SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૪૬ મોક્ષ વહેલો થવો જોઈએ. માત્ર કાયકષ્ટથી તપસ્વી કહેવાય તો તિર્યંચો અને નારકોને મહાન તપસ્વી કહેવા જોઇએ. - ઉત્તર- આ પ્રશ્નના સમાધાન માટે પ્રથમ નિર્જરાનો અર્થ બરોબર સમજી લેવાની જરૂર છે. નિર્જરાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદો છે. આત્મામાંથી કર્મપ્રદેશોનું છૂટા પડવું એ દ્રવ્યનિર્જરા છે. કર્મપ્રદેશોને છૂટા પાડનાર આત્માના શુદ્ધ પરિણામ=અધ્યવસાય ભાવનિર્જરા છે. આમાં ભાવનિર્જરા જ મુખ્ય નિર્જરા છે. ભાવનિર્જરા વિના થતી દ્રવ્યનિર્જરાથી આત્મા સર્વથા કર્મમુક્ત બની શકતો નથી. દ્રવ્યનિર્જરા બે કારણોથી થાય છે–(૧) કર્મની સ્થિતિના પરિપાકથી અને (૨) આત્માના શુદ્ધ પરિણામ રૂપ ભાવનિર્જરાથી. કર્મની સ્થિતિના પરિપાકથી થતી નિર્જરા તો દરેક જીવને થઈ રહી છે. એ નિર્જરાનું જરાય મહત્ત્વ નથી. શુદ્ધ પરિણામરૂપ ભાવનિર્જરાથી થતી દ્રવ્યનિર્જરાની જ મહત્તા છે. આથી પ્રસ્તુતમાં આ જ નિર્જરા ઇષ્ટ છે. હવે અહીં નિર્જરાના જે બે કારણો બતાવ્યાં તેમાં તપનો સમાવેશ તો થયો નહિ. જયારે શાસ્ત્રકારો તો તપને નિર્જરાનું કારણ કહે છે, તો આમાં શું તથ્ય છે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન આ પ્રમાણે છે–તપ ભાવનિર્જરાનું=આત્માનાં શુદ્ધપરિણામોનું કારણ બનવા દ્વારા નિર્જરાનું કારણ છે. તપથી ભાવનિર્જરા=આત્માનાં શુદ્ધપરિણામો થાય છે, અને એનાથી દ્રવ્યનિર્જરા થાય છે. તપનું સેવન કરવા છતાં જો ભાવનિર્જરા ન થાય તો તપથી (પ્રસ્તુતમાં ઈષ્ટ) નિર્જરા થતી નથી. આથી જ ભાવનિર્જરામાં કારણ ન બનનાર તપ વાસ્તવિક તપ નથી, કિન્તુ માત્ર કાયલેશ છે, ભાવનિર્જરામાં કારણ બનનાર તપ જ વાસ્તવિક તપ છે. અહીં એ તપની ગણતરી કરવામાં આવી છે. હવે એ પ્રશ્ન બાકી રહે છે કે અત્યંતર તપની આત્મા ઉપર અસર થતી હોવાથી આત્મામાં શુદ્ધપરિણામ ઉત્પન્ન થાય છે. એથી અત્યંતર તપ નિર્જરાનું કારણ છે. પણ બાહ્ય તપની કેવળ કાયા ઉપર અસર થતી હોવાથી તેનાથી આત્માના શુદ્ધપરિણામ શી રીતે ઉત્પન્ન થાય? અને એથી નિર્જરા પણ શી રીતે થાય? આ પ્રશ્નનું સમાધાન એ છે કે–બાહ્ય તપની કેવળ કાયા
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy