________________
અ૦ ૯ સૂ૦ ૯]. શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૦૧ બનવું રાગદ્વેષ ન કરવા એ પરીષહજય અને એ પ્રસંગોને આધીન
બનીને રાગ-દ્વેષ કરવા એ પરીષહ અજય છે. (૧૧) શવ્યા– શવ્યા એટલે સંથારો અથવા વસતિ. અનુકૂળ કે પ્રતિકૂળ
શવ્યાની પ્રાપ્તિ એ શય્યા પરીષહ છે. અનુકૂળ અને પ્રતિકૂળ શયામાં અનુક્રમે હર્ષ-ઉદ્વેગને આધીન ન બનવું એ પરીષહજય છે, અને હર્ષ
ઉદ્વેગને આધીન બનવું એ પરીષહ અજય છે. (૧૨) આક્રોશ કોઈ અજ્ઞાની કે દ્વેષી આક્રોશ તિરસ્કાર કરે એ આક્રોશ
પરીષહ છે. આક્રોશ થતાં સમતા રાખવી એ પરીષહજય, અને ઉદ્વિગ્ન બની જવું કે આક્રોશ કરનાર ઉપર દ્વેષ-ક્રોધ વગેરે કરવું એ
પરીષહ અજય છે. (૧૩) વધ કોઈ અજ્ઞાની કે દ્વેષી તાડનાદિ કરે એ વધ પરીષહ છે. એ વખતે
સમતા રાખવી એ પરીષહજય, અને દીન બની જવું કે તાડનાદિ
કરનાર ઉપર ક્રોધ વગેરે કરવું એ પરીષહ અજય છે. (૧૪) યાચના–સંયમસાધના માટે જરૂરી આહારાદિની ગૃહસ્થોની પાસે માગણી
કરવી એ યાચના પરીષહ છે. યાચનામાં લઘુતાનો શરમનો ત્યાગ એ
પરીષહજય અને શરમ આવવી, અહંકાર રાખવો એ પરીષહ અજય છે. (૧૫) અલાભ– નિર્દોષ ભિક્ષા ન મળવી એ અલાભ પરીષહ છે. અલાભ
પરીષહ આવતાં દીનતા ન કરવી કે તેમાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન
કરવો એ પરીષહજય, અને દીનતા કે ક્રોધ કરવો એ પરીષહ અજય છે. (૧૬) રોગ- શરીરમાં રોગ થાય એ રોગ પરીષહ છે. રોગને સહન કરવો
કે શાસ્ત્રોક્ત વિધિ મુજબ રોગનો પ્રતિકાર કરવો એ પરીષહજય છે. રોગમાં ચિંતા કરવી, શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને રોગનો
પ્રતિકાર કરવો એ પરીષહ અજય છે. (૧૭) તૃણસ્પર્શ– ગચ્છમાં રહેનારા અને ગચ્છથી અલગ વિચરનારા એ બંને
પ્રકારના સાધુઓને અમુક સંયોગોમાં પોલાણ રહિત ઘાસનો ઉપયોગ કરવાની અનુજ્ઞા છે. આથી જરૂર પડે ત્યારે ઘાસ ઉપર સંથારો અને ઉત્તરપટો પાથરીને સૂવે. અથવા સંથારો અને ઉત્તરપટ્ટો ચોરાઈ જાય વગેરે કારણે માત્ર ઘાસ ઉપર સૂવે. એ વખતે તૃણની અણીઓ ખૂંચવી