SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૯ સૂ૦ ૧-૨-૩-૪] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર નવમો અધ્યાય સંવરની વ્યાખ્યા– આવવનિરોધઃ સંવરઃ ॥ o-ર્ ॥ આસવનો નિરોધ એ સંવર છે. દેશસંવર અને સર્વસંવર એમ બે પ્રકારે સંવર છે. સર્વ સંવર એટલે સર્વ પ્રકારના આસવોનો અભાવ. દેશસંવર એટલે અમુક થોડા આસ્રવોનો અભાવ. સર્વસંવર ચૌદમા ગુણસ્થાને હોય છે. તેની નીચેનાં ગુણસ્થાનોમાં દેશસંવર હોય છે. દેશસંવર વિના સર્વસંવર થતો ન હોવાથી પ્રથમ દેશસંવર માટે પ્રયત્ન કરવો જોઇએ. દેશસંવરના ઉપાયો નીચેના સૂત્રમાં જણાવશે. (૧) ૨ સંવરના ઉપાયો– આ ગુપ્તિ-સમિતિ-ધર્માંડનુપ્રેક્ષા-પરીષહનય-ચારિત્રૈઃ ॥૧-૨ ॥ ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રથી સંવર થાય છે. (૨) નિર્જરાનો ઉપાય તપતા નિર્ના ચ ॥ ૧-૨ ॥ તપથી નિર્જરા અને સંવર બંને થાય છે. ૩૮૧ યદ્યપિ ગુપ્તિ આદિથી પણ સંવરની જેમ નિર્જરા પણ થાય છે. પણ તપથી અધિક નિર્જરા થાય છે. માટે તપમાં નિર્જરાની પ્રધાનતા છે અને ગુપ્તિ આદિમાં સંવરની પ્રધાનતા છે. (૩) ગુપ્તિની વ્યાખ્યા— सम्यग् योगनिग्रहो गुप्तिः ॥ ९-४ ॥ મન, વચન અને કાયા એ ત્રણ યોગોનો સમ્યગ્ નિગ્રહ એ ગુપ્તિ છે. સમ્યગ્ એટલે કેવા યોગોથી કર્મબંધ થાય છે, અને કેવા યોગોથી સંવર કે નિર્જરા થાય છે, એમ જાણીને તેની શ્રદ્ધા કરવી. જ્ઞાન-શ્રદ્ધા યુક્ત ૧. આસવનું વિસ્તૃત વર્ણન છઠ્ઠા અધ્યાયમાં આવી ગયું છે. ૨. સંવરના વિશેષ જ્ઞાન માટે જુઓ અધ્યાય-૧, સૂત્ર-૩. ૩. ગુપ્તિ આદિનું વર્ણન ગ્રંથકાર સ્વયં આ અધ્યાયના ચોથા સૂત્રથી શરૂ કરશે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy