________________
૪૨ ૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર અિ૦ ૯ સૂ૦ ૨૯-૩૦ ઉત્તર-ના. પૂર્વે કહ્યું તેમ પૂલદષ્ટિથી(વ્યવહારથી) કલાકો કે દિવસો સુધી ધ્યાન હોઈ શકે છે. અહીં કહેલો ધ્યાનનો કાળ સૂક્ષ્મદષ્ટિથી (નિશ્ચયથી) છે. (૨૮)
ધ્યાનના ભેદોમાર્ત-રૌદ્ર-થર્ણ-શુવાનિ | ૧-૨૧ | આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ એ ચાર ધ્યાનના ભેદો છે.
(૧) ઋત એટલે દુઃખ. દુઃખના કારણે થતું ધ્યાન આર્તધ્યાન. આ ધ્યાન સાંસારિક દુઃખના કારણે ઉત્પન્ન થાય છે, અને પુનઃ દુઃખનો અનુબંધ કરાવે છે. (૨) રુદ્ર એટલે શૂરપરિણામવાળો. હિંસા આદિના ક્રપરિણામથી યુક્ત જીવનું ધ્યાન રૌદ્રધ્યાન. અથવા રુદ્ર એટલે બીજાને દુઃખ આપનાર. બીજાના દુઃખમાં કારણ બને તેવા હિંસાદિના પરિણામથી યુક્ત જીવનું ધ્યાન રૌદ્રધ્યાન. (૩) ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી યુક્ત ધ્યાન ધર્મ (કે ધર્મ) ધ્યાન. (૪) શુક્લ એટલે નિર્મળ, જે સઘળા કર્મોનો ક્ષય કરે તે ધ્યાન નિર્મળ-શુક્લ છે. યદ્યપિ ધર્મધ્યાન પણ નિર્મળ છે. પણ ધર્મધ્યાન આંશિક કર્મક્ષય કરે છે. જ્યારે શુક્લધ્યાન સઘળા કર્મોનો ક્ષય કરે છે. આથી શુક્લ ધ્યાન અત્યંત નિર્મળ છે. (૨૯).
ધ્યાનના ફળનો નિર્દેશઘરે મોક્ષહેતૂ ૬-૩૦ અંતિમ બે ધ્યાન મોક્ષના હેતુ છે.
અહીં અંતિમ બે ધ્યાન(=ધર્મધ્યાન અને શુક્લધ્યાન) મોક્ષના હેતુ છે એમ કહીને પ્રથમના બે ધ્યાન(=આર્તિ અને રૌદ્ર) સંસારના હેતુ છે એમ ગર્ભિત રીતે સૂચન કર્યું છે. ધર્મધ્યાન પરંપરાએ (શુક્લધ્યાનની પ્રાપ્તિ કરાવવાથી) મોક્ષનું કારણ છે. શુક્લધ્યાન સાક્ષાત કારણ છે. (૩૦)
(આર્તધ્યાન આદિ પ્રત્યેક ધ્યાનના ચાર ચાર ભેદો છે. આથી હવે ક્રમશઃ એ ભેદોનું વર્ણન શરૂ કરે છે. ભેદોના વર્ણનની સાથે તે તે ભેદ કોને હોય એમ ધ્યાનના સ્વામીનું પણ વર્ણન કરશે.') ૧. તે તે ધ્યાનના ભેદોને વિચારવાથી અહીં જણાવેલ છે તે ધ્યાનનું લક્ષણ બરોબર સમજાઇ જશે.