________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૧૪-૧૫-૧૬
પ્રશ્ન- ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને મોહનીયકર્મનો ઉદય ન હોવાથી ગર્વ અને દીનતા ન હોય. ગર્વ ન હોવાથી પ્રજ્ઞા પરીષહ અને દીનતા ન હોવાથી અજ્ઞાન પરીષહ કેમ હોય ?
૪૦૪
ઉત્તર–પ્રજ્ઞાપરીષહનું ગર્વ અને અજ્ઞાનપરીષહનું દીનતા કારણ નથી, કિન્તુ જ્ઞાન અને અજ્ઞાન છે અર્થાત્ વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરીષહ નથી, કિન્તુ વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ જ પ્રજ્ઞા પરીષહ છે. વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરીષહનો અજય છે. તે રીતે વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરીષહ નથી, કિન્તુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવી એ જ અજ્ઞાન પરીષહ છે. વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરીષહનો અજય છે. ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને પ્રજ્ઞા (વિશિષ્ટ બુદ્ધિ) અને અજ્ઞાન બંને સંભવે છે.
અલબત્ત, ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને ગર્વ અને દીનતા ન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહનો અજય ન થાય, જય જ થાય. પણ પરીષહ તો આવે. કારણ કે ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને પ્રજ્ઞા અને અજ્ઞાન બંને સંભવે છે. તે૨મા ગુણસ્થાને કેવલજ્ઞાન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન ન હોય. એથી એ બે પરીષહો પણ ન હોય. (૧૩)
दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ।। ९ - १४ ॥
દર્શનમોહના ઉદયે અદર્શન પરીષહ અને લાભાંતરાયના ઉદયે અલાભ પરીષહ સંભવે છે. (૧૪)
ચારિત્રમોહૈ નાખ્યા-રતિ-સ્ત્રી-નિષદ્યા-ડોશયાચના-મહારપુરાઃ ॥ ૧- II
નાન્ચ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર-પુરસ્કાર એ સાત પરીષહો અનુક્રમે જુગુપ્સા, અરતિ, પુરુષવેદ, ભય, ક્રોધ, માન અને લોભ રૂપ ચારિત્ર મોહનીયના ઉદયે હોય છે. (૧૫) વેનીયે શેષાઃ ॥ ૧-૬ ॥
બાકીના ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરીષહ વેદનીય કર્મના ઉદયે હોય છે. (૧૬)