SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिना समारोप्य ॥ १६ ॥ (कुलकम्) सम्यक्त्व-ज्ञान-चारित्र,-संवर तपः-समाधिबलयुक्तः । मोहादीनि निहत्या-ऽशुभानि चत्वारि कर्माणि ॥ १७ ॥ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम् ।। लोकहिताय कृतार्थो-ऽपि देशयामास तीर्थमिदम् ॥ १८ ॥ द्विविधमनेकद्वादश-विधं महाविषयममितगमयुक्तम् । संसारार्णवपारगमनाय, दुःखक्षयायालम् ॥ १९ ॥ ग्रन्थार्थवचनपटुभिः प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः । अनभिभवनीयमन्यै-र्भास्कर इव सर्वतेजोभिः ॥२०॥(कलापकम्) વિનાશ કરનાર અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર સાધુવેષને ગ્રહણ કરી, સામાયિકનો સ્વીકાર કરવા દ્વારા વિધિપૂર્વક વ્રતોને સ્વીકારી, મોક્ષ માટે પ્રવ્રજિત બન્યા. (૧૭-૧૮) (પ્રવ્રજિત થયા પછી) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર, સંવર, તપ અને સમાધિરૂપી સૈન્યથી સ્વયં (કોઇની સહાય વિના) મોહાદિ ચાર અશુભકર્મોનો ક્ષય કરી, અનંત કેવળજ્ઞાન, કેવળદર્શન ગુણ પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બનવાથી કૃતકૃત્ય થવા છતાં લોકહિત માટે આ (-વર્તમાનમાં પ્રવર્તે છે તે) તીર્થનો ઉપદેશ આપ્યો=તીર્થને પ્રકાશિત કર્યું. (૧૯-૨૦) આ તીર્થ (અંગબાહ્ય-અંગપ્રવિષ્ટ) બે પ્રકારે, (અંગબાહ્ય) અનેક પ્રકારે અને (અંગપ્રવિષ્ટ) બાર પ્રકારે છે, તથા મહાવિષયવાળું=સર્વ દ્રવ્યોને પ્રકાશિત કરનારું, અનેક નયોથી યુક્ત, સંસાર રૂપી સમુદ્રને પાર પામવા અને દુઃખનો ક્ષય કરવા સમર્થ છે. જેમ મણિ આદિ સર્વ પદાર્થોના પ્રકાશો એકઠા થાય તો પણ તેમનાથી સૂર્ય પરાભવ પામતો નથી, તેમ ગ્રંથોનો અર્થ કહેવામાં નિપુણ અને ન્યાયકુશળ વાદીઓ તીર્થના પરાભવ માટે પ્રયત્ન કરતા હોવા છતાં તેમનાથી તીર્થ પરાભવ પામતું નથી.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy