________________
અ૦ ૮ સૂ૦ ૨૫ શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૭૭ (૩) કોઈ એક જીવ દરેક સમયે સમાન પુદ્ગલો ગ્રહણ કરતો નથી, વધારે ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે. કારણ કે પ્રદેશબંધ યોગથી= વીર્યવ્યાપારથી થાય છે. જીવનો યોગ વીર્યવ્યાપાર દરેક સમયે એક સરખો જ રહેતો નથી, વધારે ઓછો થાય છે. જેમ જેમ યોગ વધારે તેમ તેમ અધિક પુદ્ગલો ગ્રહણ કરે છે. જેમ જેમ યોગ ઓછો તેમ તેમ ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે. યદ્યપિ કોઈ વખત એક સરખો યોગ હોય છે. પણ તે વધારેમાં વધારે આઠ સમય સુધી જ રહે છે. પછી અવશ્ય યોગમાં ફેરફાર થાય છે. આથી જીવ દરેક સમયે સમાન પુદ્ગલો ગ્રહણ કરતો નથી, પોતાના યોગ પ્રમાણે વધારે ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે.
તથા વિવલિત કોઈ એકસમયે સર્વ જીવોને સમાન જ પ્રદેશોને બંધ થાય એવો નિયમ નથી. જે જીવોનો સમાન યોગ હોય તે જીવોને સમાન પુદ્ગલોનો બંધ થાય છે. જે જીવોના યોગમાં જેટલા અંશે યોગની તરતમતા હોય તે જીવોમાં તેટલા અંશે તરતમતાવાળો પ્રદેશબંધ થાય. આનું તાત્પર્ય એ આવ્યું કે કોઈ પણ જીવને કોઈ પણ સમયે પોતાના યોગ પ્રમાણે પ્રદેશો બંધાય. આ જવાબ થવષાત્ શબ્દથી મળે છે.
(૪) આ વિશ્વમાં આંખોથી ન દેખી શકાય તેવા અનેક પ્રકારના સૂક્ષ્મ પુદ્ગલો સર્વત્ર વ્યાપેલા છે. પણ તે દરેક પુદ્ગલો કર્મ રૂપ બની શકતા નથી. જે પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોય(Fકર્મ રૂપે બની શકે તેટલા સૂક્ષ્મ હોય) તે જ પુદ્ગલો કર્મ રૂપે બની શકે છે. જેમ જાડો લોટ કણેક રોટલી બનાવવા માટે અયોગ્ય છે. તેમ બાદર પુદગલો કર્મ બનવા માટે અયોગ્ય છે. કર્મ રૂપે બની શકે તેવા પુલોના સમૂહને કાર્મણ વર્ગણા કહેવામાં આવે છે. જીવ કાર્પણ વર્ગણામાં રહેલા સૂક્ષ્મ પુદ્ગલોને લઈને કર્મ રૂપે બનાવે છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ સૂમ શબ્દથી મળે છે.
(૫) અન્ય પુદ્ગલોની જેમ કાર્મણ વર્ગણાના પુદ્ગલો પણ સર્વત્ર રહેલા છે. જીવ સર્વત્ર રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરતો નથી, કિન્તુ જેટલા સ્થાનમાં પોતાના જીવના) પ્રદેશો છે તેટલા જ સ્થાનમાં રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરે છે. અહીં અગ્નિનું દષ્ટાંત છે. જેમ અગ્નિ પોતે જેટલા સ્થાનમાં છે તેટલા જ સ્થાનમાં રહેલ બાળવા યોગ્ય