________________
૪૩૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [૮૦ ૯ સૂ૦૪૨ અર્થ પ્રથમ ભેદના અર્થમાં જણાવ્યો છે તે જ છે. વિચારનો અભાવ તે અવિચાર. આ ભેદમાં વિચારનો અભાવ હોય છે. જે ધ્યાનમાં પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઇ એક પર્યાયનું અભેદથી અભેદ (દ્રવ્ય-પર્યાયનો અભેદ) પ્રધાન ચિંતન થાય, અને અર્થ-વ્યંજન-યોગના પરિવર્તનનો અભાવ હોય, તે એક–વિતર્ક અવિચાર ધ્યાન'. આ ધ્યાન વિચાર રહિત હોવાથી પવન રહિત સ્થાને રહેલા દીપકની જેમ નિષ્પકંપ=સ્થિર હોય છે.
(૩) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શબ્દમાં સૂક્ષ્મક્રિય અને અપ્રતિપાતી એ બે શબ્દો છે. સૂક્ષ્મક્રિય એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ=અતિઅલ્પ હોય તે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત. જેમાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મક્રિયા જ રહી છે અને ધ્યાન કરનારના વધતા પરિણામવિશેષનું પતન નથી, તે ધ્યાન સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી. પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે છે ત્યારે કેવળી યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોચ્છવાસરૂપ સૂક્ષ્મકાયયોગ બાકી રહે ત્યારે આ પ્લાન હોય છે. યોગનિરોધ તેરમા ગુણસ્થાનના અંતે (અંતિમ અંતર્મુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન પણ તેરમાં ગુણસ્થાનના અંતે હોય છે.
(૪) ચુપરતક્રિયાનિવૃત્તિ વ્યુપરતક્રિયાનિવૃત્તિ શબ્દમાં ભુપતક્રિય અને અનિવૃત્તિ એ બે શબ્દો છે. જેમાં સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે સુપરતક્રિય. જેમાં નિવૃત્તિ (=અટકવાનું) નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈ પણ જાતની ક્રિયા નથી, તથા જે ધ્યાન આત્મા મોક્ષમાં જાય ત્યાં સુધી જરા પણ અટકતું નથી=પાછું ફરતું નથી તે ધ્યાન ભુપતક્રિયાઅનિવૃત્તિ. આ ભેદ ચૌદમાં ગુણસ્થાને હોય છે. (૪૧)
ધ્યાનમાં યોગની વિચારણાતત્ ચેન્ન- યો-થોનામ્ | ૧-૪૨ છે.
१. एकत्वेन अभेदेनोत्पादादिपर्यायाणामन्यतमैकपर्यायालम्बनतयेत्यर्थः । वितर्क :
પૂર્વતશ્રુતાશયો વ્યાપોડર્થપો વચ તત્વરિતમ્ ! (સ્થાનાંગસૂત્ર ચોથું પદ)