SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ અ૦ ૯ સૂ૦ ૨૫-૨૬] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર ૪૧૯ (૪) શૈક્ષક– જેને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપવાની જરૂર છે તે નવદીક્ષિત સાધુ. (૫) ગ્લાન- જવર આદિ રોગથી પરાભૂત. (૬) ગણ– એક આચાર્યનો સમુદાય. (૭) કુલ– અનેક ગચ્છોનો (ગણોનો) સમુદાય. (૮) સંઘ- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર પ્રકારનો સંઘ છે. (૯) સાધુ- મોક્ષની સાધના કરનાર પંચમહાવ્રતધારી મુનિ. (૧૦) સમનોજ્ઞ–જેમનો પરસ્પર સંભોગ હોય, અર્થાત્ ગોચરીપાણી આદિનો પરસ્પર લેવા-દેવાનો વ્યવહાર હોય તે સાધુઓ સમનોજ્ઞ છે. (૨૪) સ્વાધ્યાયના ભેદોનું વર્ણનવાદના-પૃચ્છના-ગુપક્ષા-નાય-ઘોંપશી: ૨-રર . વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય, ધર્મોપદેશ એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. (૧) વાચના– શિષ્ય આદિને આગમ આદિ શ્રતનો પાઠ આપવો. (૨) પૃચ્છના- સૂત્ર અને અર્થ સંબંધી પ્રશ્નો પૂછવા. (૩) અનુપ્રેક્ષા– ભણેલું શ્રતનું મનમાં ચિંતન-પરાવર્તન કરવું. આમ્નાય– મુખના ઉચ્ચારપૂર્વક અભ્યાસ કરવો=નવું શ્રત કંઠસ્થ કરવું કે કંઠસ્થ કરેલું શ્રુતનું પરાવર્તન કરવું. ધર્મોપદેશ– સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું, શિષ્ય વગેરેને ધર્મનો ઉપદેશ આપવો. અત્યારે શ્રાવકોને અપાતું વ્યાખ્યાન પણ ધર્મોપદેશ રૂપ સ્વાધ્યાય છે. (૨૫) વ્યુત્સર્ગના ભેદોનું વર્ણનવહી-ખેતરોપથ્થો: ! ૧-૨૬ | બાહ્ય અને અત્યંતર ઉપધિનો ત્યાગ એમ બે પ્રકારે વ્યુત્સર્ગ ( ત્યાગ) છે. (૪) १. कुलं चान्द्रादिके साधुसमुदायविशेषरूपं प्रतीतं, गणः कुलसमुदायः, सङ्गो गणसमुदायः । (સ્થાનાંગ પાંચસ્થાન પ્રત ભાગ બીજો, પૃ.૨૯૯)
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy