________________
૪૧૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૧૯ ઉત્તર– સૂક્ષ્મ દૃષ્ટિએ ચારિત્રને સમિતિ-ગુપ્તિ સ્વરૂપ કહી શકાય. પણ ભૂલદષ્ટિએ ચારિત્ર અને સમિતિ-ગુણિમાં ભેદ છે. ચારિત્ર કાર્ય છે અને સમિતિ-ગુપ્તિ કારણ છે.
યદ્યપિ દશ પ્રકારના ધર્મમાં ચારિત્ર પણ આવી જાય છે. એથી અહીં ચારિત્રને જુદું જણાવવાની જરૂર રહેતી નથી. છતાં અન્ય ધર્મોથી ચારિત્રની મહત્તા બતાવવા અહીં ચારિત્રનો જુદો નિર્દેશ કર્યો છે. ચારિત્ર સર્વ કર્મોનો ક્ષય કરે છે અને મોક્ષનું સાક્ષાત્ કારણ છે. આથી ચારિત્ર શ્રેષ્ઠ ધર્મ છે. (૧૮)
(T.... એ સૂત્રમાં ગુપ્તિ આદિ સંવરના ઉપાય છે એમ જણાવીને સીનિદો.. એ સૂત્રથી અહીં સુધી ક્રમશઃ ગુપ્તિ આદિનું વર્ણન કર્યું. તેમાં ‘તાના નિર્જરા ત્ર' સૂત્રમાં તપને સંવરના અને નિર્જરાના ઉપાય તરીકે જણાવેલ હોવાથી હવે તપનું વર્ણન શરૂ કરે છે. તપના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદો છે. તેમાં પ્રથમ બાહ્ય-તપનું વર્ણન કરે છે.)
બાહ્ય તપના છ ભેદોअनशना-ऽवमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्यागવિવિધ્યાન-યવર્તેશા વાહાં તપ: / ૧-૧૧ |
અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શધ્યાસન અને કાયક્લેશ એમ છ પ્રકારનો બાહ્ય તપ છે.
જે કર્મના રસને તપાવે=બાળી નાંખે તે તપ. આથી સંયમરક્ષા, સંવર, કર્મનિર્જરા આદિ આત્મકલ્યાણના ધ્યેયથી કરવામાં આવતો તપ જ વાસ્તવિક તપ છે. રોગ, પરાધીનતા, આહારની અપ્રાપ્તિ વગેરે કારણે કરવામાં આવતો તપ કાયક્લેશ રૂપ છે.
(૧) અનશન– અનશન એટલે આહારનો ત્યાગ. અનશન તપના ઇવર અને માવજીવિક એમ બે ભેદ છે. થોડા સમય માટે આહારનો ત્યાગ કરવામાં આવે તે ઇવર અનશન. જીવનપર્યત આહારનો ત્યાગ કરવામાં આવે તે માવજીવિક અનશન.
ચોવિહાર, તિવિહાર, દુવિહાર તથા નવકારશી, પોરસી, એકાસણ, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, યાવત્ છ મહિનાના ઉપવાસ સુધીનો તપ ઈવર ૧. તારિત્ર ત્રણ નાના.. (યોગશાસ્ત્ર-પ્રકાશ-૧, સૂત્ર-૪૫). ૨. ચોવિહાર આદિ પ્રત્યાખ્યાનની સમજ માટે “પ્રત્યાખ્યાન ભાષ્યનું અવલોકન કરવું.