________________
અ૦ ૯ સૂ૦ ૨૦-૨૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૧૫ સંયમની રક્ષા અને વૃદ્ધિ થાય, નિકાચિત કર્મોની પણ નિર્જરા ઇત્યાદિ ઘણા લાભો થાય છે. (૧૯)
અત્યંતર તપના છ ભેદોप्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्यायવ્યુત્સ-ધ્યાનાક્યુત્તરમ્ | ૨-૨૦ |
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ છે પ્રકારનો ઉત્તર=અત્યંતર તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત- પ્રાયશ્ચિત્ત શબ્દમાં પ્રાયઃ અને ચિત્ત એ બે શબ્દો છે. પ્રાયઃ
એટલે અપરાધ. ચિત્ત એટલે શુદ્ધિ કરનાર. જે અપરાધની શુદ્ધિ કરે
તે (આલોચના આદિ) પ્રાયશ્ચિત્ત તપ. પ્રાયશ્ચિત્તના નવ ભેદો છે.' (૨) વિનય ગુણ અને ગુણી પ્રત્યે આશાતનાના ત્યાગપૂર્વક ભક્તિ
બહુમાન તે વિનય. (૩) વૈયાવૃત્ય આચાર્ય આદિ મહાપુરુષોની સેવા એ વૈયાવૃજ્ય કે
વેયાવચ્ચ છે.
વિનયમાં આદર-સત્કારની પ્રધાનતા છે, જ્યારે વૈયાવૃજ્યમાં બાહ્ય કાયચેષ્ટાની અને આહાર આદિ દ્રવ્યની પ્રધાનતા છે. વૈયાવૃજ્ય શબ્દ વ્યાવૃત્ત શબ્દથી બન્યો છે. વ્યાવૃત્ત એટલે વ્યાપારમાં પ્રવૃત્ત. વ્યાવૃત્તનો ભાવ=પરિણામ તે વૈયાવૃત્ય. અર્થાત્ આચાર્ય આદિની સેવા માટે જિનોક્ત શાસ્ત્રના અનુસાર તે તે ક્રિયામાં પ્રવૃત્તિ કરવી એ વૈયાવૃત્ત્વ છે. (૪) સ્વાધ્યાય- શ્રુતનો અભ્યાસ તે સ્વાધ્યાય. (૫) વ્યુત્સર્ગ– વ્યુત્સર્ગ એટલે ત્યાગ. સાધનામાં વિપ્નભૂત કે બિનજરૂરી
વસ્તુનો ત્યાગ વ્યુત્સર્ગ છે. (૬) ધ્યાન– ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. વિવિધ વિષયોમાં ભટકતા
ચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતા-એકાગ્રતા ધ્યાન છે. (૨૦)
ધ્યાન સિવાય પ્રત્યેક અત્યંતર તપના ભેદોની સંખ્યા
નવ-વહુ-શ-પ-દિમેવં યથામં પ્રાધ્યાનાર્ ૧-૨૨ ૧. પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારના તપના અવાંતર ભેદોનો નિર્દેશ હવે પછીના સૂત્રથી ક્રમશ:
ગ્રંથકાર સ્વયં કરશે.