________________
૩૯૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૯ સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ છે.
રિપોઢવ્યા: પદથી પરીષહ શબ્દનો અર્થ જણાવ્યો છે. રિપોદ્રવ્ય જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ છે. માધ્યનિર્જરા પદથી પરીષહો સહન કરવાનું કારણ જણાવ્યું છે. દર્શનપરીષહ અને પ્રજ્ઞાપરીષહ એ બે મોક્ષમાર્ગમાં સ્થિરતા માટે અને બાકીના વીસ પરીષહો નિર્જરા માટે સહન કરવાના છે. (પ્રવચન સારોદ્ધાર ૮૬મા દ્વારમાં)
યદ્યપિ સૂત્રમાં પરીષહ સહન કરવામાં મોક્ષમાર્ગમાં સ્થિરતા અને નિર્જરા એ બે હેતુ બતાવ્યા છે, છતાં પ્રકરણવશાત્ સંવરને પણ તેમાં હેતુ તરીકે સમજી લેવો જોઇએ. કારણ કે પૂર્વે ગુણ. એ સૂત્રમાં સંવરના ઉપાય તરીકે પરીષહજયનો નિર્દેશ કર્યો છે.
પરીષદો સહન કરવાનો અભ્યાસ કરવાથી આત્મામાં વિશિષ્ટ સામર્થ્ય આવે છે. એ સામર્થ્યના બળે આત્મા મેરુની જેમ સ્થિર રહી સમાધિ પૂર્વક પરીષહો સહન કરીને વિપુલ કર્મોની નિર્જરા કરે છે. જો પરીષહો સહન કરવાનો અભ્યાસ ન કરવામાં આવે તો પરીષહો આવતાં મન આકુળ-વ્યાકુળ બની જાય છે. પરિણામે નિર્જરા તો દૂર રહી, બલ્ક સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગથી પતિત થવાનો વખત પણ આવે છે. આથી સંવર પણ થતો નથી. (૮)
પરીષહોक्षुत्-पिपासा-शीतोष्ण-दंशमशक-नाग्न्याऽरति-स्त्रीવ-નિષદ-ધ્યા-ડોશ-વષ-યાચના-5નામ-રોગતૃપuf-મન-સાર-પ્રશા-ડજ્ઞાના-ડાનિ | -૬
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષઘા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન એમ ૨૨ પરીષહો છે.
પરીષહોને બરાબર સમજવા પરીષહોનું સ્વરૂપ, પરીષહજય (=શું કરવાથી પરીષહ જીત્યો કહેવાય) અને પરીષહ અજય (=શું કરવાથી પરીષહ ન જીતાય) એ ત્રણ બાબતો બરોબર સમજવી જોઈએ.