________________
૫૦
શીતવાથધિગમસૂત્ર [અ૦૧ સૂ૦ ૨૫-૨૬ કરી લે છે કે અમુક વસ્તુનો વિચાર કર્યો. કુશળ વૈદ્ય મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઈને શરીરમાં રહેલા રોગને અનુમાનથી જાણે છે તેમ. (૨૪)
જુમતિ અને વિપુલમતિમાં વિશેષતાના હેતુઓવિષ્યતિપાતાવ્ય તષિ: . -ર
વિશુદ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું તે) વડે જુમતિ અને વિપુલમતિમાં વિશેષતા=ભેદ છે.
જુમતિ મન:પર્યવજ્ઞાન અવિશુદ્ધ અને પ્રતિપાતી છે, જ્યારે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન વિશુદ્ધ અને અપ્રતિપાતી છે. ઋજુમતિ મનઃપયજ્ઞાનવાળો જીવ “અમુક વ્યક્તિએ ઘડાનો વિચાર કર્યો એમ સામાન્યથી જાણે, જ્યારે વિપુલમતિ મન:પર્યાયવાળો જીવ “અમુક વ્યક્તિએ અમદાવાદના, અમુક રંગના, અમુક આકારના, અમુક સ્થળે રહેલા ઘડાનો વિચાર કર્યો' ઇત્યાદિ વિશેષથી જાણે. ઋજુમતિ જ્ઞાન જતુ પણ રહે, જયારે વિપુલમતિ ન જ જાય. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય. (૨૫)
અવધિ-મન:પર્યવમાં ભેદના હેતુઓ विशुद्धि-क्षेत्र-स्वामि-विषयेभ्योऽवधिमनःपर्याययोः॥१-२६ ॥
વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય એ ચાર હેતુઓથી અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનમાં વિશેષતા=ભેદ છે.
(૧) વિશુદ્ધિ અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન વધારે વિશુદ્ધ હોય છે. આથી અવધિજ્ઞાનીની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાની પોતાના વિષયને વધારે સ્પષ્ટ જાણી શકે છે.
(૨) ક્ષેત્ર- મન:પર્યવજ્ઞાનના ક્ષેત્રથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ લોકપર્વત છે. મન:પર્યવજ્ઞાનનું ક્ષેત્ર માત્ર અઢી દિપ અને બે સમુદ્ર પ્રમાણ છે. મન:પર્યવજ્ઞાની માત્ર અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય (મનુષ્ય, તિર્યંચ અને દેવીના મનના વિચારોને જાણી શકે છે.' ૧. મન:પર્યવજ્ઞાની ઉપર જયોતિષ (૯૦૦ યોજન) સુધી અને નીચે હજાર યોજન સુધી જાણી
શકે છે. (લોકપ્રકાશ ગા-૯૨૮-૯૨૯)