________________
૩૮૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૫ યોગનિગ્રહ સમ્યફ છે. અર્થાત્ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન પૂર્વક થતો યોગનિગ્રહ સમ્યફ છે. આથી સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન વિના થતો યોગનિગ્રહ ગુપ્તિ નથી, કિન્તુ ક્લેશરૂપ છે. અહીં નિગ્રહનો અર્થ કેવળ નિવૃત્તિ નથી, કિન્તુ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય છે. શાસ્ત્રનિષિદ્ધથી યોગોની નિવૃત્તિ અને શાસ્ત્રવિહિતમાં યોગોની પ્રવૃત્તિ એ યોગનિગ્રહ છે. યોગો ત્રણ હોવાથી ગુપ્તિના કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનોસુમિ એ ત્રણ ભેદો છે.
(૧) કાયમુર્તિ- કાયોત્સર્ગ આદિ દ્વારા કાયવ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવૃત્તિ એ કાયગુપ્તિ છે.
(૨) વચનગુતિ- મૌન દ્વારા વચનવ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય, ઉપદેશ આદિમાં વચનની પ્રવૃત્તિ એ વચનગુપ્તિ છે.
(૩) મનોગુપ્તિ- આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ અશુભ વિચારોથી નિવૃત્તિ અથવા ધર્મધ્યાન કે શુક્લધ્યાનરૂપ શુભ ધ્યાનમાં મનની પ્રવૃત્તિ અથવા શુભ-અશુભ બંને પ્રકારના વિચારોનો ત્યાગ એ મનોગુણિ છે. (૪)
સમિતિનું વર્ણનईर्या-भाषैषणा-ऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः ॥ ९-५ ॥ ઇર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે.
સમિતિ શબ્દમાં સમ્ અને ઇતિ એ બે શબ્દો છે. સમ્ એટલે સમ્ય. ઇતિ એટલે પ્રવૃત્તિ. સમગૂ પ્રવૃત્તિ એ સમિતિ છે. સમ્યગ્ એટલે શાસ્ત્રોક્ત વિધિ મુજબ. સમિતિ(સમ્યમ્ પ્રવૃત્તિ) અનેક પ્રકારની છે. તે સઘળી સમિતિઓનો અહીં ઇર્યા આદિ પાંચમાં સમાવેશ થઈ જાય છે. સમિતિ કેવળ પ્રવૃત્તિ સ્વરૂપ છે અને ગુપ્તિ પ્રવૃત્તિ નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. આથી ગુપ્તિમાં સમિતિનો સમાવેશ થઈ જાય છે. આમ છતાં બાળ જીવોને શીઘ અને સ્પષ્ટ બોધ થાય એ હેતુને લક્ષ્યમાં રાખીને સમિતિનું અલગ વર્ણન કર્યું છે.
(૧) ઈર્યાસમિતિ- ઈર્યા એટલે જવું. સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણ ભૂમિનું નિરીક્ષણ કરવા પૂર્વક જયાં લોકોનું ૧. આ મનોગુપ્તિ યોગનિરોધ અવસ્થામાં હોય છે. ૨. યુગ એટલે બળદોને ગાડામાં જોડવાની ધોંસરી, ધોંસરી ૪ હાથ પ્રમાણ હોય છે. યુનત્ર
ચતુર્હતના શર્લિસચિતં (આચા.શ્ર.૨, અ.૩, ઉ.૧, સૂત્ર-૧૧૫)