________________
૩૮૭
અ૦૯ સૂ) ૬] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર આસક્તિથી આત્મા કર્મરૂપ મલથી મલિન બને છે માટે લોભ કે આસક્તિ અશૌચ=અશુચિ છે. અલોભ કે અનાસક્તિથી આત્મા શુદ્ધ બને છે માટે અલોભ કે અનાસક્તિ શૌચ=શુચિ છે.
(૫) સત્ય– જરૂર પડે ત્યારે જ, સ્વ-પરને હિતકારી, પ્રમાણપત આદિ ગુણોથી યુક્ત વચનો બોલવાં તે સત્ય.
(૬) સંયમ– મન, વચન અને કાયાનો નિગ્રહ (અશુભથી નિવૃત્તિ યા શુભમાં પ્રવૃત્તિ) એ સંયમ છે. સામાન્યથી સંયમના ૧૭ ભેદો છે. તે આ પ્રમાણે—પાંચ અવ્રતરૂપ આશ્રવોનો ત્યાગ, પાંચ ઇન્દ્રિયોનો જય, ચાર કષાયોનો ત્યાગ, મનદંડ, વચનદંડ, કાયદંડ એ ત્રણ દંડથી નિવૃત્તિ. અથવા પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, પ્રેક્ષ્ય, ઉપેક્ષ્ય, અપહૃત્ય, પ્રમુ, કાય, વચન, મન અને ઉપકરણ એમ સત્તર પ્રકારનો સંયમ છે. (૧) પૃથ્વીકાયના જીવોને દુઃખ થાય તેવી પ્રવૃત્તિનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદના રૂપે ત્યાગ કરવો એ પૃથ્વીકાય સંયમ છે. (૨-૯) આ પ્રમાણે પંચેન્દ્રિય સંયમ સુધી સમજવું. (૧૦) આંખોથી નિરીક્ષણ કરવા પૂર્વક બેસવા વગેરેની ક્રિયા કરવી તે પ્રેક્ષ્યસંયમ. (૧૧) સાધુઓને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોમાં જોડવા અને સ્વક્રિયાના વ્યાપારથી રહિત ગૃહસ્થોની ઉપેક્ષા કરવી એ ઉપેશ્યસંયમ. (૧૨) બિનજરૂરી વસ્તુનો ત્યાગ (અગ્રહણ) અથવા જીવોથી યુક્ત ભિક્ષા આદિ વસ્તુને પરઠવી દેવી તે અપહત્ય સંયમ. (૧૩) રજોહરણથી પ્રમાર્જન કરી બેસવા આદિની ક્રિયા કરવી તે પ્રમૃદયસંયમ. (૧૪-૧૫-૧૬) અશુભયોગોથી નિવૃત્તિ અને શુભયોગોમાં પ્રવૃત્તિ એ કાયસંયમ, વચનસંયમ અને મનસંયમ છે. (૧૭) પુસ્તકાદિ ઉપકરણો જરૂર પ્રમાણે જ રાખવાં, તેમનું સંરક્ષણ કરવું વગેરે ઉપકરણ સંયમ છે
(૭) તપ– શરીર અને ઇન્દ્રિયોને તપાવવા દ્વારા આત્મવિશુદ્ધિ કરે એ ત૫.૨ १. पञ्चासवाद विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः ।
તwત્રવિરતિતિ, સંયમ: સલમે: 9૭૨ | પ્રશમરતિ પ્રકરણ, ગાથા-૧૭૨ ૨. તપનું વિશેષ વર્ણન આ અધ્યાયના ૧૯મા સૂત્રથી શરૂ થશે.