________________
અ૦ ૯ સૂ૦ ૪૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૩૧ તે (ચાર પ્રકારનું શુક્લધ્યાન) અનુક્રમે ત્રણ યોગ, એક યોગ, કાયયોગ અને અયોગને(=યોગરહિત ને) હોય છે.
ધ્યાનનો પ્રથમભેદ મન આદિ ત્રણે યોગોના વ્યાપારવાળાને, બીજો ભેદ ત્રણમાંથી ગમે તે એક યોગના વ્યાપારવાળાને, ત્રીજો ભેદ કાયયોગના વ્યાપારવાળાને, ચોથો ભેદ યોગવ્યાપાર રહિત જીવને હોય છે. અર્થાત ધ્યાનના પ્રથમ ભેદમાં ત્રણે યોગોનો વ્યાપાર હોય છે. બીજા ભેદમાં ગમે તે એક યોગનો અને ત્રીજામાં કેવળ કાયયોગનો વ્યાપાર હોય છે. ચોથામાં યોગવ્યાપારનો અભાવ હોય છે.
પ્રશ્ન- ચિત્તનો નિરોધ( ચિત્તની નિશ્ચલતા) એ ધ્યાન છે. કેવલી ભગવંતને ચિત્ત હોતું નથી. તેથી તેમને ધ્યાન કેવી રીતે હોય? જયારે અહીં તો કેવલીને બે ધ્યાન કહ્યાં છે.
ઉત્તર- જૈનશાસનમાં ચિત્તનો વિરોધ કરવો એ જ ધ્યાન નથી, કિંતુ મન-વચન-કાયા રૂપ યોગોનો વિરોધ કરવો એ પણ ધ્યાન છે. એથી કેવલીને પણ યોગનિરોધરૂપ ધ્યાન હોય.
પ્રશ્ન- બૈ ધાતુથી ધ્યાન શબ્દ બન્યો છે. પ્લે ધાતુનો અર્થ ચિત્તનો નિરોધ કરવો એવો છે, યોગનો નિરોધ કરવો એવો નથી. તેથી યોગનિરોધને ધ્યાન કેવી રીતે કહેવાય?
ઉત્તર– ધ્યે ધાતુના અનેક અર્થો છે. તેથી ધ્યે ધાતુનો યોગનિરોધ કરવો (યોગને સ્થિર કરવો) એવો અર્થ પણ છે.
પૂર્વપક્ષ કેવલીને છેલ્લાં બે ધ્યાન હોય છે. તેમાં તેરમા ગુણસ્થાને થનારા ત્રીજા ધ્યાનમાં કાયયોગનો નિરોધ થતો હોવાથી યોગનિરોધ હોય છે. પણ ચૌદમા ગુણસ્થાને યોગનિરોધ થઈ ગયો હોવાથી યોગનિરોધ નથી. આથી ધ્યે ધાતુના યોગનિરોધ અર્થથી પણ ચૌદમા ગુણસ્થાને ધ્યાન ન ઘટે.
ઉત્તરપક્ષ પૂર્વે કહ્યું છે કે ધ્યે ધાતુના અનેક અર્થો છે. આથી ધ્યે ધાતુનો “અયોગાવસ્થા' એવો અર્થ પણ છે. અર્થાત્ ધ્યે ધાતુના મનનિરોધ, યોગનિરોધ અને અયોગાવસ્થા એમ ત્રણ અર્થો છે. À ધાતુનો છદ્મસ્થના ધ્યાનમાં મનોનિરોધ અર્થ છે, તેમાં ગુણસ્થાનમાં થતા ધ્યાનમાં યોગનિરોધ અર્થ છે, અને ચૌદમા ગુણસ્થાને થતા ધ્યાનમાં “અયોગાવસ્થા' અર્થ છે.