________________
3७८
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૨૫ વસ્તુને બાળે છે. પણ પોતાના સ્થાનથી દૂર રહેલી વસ્તુને બાળતો નથી. તેમ જીવ પોતાના ક્ષેત્રમાં જ રહેલા કર્મપુગલોનું ગ્રહણ કરે છે, પોતાના ક્ષેત્રથી દૂર રહેલા કર્મપુદ્ગલોનું ગ્રહણ કરતો નથી. આ ઉત્તર સૂત્રમાં રહેલ ક્ષેત્રાવઢ' શબ્દથી મળે છે.
(૬) કાર્મણ વર્ગણાના જે પુગલો સ્થિત હોય=ગતિ રહિત હોય તે જ પુદ્ગલોનું ગ્રહણ થાય છે. આથી ગતિમાન કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો બંધ થતો નથી. આ ઉત્તર સ્થિત ' એ શબ્દથી મળે છે.
(૭) જીવ સર્વ આત્મપ્રદેશો વડે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરે છે. આ વિષયને સમજવા શૃંખલાનું દૃષ્ટાંત છે. જેમ શ્રૃંખલાની (=સાંકળની) દરેક કડી પરસ્પર જોડાયેલી હોવાથી એક કડીનું ચલન થતાં સર્વ કડીઓનું ચલન થાય છે. તેમ જીવના સર્વ પ્રદેશો પરસ્પર જોડાયેલા હોવાથી જ્યારે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવા કોઈ એક પ્રદેશ વ્યાપાર કરે છે ત્યારે અન્ય સર્વ પ્રદેશો વ્યાપાર કરે છે. હા, કેટલાક પ્રદેશોનો વ્યાપાર ન્યૂન હોય, કેટલાક પ્રદેશોનો વ્યાપાર ન્યૂનતર હોય, એમ વ્યાપારમાં તારતમ્ય અવશ્ય હોય છે. દા.ત. જયારે આપણે ઘડાને ઉપાડીએ છીએ ત્યારે હાથના સમગ્ર ભાગોમાં વ્યાપાર હોવા છતાં હથેલીના ભાગમાં વ્યાપાર વિશેષ હોય છે, કાંડાના ભાગમાં તેનાથી ન્યૂન વ્યાપાર હોય છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં કર્મયુગલોને ગ્રહણ કરવાનો વ્યાપાર સર્વ આત્મપ્રદેશોમાં હોય છે. પણ વ્યાપારમાં તરતમતા અવશ્ય હોય છે. દરેક આત્મપ્રદેશમાં કર્યગ્રહણનો વ્યાપાર હોવાથી દરેક આત્મપ્રદેશમાં આઠે ય કર્મના પ્રદેશો સંબદ્ધ હોય છે. આ ઉત્તર આપણને સૂત્રમાં રહેલ સર્વાત્મ એ શબ્દથી મળે છે.
(૮) પ્રદેશબંધમાં એક, બે, ત્રણ એમ છૂટા છૂટા પુદ્ગલોકકમણુઓ બંધાતા નથી, કિન્તુ મોટા જથ્થા રૂપે બંધાય છે. તેમાં પણ એકી સાથે એક, બે, ત્રણ, ચાર, યાવત સંખ્યાત કે અસંખ્યાત જથ્થા બંધાતા નથી, કિન્તુ અનંત જથ્થા જ બંધાય છે. તથા એક એક જથ્થામાં અનંતા કર્યાણુઓ હોય છે. આથી એકી વખતે દરેક આત્મપ્રદેશમાં અનંતાનંત કર્માણુઓ બંધાય છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ “સત્તાનત્તશા' એ શબ્દથી મળે છે. (૨૫). ૧. આ મોટા જથ્થાને શાસ્ત્રની ભાષામાં સ્કંધ કહેવામાં આવે છે.