SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ અ૦ ૯ સૂ૦ ૧૭-૧૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર એક જીવને એકી સાથે સંભવતા પરીષહોપવિત્યો મળ્યા યુનાજોનર્વિશતઃ | ૧-૨૭ | બાવીસ પરીષહોમાંથી એક જીવને એકીસાથે એક વગેરે ઓગણીશ પરીષહો હોઇ શકે છે. શીત અને ઉષ્ણ એ બેનો પરસ્પર વિરોધ છે. ચર્યા, શવ્યા અને નિષઘા એ ત્રણનો પરસ્પર વિરોધ છે. વિરોધી પરીષહોમાં એક જીવને એકીસાથે કોઈ એક જ હોઈ શકે. શીત-ઉષ્ણ એ બે પરીષહોમાંથી એક અને ચર્ચા આદિ ત્રણમાંથી બે એમ કુલ ત્રણ પરીષહો બાદ કરતાં ૧૯ પરીષહો રહે છે. એ ૧૯ પરીષહો પરસ્પર અવિરોધી હોવાથી એક જ વ્યક્તિમાં એક જ સમયે હોઈ શકે છે. (૧૭). ચારિત્રનું વર્ણનसामायिक-छेदोपस्थाप्य-परिहारविशुद्धि-सूक्ष्मसंपरायયથાશ્ચાતાનિ ચારિત્રમ્ . ૧-૧૮ | સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂમસંપરાય અને યથાખ્યાત એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે. ચારિત્ર એટલે સાવઘયોગોથી નિવૃત્તિના અને નિરવઘયોગોમાં પ્રવૃત્તિના પરિણામ. આ પરિણામની વિશુદ્ધિની અનેક તરતમતા હોવાથી ચારિત્રના અનેક ભેદો થાય. પણ મુખ્યતયા સામાયિક આદિ પાંચ પ્રકારે ચારિત્ર છે. (૧) સામાયિક- સમ એટલે રાગ-દ્વેષનો અભાવ, અર્થાત્ સમતા. આય એટલે લાભ. જેનાથી સમતાનો લાભ થાય તે સામાયિક. યદ્યપિ સામાયિક શબ્દના આ અર્થથી પાંચ પ્રકારનું ચારિત્ર સામાયિક સ્વરૂપ છે. કારણ કે તેનાથી સમતાનો લાભ થાય છે. પણ પ્રસ્તુતમાં સામાયિક શબ્દ પાંચ પ્રકારના ચારિત્રમાં અમુક પ્રકારના ચારિત્રમાં રૂઢ બની ગયો છે. સામાયિક ચારિત્રના બે ભેદો છે–(૧) ઈતરકાલિક અને (૨) માવજીવિક. થોડો કાલ રહેનાર સામાયિક ઇત્વરકાલિક સામાયિક છે. તેને અત્યારે ચાલુ ભાષામાં નાની દીક્ષા યા કાચી દીક્ષા કહેવામાં આવે છે. યાવજીવ સામાયિક એટલે જીવનપર્યત રહેનાર સામાયિક. પહેલા અને છેલ્લા
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy