્યવસ્થિત છે, વળી આ પરિગ્રહ રાખવાથી વિત જેને ગૃહ નથી તેવા અણગાર છે. તે સાધુ જીવનપર્યત પરિગ્રહના અભાવથી ભૂખ-તરસ આદિ સહન કરે. પુનઃ ઉપદેશ દેતા કહે છે, વિષયાદિ તથા પ્રમાદ વડે ધર્મથી વિમુખ થયેલા ગૃહસ્થો અને વેશધારીને તું જો. તેમને જોઈ અપમત બની સંયમનુષ્ઠાનમાં ચન કર, પૂર્વોક્ત સંયમાનુષ્ઠાન સર્વજ્ઞએ કહેલું છે, તે સારી રીતે પાળવું, આ પ્રમાણે છે કહું છું. અધ્યયન-૫ “લોકસાર” ઉદ્દેશો-૨ “વિરતમુનિ"નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * અધ્યયન-૫ ઉદ્દેશો-૩ “અપરિગ્રહ” % બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજે કહીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે - બીજા ઉદ્દેશામાં અવિરતવાદી પરિગ્રહવાળો છે તે કહ્યું. અહીં તેનાથી ઉલટું કહે છે. એ સંબંધથી આવેલ ઉદ્દેશાનું પહેલું સૂત્ર આ પ્રમાણે * સૂત્ર-૧૬૪ : આ લોકમાં જે કોઈ અપરિગ્રહી છે, તે આ અત્યાદિ દ્રવ્યના ત્યાગથી અપરિગ્રહી બને છે. મેધાવી સિાધક જિનવચન સાંભળીને તથા પંડિતોના વચન વિચારીને અપરિગ્રહી બને. આર્યોએ સમતામાં ઘર્મ કહો છે. જે રીતે મેં કમનો ક્ષય કહ્યો છે, તે રીતે બીજ માગમાં કર્મો ક્ષીણ કરવા કઠિન છે. તેથી હું કહું છું કે શક્તિનું ગોપન ન કરતા કર્મોનો ક્ષય કરો. * વિવેચન : આ લોકમાં જે કોઈ અપરિગ્રક્વાળા વિરત સાધુઓ છે, તે બધા આ અભ દ્રવ્યનો ત્યાગ કરી અપરિગ્રહી ગયા છે. અથવા છજીવકાસમાં મમત્વભાવ તજવાથી અપરિગ્રહી ગયા છે. આ અપરિગ્રહ ભાવ કેવી રીતે બને ? તીર્થકર આજ્ઞા-આગમરૂપ