SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ અo ૯ સૂ૦ ૪૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર ૪૩૩ વિતર્કનો શ્રુત અર્થ કરવામાં આવ્યો છે. તથા શ્રુત શબ્દથી સામાન્યશ્રુત નહિ, કિન્તુ પૂર્વગતશ્રુત સમજવું. (૪૫). વિચારની વ્યાખ્યાવિરારોડર્ણ-ચન-યોગાસંન્તિ : | ૨-૪૬ છે. અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ એ વિચાર છે. અર્થ એટલે ધ્યેય દ્રવ્ય કે પર્યાય. વ્યંજન એટલે ધ્યેય પદાર્થનો અર્થવાચક શબ્દ=શ્રુતવચન. મન, વચન અને કાયા એ ત્રણ યોગ છે. સંક્રાંતિ એટલે સંક્રમણ=પરિવર્તન. કોઈ એક દ્રવ્યનું ધ્યાન કરી તેના પર્યાયનું ધ્યાન કરવું, અથવા કોઈ એક પર્યાયના ધ્યાનનો ત્યાગ કરી દ્રવ્યનું ધ્યાન કરવું, એ પ્રમાણે દ્રવ્ય-પર્યાયનુ પરિવર્તન એ અર્થ(દ્રવ્ય-પર્યાય)સંક્રાંતિ છે. કોઈ એક ઋતવચનને અવલંબીને ધ્યાન કર્યા પછી અન્ય શ્રુતવચનનું અવલંબન કરીને ધ્યાન કરવું એ વ્યંજનસંક્રાંતિ છે. કાયયોગનો ત્યાગ કરી વાચનયોગનો કે મનોયોગનો સ્વીકાર કરવો ઇત્યાદિ યોગસંક્રાંતિ છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ પરિવર્તન એ વિચાર છે. આ પ્રમાણે બાહ્ય અને અત્યંતર તપનું વર્ણન સમાપ્ત થયું. બંને પ્રકારનો તપ સંવર અને નિર્જરાનું કારણ હોવાથી મોક્ષમાર્ગના સાધકે તેનું અવશ્ય સેવન કરવું જોઇએ. તપથી સર્વ કર્મોનો ક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન-તપ નિર્જરાનું કારણ કેવી રીતે બને છે? તેમાં પણ બાહ્ય તપથી નિર્જરા કેમ થાય ? બાહ્ય તપમાં તો કેવળ કાયકષ્ટ થાય છે. જો માત્ર કાયકષ્ટથી નિર્જરા થતી હોય તો જેમ જેમ કાયકષ્ટ વધારે તેમ તેમ નિર્જરા વધારે થાય. એથી સાધુઓ કરતાં પણ તિર્યંચો અને નારકો અધિક કષ્ટ સહન કરતા હોવાથી તેમને અધિક નિર્જરા થવી જોઈએ. તથા સાધુના કરતાં એમનો १. वितर्को विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिस्तत्तथा, पूज्यैस्तु વિત: સુતાનિવનિતિશ કુમભુષારાતઃ | (સ્થાનાંગ ચોથું પદ) ૨. ન એવો વ્યં પર્યાપી તા . એને વન | પm: વામન નિર્મળ: संक्रान्ति परिवर्तनम् । द्रव्यं विहाय पर्यायमुपैति पर्यायं त्यक्त्वा द्रव्यमित्यर्थसंक्रान्तिः । एकं श्रुतवचनमुपादाय वचनानन्तरमालम्बते, तदपि विहायान्यदिति व्यञ्जनसंक्रान्तिः । काययोगं त्यक्त्वा योगान्तरं गृह्णाति, योगान्तरं त्यक्त्वा काययोगमिति योगमंकान्तिः । (સર્વાર્થસિદ્ધિ:)
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy